અનુયાયીઓ

શુક્રવાર, 21 નવેમ્બર, 2014

JETPURMA VADHU EK GHARFOD CHORI..KASHYAP JOSHI JETPUR JETALSAR

જેતપુરમાં મકાન માલિક વાન લઈને ફેરો કરવા ગયા ને
તસ્કરો મકાનમાં હાથફેરો કરી ગયા
રોકડ રૂ.10000 સહીત હજારોની ચોરી
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા. 21
ગઈ કાલે જેતપુરમાં મોડી રાત્રીના એક રેઢા મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ રકમ રૂપિયા 10 હજાર સહીત હજારોની મત્તા ચોરી જતા પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.
આ બાબતે રૂબરૂ મેળવાયેલી વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ ઉપર, કેનાલ કાંઠે આવેલ માહિર-2 ના બ્લોક નંબર G-4 માં રહેતા અને મારુતિ વાન ભાડે ચલાવવાની મજુરી કરતા ભરતભાઈ ઓઘડભાઈ સોલંકી-કોળી ગત રાત્રીના 8 વાગ્યે કાલાવડ પંથકના ટોડા ગામનું ભાડું લઈને નીકળ્યા હતા.
ઘરને તાળા વાસી ઉક્ત ગામેથી આજે સવારે ઘરે પરત આવ્યા ત્યારે તેમના મકાનના દરવાજો તૂટેલો જોયો હતો.
દરમિયાન ઘરમાં તપાસ કરતા તૂટેલા કબાટની ચીજ વસ્તુઓ, કપડાલત્તા વેરવિખેર પડેલા જોવા મળતા ભરતભાઈ ને ચોરી થયાનું માલુમ પડતા તેમને પોતાના પૈસા અને સોના ચાંદીના દાગીના તપસ્યા હતા. જેમાંથી બે સોનાની વીંટી, ચાંદીની બંગડી ,સોનાની બુટી,બાળકીની ચાંદીની જાંજરી, બાધા રૂપિયા ત્રણેક હજાર સહીત રૂપિયા 10 હજાર નું પરચુરણ વિગેરે ગાયબ જનતા આ વિગતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવાની મકાન માલિકે તજવીજ હાથ ધરી છે.

બોક્સ: રોકડ સહીત દાગીના બચી ગયા !
જેતલસર: બનાવ સ્થળે યુવા પત્રકાર કશ્યપ જોશી ને માહિતી આપતા મકાન માલિક ભરત સોલંકીએ જણાવેલ કે જે કબાટ તસ્કરોએ તોડ્યો તેમાજ એક અન્ય લોકરમાં રૂપિયા 50,000 રોકડા, એક સોનાનો ચેઈન હતો તે તસ્કરોના ધ્યાને નહિ આવતા બચી ગયા છે. હજુ આઠ થી દસ દિવસ પહેલાજ તાલુકાના પીઠડીયા ગામેથી જેતપુરમાં માહિર-2 માં રહેવા આવેલા ભરતભાઈએ વધુમાં જણાવેલ કે નવો વિસ્તાર હોય તે તેમના પત્નીને પીઠડીયા રાત રોકોવા મૂકી આવ્યા હતા. તસ્કરોએ પાડોશી ભાવેશભાઈના દરવાજાને બહારથી સ્ટોપર વાસી તેના ઘરમાં પ્રવેશ્યા હતા.આમ રેઢું ઘર ભાળી જતા તસ્કરો ફાવી ગયા હતા.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

જેતપુરમાં મકાન માલિક વાન લઈને ફેરો કરવા ગયા ને
તસ્કરો મકાનમાં હાથફેરો કરી ગયા
રોકડ રૂ.10000 સહીત હજારોની ચોરી
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર) તા. 21
ગઈ કાલે જેતપુરમાં મોડી રાત્રીના એક રેઢા મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ
રકમ રૂપિયા 10 હજાર સહીત હજારોની મત્તા ચોરી જતા પોલીસે ફરિયાદ લેવાની
તજવીજ હાથ ધરી છે.
આ બાબતે રૂબરૂ મેળવાયેલી વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ ઉપર, કેનાલ
કાંઠે આવેલ માહિર-2 ના બ્લોક નંબર G-4 માં રહેતા અને મારુતિ વાન ભાડે
ચલાવવાની મજુરી કરતા ભરતભાઈ ઓઘડભાઈ સોલંકી-કોળી ગત રાત્રીના 8 વાગ્યે
કાલાવડ પંથકના ટોડા ગામનું ભાડું લઈને નીકળ્યા હતા.
ઘરને તાળા વાસી ઉક્ત ગામેથી આજે સવારે ઘરે પરત આવ્યા ત્યારે તેમના મકાનના
દરવાજો તૂટેલો જોયો હતો.
દરમિયાન ઘરમાં તપાસ કરતા તૂટેલા કબાટની ચીજ વસ્તુઓ, કપડાલત્તા વેરવિખેર
પડેલા જોવા મળતા ભરતભાઈ ને ચોરી થયાનું માલુમ પડતા તેમને પોતાના પૈસા અને
સોના ચાંદીના દાગીના તપસ્યા હતા. જેમાંથી બે સોનાની વીંટી, ચાંદીની બંગડી
,સોનાની બુટી,બાળકીની ચાંદીની જાંજરી, બાધા રૂપિયા ત્રણેક હજાર સહીત
રૂપિયા 10 હજાર નું પરચુરણ વિગેરે ગાયબ જનતા આ વિગતોએ પોલીસમાં ફરિયાદ
નોંધાવાની મકાન માલિકે તજવીજ હાથ ધરી છે.

બોક્સ: રોકડ સહીત દાગીના બચી ગયા !
જેતલસર: બનાવ સ્થળે યુવા પત્રકાર કશ્યપ જોશી ને માહિતી આપતા મકાન માલિક
ભરત સોલંકીએ જણાવેલ કે જે કબાટ તસ્કરોએ તોડ્યો તેમાજ એક અન્ય લોકરમાં
રૂપિયા 50,000 રોકડા, એક સોનાનો ચેઈન હતો તે તસ્કરોના ધ્યાને નહિ આવતા
બચી ગયા છે. હજુ આઠ થી દસ દિવસ પહેલાજ તાલુકાના પીઠડીયા ગામેથી જેતપુરમાં
માહિર-2 માં રહેવા આવેલા ભરતભાઈએ વધુમાં જણાવેલ કે નવો વિસ્તાર હોય તે
તેમના પત્નીને પીઠડીયા રાત રોકોવા મૂકી આવ્યા હતા. તસ્કરોએ પાડોશી
ભાવેશભાઈના દરવાજાને બહારથી સ્ટોપર વાસી તેના ઘરમાં પ્રવેશ્યા હતા.આમ
રેઢું ઘર ભાળી જતા તસ્કરો ફાવી ગયા હતા.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી: