જેતપુરનો જલારામ ફટાકડાવાળો વરલીનું કપાત કરતો હતો
થાણાગલોળના આધેડને ઝેરી જનાવર આભડી ગયું...
ડેડરવાના શખ્શને વરલી ફીચરના સાહિત્ય સાથે પકડી લેતી પોલીસ
જેતલસર તા.23
જેતલસર પંથકના ડેડરવા ગામે આજે તાલુકા પોલીસે વરલી ફીચરનો જુગાર રમાડતા એક સખ્શને રોકડ રૂ.8050 સાથે જડપી લીધો હતો.
બનાવની મળતી વિગતો મુજબ જેતલસર પંથકના ગામે મનું હમીર મોરબીયા નામનો શખ્સ વરલી ફીચરનો આંકડા લેવાનો ધંધો કરતો હોવાની બાતમી પરથી જેતપુર તાલુકા પોલીસ જમાદાર ભુરાભાઈ માલીવાડે આજે મનુને રોકડ 8050 સાથે જડપી લીધો હતો. મનુ જેતપુરના જલારામ ફટાકડાવાળો પ્રવીણને વરલીનું કપાત કરાવતો હોવાનું કબુલતા પોલીસે પ્રવીણને પણ પકડવાની કવાયત હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર
જેતલસર તા.23
આજથી બાર દિવસ પહેલા જેતપુર તાલુકાના થાણાગલોળ ગામે ઝેરી જનાવર કરડયા બાદ સારવાર દરમિયાન આજે આધેડનું મોત થયાનું તાલુકા પોલીસમાં જાહેર થયું છે.
થાણાગાલોલ ગામના કિશોરભાઈ ભાણજીભાઈ રાહોલીયા ઉ.વ.49 ને ગઈ તા.12 ના રોજ કોઈ ઝેરી જનાવર કરડી જતા પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે અમદાવાદ સરકારી દવાખાને ખસેડાયા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું મોત થતા તાલુકા પોલીસે ધોરણસરની વિધિ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો