અનુયાયીઓ

શનિવાર, 23 મે, 2015

ચાર ચાર દિવસની જહેમત છતાં દીપડી પાંજરે પુરાતી નથી ! જેતપુરના વાડાસડા ગામની સીમમાંથી દીપડીના 15-15 દિવસના 2 બચ્ચાને ઉછેરતું જંગલખાતું !!

ચાર ચાર દિવસની જહેમત છતાં દીપડી પાંજરે પુરાતી નથી ! 
જેતપુરના વાડાસડા ગામની સીમમાંથી દીપડીના  
15-15 દિવસના 2 બચ્ચાને ઉછેરતું જંગલખાતું !!
જેતપુર તા.23
જેતપુરના વાડાસડા ગામે આજથી ચાર દિવસ પહેલા ગામલોકોની બાતમી પરથી જેતપુર સ્થિત વનખાતાના સ્ટાફે વાડાસડા દોડી જઈ, પાંજરું ગોઠવી દીપડીને પકડવા પ્રયાસો કર્યા હતા. પણ શેરડીના વાડમાં ધીંગામસ્તી કરતા 15-15 દિવસના 2 બચ્ચા મળી આવતા બચ્ચાને દૂધ પીવડાવી ઉછેરવાની વનખાતું સેવા કરતુ હોવાનું આરએફઓ નંદાણીયે જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ ગઈ 19-5.  રોજ જેતપુર તાલુકાના વાડાસડા ગામે એક દીપડી બચ્ચા સાથે સીમમાં ફરી રહી હોવાની બાતમી મળતા જેતપુર વનખાતાના એમ.ડી.નંદાણીયા સ્ટાફ સાથે આ ગામની સીમમાં દોડી જઈ પાંજરું ગોઠવ્યું હતું.
પણ દીપડી પાંજરા તરફ ફરકતી નહોતી. બીજીબાજુ વાડાસડાના યુવા આગેવાન અશોકસિંહ ચૌહાણના જણાવ્યા પ્રમાણે વનખાતું દીપડીની શોધમાં હતું ત્યારે ગામની સહકારી મંડળીના પ્રમુખ ગોવિંદભાઈ કાનજીભાઈ ચૌહાણની વાડીમાંથી ખેતપાકની વચ્ચેથી ધીંગામસ્તી કરતા કરતા 2 બચ્ચા (15-15 દિવસના) મળી આવતા વન તંત્રે આ બંને બચ્ચાને વહાલથી ઉપાડી લઇ ગુપ્ત સ્થળે રાખી છેલ્લા 4 દિવસ થયા દુધની બોટલ દ્વારા દૂધ પાઈ ઉછેર કરી રહ્યા છે. જો કે દીપડી હજુ પકડાઈ નાં હોય ગામના સીમ ખેડૂત વર્ગમાં ભયનું લખુંલખું પસાર થઇ ગયું છે. અમુક ધીરજ ગુમાવી બેસેલા ખેડૂતોએ ત્યાં સુધી કહ્યું કે દીપડી નાં પકડાય તો કોઈ વાંધો નહિ, પણ વન તંત્ર દીપડીના બચ્ચા જ્યાંથી હાથ લાગ્યા ત્યાં મૂકી જાય તો માં તે માં ની કથની મુજબ દીપડી ગમે ત્યાંથી બચ્ચા સુધી પહોચી જશે.

બોક્સ:  રોજ બચ્ચા રાત્રે પાંજરે મુકાય છે !
જેતપુર: વનખાતાના આરએફઓ નંદાણીયાએ એક મુલાકાત દરમિયાન જણાવેલ કે છેલ્લા ચાર દિવસ થયા રોજ રાત્રીના દીપડીના બચ્ચાને વાડાસડા સીમમાં લઇ જઈને પાંજરે રાખી દીપડીને પકડવા કવાયત આદરાઈ રહી છે. પણ દીપડી જાણે ડરપોક હોય તેમ પાંજરા પાસે ફરકતી નથી.તેઓએ એમ પણ જણાવેલ બચ્ચા ખુબ નાના હોય, બંનેનો જન્મ વાડાસડાની સીમમાં જ થયો હોવો જોઈએ અને દીપડી પણ તેટલા વિસ્તારમાંજ હોવી જોઈએ. આ બાબતે જે હોય તે પણ વાડાસડા ના ખેડૂતોનો ભય દુર કરવા દીપડી પાંજરે પુરાય તે જરૂરી છે.
કશ્યપ જોશી જેતપુર 
++++++++++++++++++++++++++++++++++++++++++++++
15 દિવસ પહેલા અકસ્માતે દાઝેલા 
જેતપુરના વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત
જેતપુર તા.23
જેતપુરના ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા સવિતાબેન ભાણાભાઈ નામના વૃધ્ધા આજથી એક પખવાડિયા પહેલા રસોડામાં પ્રાયમસની ઝાળે દાઝી જતા પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ. જ્યાં તેમનું સારવાર દરમિયાન આજે મોત થયાનું શહેર પોલીસ દફતરે જાહેર કરાયું હતું.
જેતપુરમાં જુગાર દરોડો, ખેલંદો ભાગી ગયો !
જેતપુર તા.23
જેતપુરમાં ભાદરના સામા કાંઠા વિસ્તારમાં એક કે યુવાન પોતાના મોબાઈલ પર જુગાર રમાડતો હોવાની અહીના એએસપી દેસાઈને બાતમી મળી હતી. જેના આધારે ગઈકાલે એએસપીએ સ્ટાફને સાથે રાખી ઉપરોક્ત વિસ્તારમાં ત્રાટકતા મહિપત ઝીલુભાઈ નામનો દરબાર યુવાન પોલીસેને જોઇને નાશી છૂટ્યો હતો. પોલીસે મહીપતના ઘરમાંથી એક મોબાઈલ, રોકડ રૂ.26000 તથા એક બાઈક મળી કુલ રૂ.57000 નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
 કશ્યપ જોશી -જેતપુર 
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++



ટિપ્પણીઓ નથી: