જેતપુરના મોટા ગુંદાળા ગામની ઘટના ટોક ઓફ ધી વિલેજ
ભેદભરમના ઝાળા વચ્ચે રાષ્ટ્રીય પક્ષી 2 મોરના
2 ઢેલના મળતા ખગપ્રેમીઓમાં અરેરાટી.....
ખેત પાકોની ઝેરી દવાથી મોર-ઢેલના મોત થયાનું અનુમાન લગાવતું જંગલખાતું
જેતપુર તા.12
જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામેથી ગઈકાલે રાષ્ટ્રીય પક્ષી મોરના 2 અને ઢેલ ના 2 એમ ચાર મૃતદેહો મળી આવ્યાની ઘટનાથી સંબંધિત જંગલખાતાના અધિકારીએ બનાવ સ્થળે દોડી જઈ આ ચારેય મૃત પક્ષીઓના લોહીના નમૂનાઓ રાજકોટ લાબોરેટરીમાં મોકલી પક્ષીઓના મોતનું કારણ જાણવા ચક્રો ગતિમાન કાર્ય છે.
બનાવ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે ગઈકાલે સવારે અમુક જાગૃત માણસોની નજરમાં પાંજરાપોળ નજીકની કેનાલ કાંઠે મૃત મોર-ઢેલ જોવા મળતા લાગતા વળગતા જંગલખાતાને આ બાબતે જાણ કરાઈ હતી. દરમિયાન ઘટના સ્થળે દોડી ગયેલ આરએફઓ નંદાણીયા સહિતના સ્ટાફને 2 મોર અને 2 ઢેલ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. આવા સમયે આરએફઓએ તબીબ રૂપાપરાને બોલાવી મોર-ઢેલના લોહીના નમુના લઈને પરીક્ષણ માટે રાજકોટ લેબોરેટરીમા મોકલ્યા છે.
આરએફઓ નંદાણીયાએ ટેલીફોનીક મુલાકાત દરમિયાન જણાવેલ કે અમારા ધ્યાને માત્ર 2 મોર અને 2 ઢેલ જ મૃત મળેલા, અને આ ચારેયના મોત આજુબાજુના ખેત પાકોમાં છંટાયેલી દવા ચણમાં ખાઈ જવાથી થયા હોવાનું પ્રાથમિક અનુમાન નીકળે છે. પણ સાચું કારણ રાજકોટના લેબો. રીપોર્ટ પછી જાણી શકાય..
બોક્સ: વીશેક મોર-ઢેલના મોતની આશંકા !?
જેતપુર: મોટા ગુંદાળાની આ ઘટના બાબતે જંગલ ખાતાને જાણ કરના જાગૃત માણસોમાં એવી ગોસીપ થતી હતી કે એક સાથે વીશેક મોર-ઢેલના મૃતદેહોને સવારના પહોરમાં ભૂંડ તેમજ કુતરા ફંફોળતા હતા. પણ માણસોના ટોળાના અવાજથી સ્વાન અને ભૂંડ આવ્યા તેટલા મોર ઢેલ મોઢામાં લઈને નજીકની જંગલની ઝાળીમાં ઘુસી જતા મૃત ઢેલ-મોરની સાચી સંખ્યા જાણવી મુશ્કેલ બની હતી.
બોક્સ: મોરના ટહુકાઓથી ગામલોકો આફરીન !
જેતપુર: મનીષભાઈ સહિતના મોટા ગુંદાળાવાસીઓએ જણાવેલ કે પાંજરાપોળના સેવાભાવીઓ રોજ મોર, ઢેલ, કબર, ચકલીઓને ચણ નાખતા હોય, સવારે અહી પક્ષીઓના કલરવથી વાતાવરણમાં મધુરતા ફેલાય છે, તો મોરના ટહુકાથી ગુંજતા આહલાદક વાતાવરણની મોજ માણ વા ઘણા ગ્રામજનો નિયમિત પાંજરાપોળની આજુબાજુ વોકિંગ કરવા પહોચી જાય છે.
કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 99742 62812





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો