અનુયાયીઓ

મંગળવાર, 3 એપ્રિલ, 2012

સ્વીસ-ઓરલીકોન કંપની ગુજરાતમાં ઓટો-ગીયર્સ પાર્ટ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવા તત્પર મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી દરખાસ્ત


સ્વીસ-ઓરલીકોન કંપની ગુજરાતમાં ઓટો-ગીયર્સ પાર્ટ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવા તત્પર
મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરી દરખાસ્ત
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા સ્વીટ્ઝરલેન્ડની ઓસી ઓરલીકોન ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપના ચેરમેન શ્રીયુત ટીમ સુમેર્સએ ગુજરાતમાં ઓટોમોબાઇલ્સ ક્ષેત્રે ડ્રાઇવ સીસ્ટમ ઇન વ્હીકલ ગીયર્સના મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સ્થાપવાની તત્પરતા વ્યકત કરી હતી. સ્વીસની ઓરલીકોન કંપનીના ગુજરાતમાં ઓટો ગીયર્સ મેન્યુફેકચરીંગ પ્લાન્ટમાં સો ટકા વિદેશી મૂડીરોકાણ થશે અને ૧૦૦૦ યુવાનો માટે રોજગારીની તકો પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીશ્રીએ ઓરલીકોન સ્વીટ્ઝરલેન્ડનો ઓટો ગીયર્સ મેન્યુફેકચરીંગ પ્લાન્ટ ઝડપથી કાર્યરત થાય તે માટે રાજ્ય સરકારના નીતિવિષયક સહયોગની રૂપરેખા આપી હતી.
પ્રસંગે ઉઘોગના અગ્ર સચિવશ્રી એમ. શાહુ પણ ઉપસ્થિત હતા.
રાજ્યના છેવાડાના  ગામો સુધી જમીન માપણીની ઝડપી અને ત્વરિત કામગીરી માટે અઘતન વાહન સુવિધા કારગત નીવડશે મહેસુલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ
જમીન-દફતર ખાતાના નવીન ૩૦ વાહનોનું પ્રસ્થાન કરાવતા મહેસુલમંત્રીશ્રી
ગાંધીનગરઃ મંગળવારઃ મહેસુલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજે ગાંધીનગર ખાતે જમીન દફતર ખાતાના નવીન ૩૦ વાહનોનું પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રસંગે યોજાયેલ સમારોહમાં મહેસુલ મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના છેવાડાના ગામો સુધી જમીન માપણીની ઝડપી અને ત્વરિત કામગીરી માટે અઘતન વાહન સુવિધા ખૂબજ કારગત નીવડશે.
શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું કે, જમીન દફતર ખાતામાં રાજ્યથી માંડીને ગ્રામ્ય કક્ષાએ અંદાજીત ૪૯૮ જેટલી કચેરીઓ કાર્યરત છે. છેક ગ્રામ્ય સ્તર સુધી કામગીરીનો વ્યાપ ધરાવતાં ખાતામાં પરિવહનની જરૂરિયાત સંતોષી રાજ્ય સરકારે મહત્તમ કામગીરી માટે ખૂબજ સરળતા કરી છે.
જમીન દફતર અને મહેસૂલી વહીવટી તંત્રમાં થતી રી-સરવેની કામગીરીના ખૂબજ સારા પ્રતિભાવ જનસમાજમાંથી સાંપડયા છે, તેમ જણાવી મહેસુલમંત્રી શ્રીમતિ પટેલે ઉમેર્યું કે, જમીન માપણી અને નિભાવણીની રાજ્યમાં ચાલતી કામગીરીનો અભ્યાસ કરી તેને અનુસરવા અન્ય રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આવે છે તે આપણા માટે ગૌરવની વાત છે.
એક સાથે જમીન દફતર નિયામકની કચેરીમાં રાજ્ય વ્યાપી  કામગીરી માટે ત્રીસ જેટલાં વાહનો ફાળવતાં અધિકારીઓને પરિવહનમાં સગવડતા, કાર્યભારણ માટેનું આયોજન, કોર્ટ કેસો રી-સર્વેની કામગીરી અને જિલ્લા-રાજ્યના તંત્ર સાથે કામગીરી સંકલન ખૂબજ સરળતાથી સગવડભર્યું બનશે તેમ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું.
મહેસુલ વિભાગના અગ્રસચિવ શ્રી સી. એલ. મીનાએ આવકાર પ્રવચનમાં જણાવ્યું કે, વધતી જતી જરૂરિયાત તથા વિકાસને પહોંચી વળવા ખૂબજ ત્વરાથી અને આધુનિક સાધનોથી જમીન-માપણી સંબંધી કામગીરી થાય તે માટે પરિવહન એક અગત્યનું પરિબળ છે. તેમણે જમીન દફતર ખાતામાં ૩૦ જેટલાં વાહનોની સુવિધા એકસાથે ઉપલબ્ધ બની તેને પ્રથમ ધટના ગણાવી આધુનિક સાધનોથી સુસજ્જ ખાતાના કર્મયોગીઓને પ્રજાલક્ષી કાર્યો સમયમર્યાદામાં થાય તે માટે અંગત કાળજી લેવા પણ સૂચન કર્યું હતું.
સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક શ્રી એમ. વી. ગુપ્તાએ અઘતન વાહનોની સુવિધા, જમીન દફતર ખાતામાં થયેલ ૩૭૩ સર્વેયરોની ભરતી બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને દીનદયાળ સરવે તથા મહેસુલ વહીવટ સંસ્થાને સ્પીપા જેવી અઘતન તાલીમ સંસ્થા બનાવવાની નેમ વ્યક્ત કરી તેના આયોજનની વિગતો આપી હતી.
પ્રસંગે સેટલમેન્ટ કમિશનર, જમીન દફતર નિયામક તથા મહેસુલ વિભાગની કચેરીના કર્મચારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારનાં અસરકારક વ્યવસ્થાપનનાં ફળદાયી પરિણામ
ગુજરાતનાં ભિલાડ ચેકપોસ્ટની સતત ૧૧ માં વર્ષે વધુ આવક
છેલ્લા ૧૧ વર્ષમાં મહારાષ્ટ્રનાં અછાડ કરતાં ગુજરાતનાં ભિલાડે ૫૦૦ કરોડથી  વધુની આવક નોંધાવી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનાં અગત્યનાં ચેકપોસ્ટ ઉપર અમલી બનાવેલ અસરકારક વ્યવસ્થાપનનાં ફળદાયી પરિણામો મળ્યા છે. ગુજરાત-મહારાષ્ટ્રની સીમા પર અમદાવાદ-મુંબઈ રાષ્ટ્રિય ધોરીમાર્ગ નં-૮ પર આવેલી ગુજરાતની ભિલાડ ચેકપોસ્ટે સતત ૧૧ માં વર્ષે પણ તેનાથી માત્ર દોઢ કિલોમીટરનાં અંતરે આવેલ મહારાષ્ટ્રની અછાડ ચેકપોસ્ટ કરતાં વધુ આવક નોંધાવી છે.
વર્ષ ૨૦૧૧-૧૨ દરમ્યાન ભિલાડ ચેકપોસ્ટે રૂ. ૬૯ કરોડ ૨૮ લાખ ૮ હજાર ૮૧૭  ની આવક નોંધાવી છે જેની સામે અછાડ તપાસ નાકાની આવક રૂ.૪૫ કરોડ ૭૪ લાખ ૪૮ હજાર ૬૬૬ જેટલી રહી છે. ભિલાડ સતત ૧૧ વર્ષથી અછાડને આવકનાં મામલે મ્હાત આપી રહ્યું છે. ૨૦૦૧-૦૨ થી લઈને અત્યાર સુધીમાં ભિલાડની આવક રૂ.૮,૧૧,૮૭,૪૩,૮૫૯ જેટલી રહી છે, જેની સામે આ સમયગાળા દરમ્યાન અછાડની આવક રૂ.૩,૦૭,૪૬,૭૩,૦૯૪ જેટલી રહી છે. આમ, છેલ્લા ૧૧ વર્ષમાં મહારાષ્ટ્રનાં અછાડ કરતાં ગુજરાતનાં ભિલાડે ૫૦૦ કરોડથી  વધુની આવક નોંધાવી છે.
અત્રે નોંધનીય છે કે આશરે ૧૩,૦૦૦ જેટલા વાહનો દૈનિક ધોરણે આ માર્ગેથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે છે. ઓક્ટોબર ૨૦૦૧ માં મુખ્યમંત્રીશ્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવા અગત્યનાં તપાસ નાકાઓ પર ફરજરત કર્મચારીઓમાં નાણાકિય શિસ્ત બાબતે વિશેષ ધ્યાન આપ્યું છે. તપાસ નાકાઓ પર દેખરેખ વધારી દેવામાં આવી છે જેના પરિણામ આવક વધવા પામી છે. ભિલાડ તપાસ નાકાનાં ઈન-ચાર્જ એચ.આઈ.બેરાવાલા તથા તેમનાં કર્મચારીઓની મહેનત રંગ લાવી છે. 

ટિપ્પણીઓ નથી: