અનુયાયીઓ

મંગળવાર, 30 ઑક્ટોબર, 2012

ડેંગૂ કારણ, લક્ષણ અને આયુર્વેદિક ઈલાજ

------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Tuesday, October 30, 2012 12:42:34 PM GMT+0800
Subject: ડેંગૂ કારણ, લક્ષણ અને આયુર્વેદિક ઈલાજ

ડેંગૂ કારણ, લક્ષણ અને આયુર્વેદિક ઈલાજ

ડેંગૂએ
સૌ પહેલા મહામારીના રૂપમાં ઈ.સ. 1780માં હુમલો કર્યો ત્યારે એશિયા,
આફ્રિકા તથા ઉત્તરી અમેરિકામાં એક સાથે આ રોગ ફેલાયો. આ રોગને 1779માં ઓળખી
લેવામાં આવ્યો અને નામ પણ આપી દેવામાં આવ્યું હતું. 1950ના દશકામાં એ
દક્ષિણ પૂર્વ એશિયામાં સતત મહામારીના રૂપમાં
ફેલાવાનું શરૂ થયું તથા 1975 સુધી ડેંગૂ હેમરેજતાવ, જે ઘણા બાળકોના
મૃત્યુનું કારણ બન્યો હતો. 1990ના દશક સુધી ડેંગૂ, મલેરીયા પછી મચ્છરો
દ્વારા ફેલાતો બીજો સૌથી મોટો રોગ બની ગયો, જેનાથી વર્ષમાં 4 કરોડ લોકોને
અસર થાય છે, તો ડેંગૂ હેમરેજતાવના પણ હજારો કેસ સામે આવે છે. વિષાણું
મચ્છરો દ્વારા માનવ શરીરમાં પહોંચે છે. ડેંગૂ એક બીમારી છે, જે એડીઝ
એઝિપ્ટી મચ્છરોના ડંખથી થાય છે. આ રોગમાં
ખૂબ તાવની સાથે શરીરમાં લોહીના ધાબા થવા લાગે છે.

લક્ષણ –
અચાનક ખૂબ તાવ, શરીર કળવું, માથાનો દુખાવો, માંસપેશીઓ અને સાંધાનો દુખાવો
થવો, આ બધાં પ્રાંરંભિક લક્ષણો છે. એક બજા પ્રકારનો ડેંગૂ, જેને
હેમરેજિકડેંગૂ કહેવાય છે, તેમાં રક્તસ્ત્રાવના લક્ષણ તથા બેહોશીના લક્ષણ
પ્રતીત થાય છે. શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાય.

ડેંગૂથી બચવા માટે – ડેગૂથી બચવા માટે
મચ્છરોથી બચવું વધારે જરૂરી છે, જેનાથી ડેંગૂના વાયરસ ફેલાય છે.

-
પાણી જમા થવા ન દેવું જોઈએ, જેમ કે પ્લાસ્ટિક બેગ, કેન, પાણી ભરેલા વાસણો
કે કૂલરમાં જમા થયેલું પાણી તેનું કારણ બને છે. આવી જગ્યાએ પાણી ન ભરાય
તેનું ખાસ ધ્યાન રાખો.

- મચછરોથી બચવાના દરેક પ્રયત્ન કરવા જોઈએ,
જેમ કે મચ્છરદાની લગાવવી, પૂરાં કપડાં પહેચરવાં વગેરે. ઋતુપરિવર્તનના
સમયમાં તમે ક્યાંય બહાર જઈ રહ્યાં છો
તો મચ્છરથી બચવા માટેના સાધનો સાથે રાખો.

તમારા ઘરની આસપાસ જો ક્યાંય પાણી ભરાયેલું રહી જાય છે, તો ત્યાં સ્વચ્છતાનો ખાસ ખ્યાલ રાખવો.

- મચ્છર પૈદા થવાથી રોકાયેલા દરેક પ્રયત્ન કરો.

5 દિવસથી વધારે સમય સુધી તાવ હોય તો લોહીની તપાસ જરૂર કરાવો. ડેંગૂ જીવલેણ બીમારી છે.

આયુર્વેદિક ઉપાય

ડેંગૂની
તરત ડોક્ટરી સારવાર
લેવી જ હિતાવહ છે, પણ આધૂનિક મેડિકલ રોગ થયા પછીના ઉપાય કરે છે જ્યારે
આયુર્વેદ એવું શાસ્ત્ર છે જેમણે વિશેષ રીતે રોગ ન આવે તેના ઉપાયો જણાવ્યા
છે. ડેંગૂ જેવા તાવ તમારા પર એટલે હાવી થાય છે કે ઘરમાં જંતુનાશક કોઈ
વાતાવરણ ન હોય તથા શરીરમાં રોગપ્રતિકારતા ઓછી હોય. આ માટે શું કરશો....

- સૌ પ્રથમ તો આ ડેંગૂ દૂર કરવા માટે તમારા ઘરમાં એક સપ્તાહમાં બે વાર લીમડાના પાનનો ધૂપ કરો તેમાં
નાગરવેલના પાન અને અજમા નાખીને ઘરમાં ધૂપ કરો.

- મચ્છરોથી બચવા માટે મચ્છરદાની ખાસ રાખો અને મચ્છરદાની લીમડાના પાનના પાણીથી ધોયેલી રાખો.

-
તમારા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ પાંચથી સાત પાન તુલસીના
અને બારથી પંદર પાન લીમડાના મિક્ષ કરી, તેનો રસ બનાવી અને દરરોજ સવારે
પીવો.

- ઋતુ પરિવર્તનના આ કાળમાં તમારી 'જીવનશક્તિ' જાળવી રાખો. તેનો વેડફાડ એટલે શરિરને
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વધારે ઝઝૂમવું.

- ક્યાંય પણ બહાર નીકળો ત્યારે મોં પર કપડું કે રૂમાલ રાખી દો જેથી રોગીષ્ટ રજકણ તમારા શરીરમાં ન પ્રવેશે.

- પ્રાણાયામ ખાસ કરો, આથી શરીરમાં શક્તિનો સંચાર અને રક્તનું પ્રવાહનિયમન જળવાઈ રહે.

ટિપ્પણીઓ નથી: