------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Monday, October 29, 2012 12:59:28 PM GMT+0800
Subject: એજન્ટને સત્તાવાર અધિકાર છે..?
પ્રોપર્ટીનો સોદો ફોક થાય તો ડિપોઝિટ જપ્ત કરવા સેલર હકદાર
- રાજેશ મહેતા
કોઇ પ્રોપર્ટી પેટેના દસ્તાવેજમાં ખરીદદાર અને વેચાણકાર વચ્ચે થયેલા કરારમાં અર્નેસ્ટ મની ડિપોઝિટ જપ્ત કરવાની શરત હોય તો વેચાણકાર તેમ કરી શકે છે અને ચૂકવેલી રકમ પાછી માગવાનો ખરીદદારને હક્ક નથી હોતો, પછી અર્નેસ્ટ મની ડિપોઝિટની રકમ ભલે ગમે તેટલી હોય. આ મુદ્દે દિલ્હી હાઇ કોર્ટે કરેલા નિરીક્ષણને સુપ્રીમ કોર્ટે અમાન્ય રાખ્યા હતા અને વેચાણકાર દ્વારા અર્નેસ્ટ મની
ડિપોઝિટની રકમ પરત નહીં કરવાના નિર્ણયને યથાર્થ ઠેરવ્યો હતો. નવી દિલ્હી ખાતે રહેતા સુધીર રાવલે (પ્રતિવાદી) પંજાબી બાગમાં એક ફ્લેટ ખરીદવા માટે સતીશ બત્રા (અરજદાર) સાથે કરાર કર્યા હતા. ફ્લેટની કિંમત રૂ. ૭૦ લાખ મૂકી હતી. આ માટે રાવલે ફ્લેટની કિંમતના ૧૦ ટકા એટલે રૂ. ૭ લાખ અર્નેસ્ટ મની ડિપોઝિટ તરીકે ચૂકવ્યા હતા. જો કોઇ કિસ્સામાં ખરીદનાર બાકીની રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો
ડિપોઝિટની રકમ સેલર તેને પરત નહીં કરે અને જો સેલર ફ્લેટનો કબજો આપવામાં નિષ્ફળ જાય તો ડિપોઝિટની બમણી રકમ ચૂકવવાની કરારમાં શરત નક્કી કરાઇ હતી. પ્રસ્તુત કેસમાં ફ્લેટ ખરીદનાર બાકીની રકમ ચૂકવી ન શકતા વેચનારે ડિપોઝિટની રકમ જપ્ત કરી હતી. આની સામે ફ્લેટ ખરીદનારે સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી હતી. નીચલી અદાલતે અર્નેસ્ટ મની ડિપોઝિટ નહીં ચૂકવવાના વેચાણકારના નિર્ણયને માન્ય
કર્યો હતો. આ નિર્ણય સામે ખરીદનારે દિલ્હી હાઇ કોર્ટમાં અપીલ કરી હતી. હાઇ કોર્ટે વેચાણકારને માત્ર રૂપિયા પ૦,૦૦૦ જ જપ્ત કરવા અને બાકીના રૂપિયા ૬.૫૦ લાખ અર્નેસ્ટ મની ફ્લેટ ખરીદનારને પરત કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અગાઉ ફતેહચંદ વિરુદ્ધ બાલકિશન દાસના એક કિસ્સામાં આપેલા ચુકાદાને આધાર બનાવી હાઇ કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો ફગાવી દઇ ખરીદનારની તરફેણમાં ચુકાદો આપ્યો
હતો. હાઇ કોર્ટના ચુકાદા સામે ફ્લેટ વેચનાર સતીશ બત્રાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બંને પક્ષને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જે ચુકાદાને આધાર બનાવ્યો હતો તે પ્રસ્તુત કેસમાં બંધબેસતો નહીં હોવાનો મત આપ્યો હતો. અને આવા જ પ્રકારના કિસ્સાના પોતાની સમક્ષ આવેલા વિવિધ પ્રકારના કેસ તથા તેના આવેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધા હતા. જે કેસને સુપ્રીમ કોર્ટે
ધ્યાનમાં લીધા હતા તેમાં દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્ધ ગૃહસ્થાપના કોઓપરેટિવ ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિ. વી. લક્ષ્મણ વિરુદ્ધ બી. આર. મંગલગીરી તથા અન્યોના કેસનો સમાવેશ થતો હતો.
એજન્ટને પ્રીમિયમ એકત્ર કરવાનો સત્તાવાર અધિકાર છે..?
આજે વ્યાપાર-ઉદ્યોગમાં કમિશન એજન્ટનું ઘણું મહત્ત્વ છે. એજન્ટના આ કાર્યના બદલામાં એને નિશ્ચિત કમિશન મળે પણ ગ્રાહક પૈસા ન આપે કે કંપની ફડચામાં જાય તો આ એજન્ટની કશી જવાબદારી નથી. એજન્ટ ગ્રાહક અને કંપની બંનેનું 'હિત' જાળવવા સઘન પ્રયત્ન કરે પણ એની ફરજ નથી અને કાયદેસર જવાબદારી નથી. આજે ગ્રાહક-સુરક્ષા કાયદા હેઠળ એવા અનેક કેસ નોંધાયા છે, જેમાં ક્લેમની જવાબદારી અન્ય પર લાદે
છે. ગ્રાહકોને દલાલ અને એજન્ટ વચ્ચેના તફાવતની જાણ હોતી નથી. કોન્ટ્રેક્ટ એક્ટની ૧૮૨ની કલમ પ્રમાણે એજન્ટ એ છે કે જે માલિક/ પ્રિન્સિપાલના દર્શાવ્યા પ્રમાણે અન્ય કે ત્રીજી વ્યક્તિઓ સાથે એના વતી વ્યવહાર કરે છે. એજન્ટની સર્વપ્રથમ એ ફરજ બની રહે છે કે જે એણે પોતાના માલિક/ પ્રિન્સિપાલે જે સત્તા સોંપી હોય તે મર્યાદાની અંદર જ કાર્ય કરવાનું રહે છે. હવે આપણે ત્યાં એવું બને છે કે
ગ્રાહક વીમા એજન્ટને પ્રીમિયમનો ચેક આપી દે છે. એને એમ કે ચાલો એક કામ તો પત્યું સમયસર. પ્રીમિયમ તો ભરાઈ ગયું. પછી પ્રીમિયમની રસીદ આવી કે નહીં એજન્ટને એ બાબતમાં પૂછવું જોઈએ એવી વિગતો જ નજીવી ગણાય છે. અનેક પોલિસી-હૉલ્ડર પોતાનાં પ્રીમિયમના ચેકો એજન્ટને આપે છે, પણ એજન્ટ વીમાનો પ્રીમિયમનો ચેક પોતાની પાસે રાખે, સમયસર 'ડ્યૂ-ડેટ' પર ન ભરે, એ દરમિયાન પોલિસી-હોલ્ડરનું મૃત્યુ થાય
તો શી પરિસ્થિતિ થઈ શકે છે એનો આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. વીમાની રકમ પર જ જેનો આધાર હોય તેવા વારસદારોને રાતા પાણીએ રોવાનો વખત આવે. ઉપરોક્ત બાબત જેવી પરિસ્થિતિ અંગે ૧૯૯૭માં સુપ્રીમ કોર્ટે હર્ષદ જે. શાહ વિ. જીવનવીમા નિગમના કેસમાં જણાવ્યું હતું કે એજન્ટને જીવનવીમા નિગમ વતી પ્રીમિયમ એકત્ર કરવાનો અધિકાર નથી, જેથી પોલિસી હોલ્ડરના મૃત્યુ પછી પ્રીમિયમ ભરાયેલું હોવાથી
પોલિસી હેઠળ વીમાની રકમ લેવાને પાત્ર નથી. એનો દાવો રદ થાય છે. એજન્ટ વીમાની પોલિસીના ફાયદાઓ અને શરતોની જાણ ગ્રાહકને કરે છે. મેડિક્લેમ પોલિસીમાં ગ્રાહકે પોતાના સ્વાસ્થ્ય અંગે પૂરી માહિતી આપવી આવશ્યક છે. નહીં તો કોઈ રોગ વિશે માહિતી ન આપી હોય તો દાવો રદ થઈ શકે છે. પ્રપોઝલ ફોર્મ ગ્રાહક સહી કરી આપે એટલે પોલિસી મળી જતી નથી પણ કંપનીએ સ્વીકારવી જોઈએ. સવાલ એ છે કે વીમા એજન્ટ
પોલિસી-હોલ્ડર પાસેથી પ્રીમિયમ એકત્ર કરવાની સત્તા ધરાવે છે? આજે ભારતમાં અનેક નાનાંમોટાં ગામડાઓ અને શહેરોમાં જીવનવીમા નિગમના કાર્યાલયો નથી. વળી સગવડતા માટે ઘણીવાર એજન્ટને જ પ્રીમિયમ આપવામાં આવે છે. પોલિસી હોલ્ડરોએ લક્ષમાં રાખવાનું કે તેઓ અંધારામાં ન રહે. એજન્ટને પ્રીમિયમ આપી દીધું છે માટે વીમા કંપનીમાં જમા થઈ ગયું છે એવો વિશ્વાસ ન રાખતાં તેઓએ રસીદ માટે આગ્રહ
રાખવાનો જ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો