અનુયાયીઓ

બુધવાર, 28 માર્ચ, 2012

ખેડુત ખાતેદારને હવે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્‍દ્રમાંથી નમૂના નં.૭ અને નં.૧૨ની નકલ મળી રહેશે


જમીન વહીવટ સરળતાના ભાગરૂપે
ખેડુત ખાતેદારને હવે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્‍દ્રમાંથી નમૂના નં.૭ અને નં.૧૨ની નકલ મળી રહેશે
અમરેલી 
જમીન વહીવટ સરળતાના ભાગરૂપે રાજ્ય સરકારે જમીન રેકર્ડના ગામ નમૂના નં./૧૨માંથી ગામ નમૂના નં.૧૨ને અલગ કરતા, ગામ નમૂના નં.૧૨ની નિભાવણી તલાટી દ્વારા કરવામાં આવનાર હોય, ગ્રામ્ય કક્ષાએ -ગ્રામ કેન્દ્રોમાંથી ગામ નમૂના નં. અને ૧૨ની નકલ મળી રહેશે. જ્યારે તાલુકા મથકે આવેલ -ધરા કેન્દ્ર ખાતેથી ફક્ત ગામ નમૂના નં.૭ની નકલ મળી રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા અમરેલી-કલેક્ટરશ્રી ડી.. સત્યાની યાદીમાં જણાવાયુ છે.   

ગામનું પાણી બતાવવાની તક !!
વાસ્‍મો દ્વારા રાજયની શ્રેષ્‍ઠ પાણી સમિતિઓને પુરસ્‍કૃત કરાશે
પોરબંદર 
રાજયના છેવાડાના ગ્રામીણ વિસ્‍તારોમાં લોકભાગીદારીથી પાણી વિતરણ વ્‍યવસ્‍થાનું સુચારૂ માળખું તૈયાર કરવાની નેમથી કાર્યરત વાસ્‍મો દ્વારા રાજયના જુદા જુદા વિસ્‍તારોમાં પાણી વિતરણ સમિતિઓ દ્વારા લોકોને પીવાનું પાણી નિયમિત ઉપલબ્‍ધ કરાવાય છે.જેને પ્રોત્‍સાહિત કરવાના ભાગરૂપે શ્રેષ્‍ઠ પાણી સમિતિ પુરસ્‍કાર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે અન્‍વયે જુદા જુદા સ્તરે પાણી સમિતિઓની હરીફાઇ યોજાશે.તેમાંથી જિલ્‍લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને રાજય કક્ષાએ શ્રેષ્‍ઠ પાણી સમિતિઓની પસંદગી કરી તેઓને પુરસ્‍કાર અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાશે.
ગ્રામ સ્‍તરે પીવાના સ્‍વચ્‍છ પાણી અને સ્‍વચ્‍છતાના વ્‍યવસ્‍થાપન અર્થે સને ૨૦૦૨માં વાસ્‍મોની રચના કરવામાં આવી હતી. વાસ્‍મો દ્વારા ગામલોકો પોતાની ગ્રામ્‍ય પાણી પુરવઠા યોજનાઓ બનાવી તેના સુચારૂ સંચાલન વડે ઘરોઘર પીવાનું પાણી પહોંચતું કરી રહયા છે.લોકભાગીદારીથી સંચાલીત આ યોજના અન્‍વયે અમલી પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણી ની જવાબદારી પણ ગ્રામજનોની હોય છે. ગુણવત્તાસભર પાણી વ્‍યવસ્‍થાપનની તેઓની કાર્યક્ષમતામાં દિનપ્રતિદિન વધારો થાય તથા દર વર્ષે સમિતિઓની કામગીરીનું મેલ્‍યાંકન થાય તથા સારૂ કાર્ય કરતી સમિતિઓને પ્રોત્‍સાહન મળી રહે તે હેતુંથી આ યોજના શરૂ કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતાં વાસ્‍મોના મુખ્‍ય કારોબારી અધિકારી શ્રી યુ.આર.પંડયા એક યાદીમાં જણાવ્‍યુંછે કે આ યોજના ત્રણ તબ્‍બકામાં અમલી બનશે.  જેમાં સૌ પ્રથમ જિલ્‍લા કક્ષાએ હરીફાઇ થશે.જેમાં નક્કિ કરેલા માપદંડોને આધારે ચકાસણી કરી શ્રેષ્‍ઠ ત્રણ પાણી સમિતિઓ પસંદ કરવામાં આવશે. જેનું પરીણામ જુન-જુલાઇ ૨૦૧૨માં જાહેર થશે. આ શ્રેષ્‍ઠ સમિતિઓની ઝોનમાં આવેલ અન્‍ય શ્રેષ્‍ઠ પાણી સમિતિઓ સાથે હરીફાઇ થશે.જેનું પરિણામ ઓકટોબર-નવેમ્‍બર ૨૦૧૨માં જાહેર થશે.ત્‍યારબાદ દરેક ઝોનમાંથી પસંદ થયેલ શ્રેષ્‍ઠ સમિતીઓ વચ્‍ચે હરીફાઇ યોજાશે.જેનું પરીણામ જાન્‍યુઆરી-૨૦૧૩માં જાહેર થશે.જિલ્‍લા કક્ષાએ પ્રથમ દ્વિતિય અને તૃતિય ક્રમે પસંદ થયેલી શ્રેષ્‍ઠ ત્રણ પાણી સમિતિને અનુક્રમે રૂપીયા ૫૦૦૦, ૩૦૦૦ તથા ૨૦૦૦ તથા પ્રમાણપત્ર એનાયત થશે. ઝોન કક્ષાએ પસંદ થયેલી શ્રેષ્‍ઠ ત્રણ સમિતિઓને અનુક્રમે દસ હજાર,સાત હજાર અને પાંચ હજાર તથા પ્રમાણપત્ર જયારે રાજય કક્ષાએ પ્રથમ દ્વિતિય અને તૃતિય ક્રમે પસંદ થયેલી શ્રેષ્‍ઠ ત્રણ પાણી સમિતિને અનુક્રમે રૂપીયા પચીસ હજાર, વીસ હજાર તથા પંદર હજાર નો રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર એનાયત કરાશે. ગત વર્ષે ગત વર્ષે પોતાની યોજના પૂર્ણ કરી તેનું યોગ્‍ય રીતે નિભાવણી તથા મરામત કરનાર સમિતિઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે.
ઉલ્‍લેખનિય છેકે રાજય કક્ષાએ કુલ ૧૭૭૯૬ ગામોમાં આવી પાણી સમિતીઓની રચના થઇ ચુકી છે. જયારે ૮૪૪૮ ગામેની લોકભાગીદારીથી સંચાલીત પોતાની આગવી યોજનાપૂર્ણ થઇ ચુકી છે. લોકભાગીદારીના આ અભિગમને સર્વત્ર વ્‍યાપક આવકાર સાંપડી રહયો છે તથા તેના સકારાત્‍મક પરિણામો પણ મળી રહયા છે. હાલ આ યોજના વડે લોકભાગીદારીથી વિકાસના ફળને ચાખ્‍યા બાદ લોકો પોતાના આગવા જ્ઞાનનો ઉપયોગ કરી અન્‍ય વિકાસના કામો પણ હાથ ધરી રહયા છે. માત્ર ભૌતિક પાણીના વિતરણ ઉપરાંત સમિતિઓ દ્વારા જળ સંચય અને બચાવ અર્થે પાણીની કુલ ઉપલબ્‍ધતા, ગામની જરૂરીયાત નક્કિ કરી વધારાના જળના સંચયની યોજનાઓ પણ તૈયાર થવા લાગી છે.જે આ યોજનાની વિશેષ ઉપલબ્‍ધી ગણાવી શકાય. ૨૦૧૦માં કાપામ આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ, ૨૦૦૯માં યુનાઇટેડ નેશન્‍સ પબ્લીક સર્વીસ એવોર્ડ જેવા પ્રતિષ્‍ઠીત આંતર રાષ્‍ટ્રીય એવોર્ડ ઉપરાંત વહીવટી ઉતકૃષ્‍ટતા માટે પાણી સમિતિઓને પ્રોત્‍સાહિત કરવાના આયોજન માટેનો વર્ષ ૨૦૦૮માં પ્રધાનમંત્રી પુરસ્કાર જેવા દેશ વિદેશના ઇનામોથી નવાજેશ પામેલી આ યોજનાની સફળતાને અનુસરવા અને માર્ગદર્શન મેળવવા દેશના અન્‍ય રાજયો પણ ગુજરાતની મુલાકાત લઇને રાજયના આ આગવા જળ મોડેલનો અભ્‍યાસ કરી રહયા છે. જે રાજય અને ગ્રામ્‍ય વિસ્‍તારના લાભાર્થીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે.
રાજયના જળ સંપત્તી વિભાગના સંસદિય સચિવશ્રી એલ.ટી.રાજાણીનો પોરબંદર ખાતેનો પ્રવાસ કાર્યક્રમ
પોરબંદર 
રાજયના જળ સંપત્તી વિભાગના સંસદિય સચિવશ્રી એલ.ટી.રાજાણી તા. ૩૧મીએ પોરબંદર ખાતે ચોપાટી મેદાન પર યોજાનાર માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહમાં ઉપસ્‍થિત રહેશે. ત્‍યારબાદ અનુકુળતાએ અન્‍ય કાર્યક્રમ અન્‍વયે પ્રસ્થાન કરશે.
 દેશ સેવા સાથે રોજગારીની ઉત્તમ તક
તા. ૧૮ થી ૨૫ એપ્રીલ દરમિયાન રાજકોટ ખાતે ભારતીય સૈન્યમાં વિવિધ કેટેગરી માટે ભરતીમેળો યોજાશે.
પોરબંદર જિલ્‍લાના ઉમેદવારો માટે તા. ૨૧મીએ ભરતી રાખેલ છે. 
પોરબંદર,. 
.આર્મી રીક્રુટમેન્‍ટ કચેરી જામનગર દ્વારા સીટી પોલીસ હેડકવાર્ટર, રેસકોર્સ ગ્રાઉન્‍ડ, રાજકોટ ખાતે આગામી તા.૧૮ એપ્રીલ થી ૨૫ એપ્રીલ સુધી સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને દિવ વિસ્‍તારમાં વસતા યુવાનો માટે મીલીટરીની સોલ્જર જનરલ ડયુટી, સોલ્‍જર ટેકનીકલ, સોલ્‍જર કલાર્ક, સોલ્‍જર ટેકનિકલ નર્સીંગ આસીસ્‍ટન્‍ટ તથા સૌલજર ટ્રેડમેન કેટગરીની ભરતી કરવા માટે જિલ્‍લાવાર મેળાનું આયોજન કરેલ છે.
ભરતી કાર્યક્રમ મુજબ તા. ૧૮ એપ્રિલે સુરેન્‍દ્રનગર, તા.૧૯ એપ્રિલે રાજકોટ, તા.૨૦મી એપ્રિલે જુનાગઢ, તા.૨૧ એપ્રિલે જામનગર પોરબંદર તથા કચ્છ, તા.૨૩ એપ્રિલે ભાવનગર તથા દીવ, તા.૨૪ એપ્રિલે અમરેલી જિલ્‍લાના તથા તા. ૨૫ એપ્રિલે ખાસ એન.સી.સી. સર્ટી. ધરાવતા તથા સ્‍પોર્ટસમેન રાજય/રાષ્‍ટ્રીય કક્ષાના તથા માજી સૈનિકોના ઉમેદવારોએ સવારે ૪-૩૦ કલાકે ભરતીના સ્‍થળે હાજર રહેવાનું રહેશે. પોતાના જરૂરી પ્રમાણપત્રો/દાખલા અસલ તથા તેની પ્રમાણિત ઝેરોક્ષ નકલો તેમજ તાજેતરના ફોટોગ્રાફસ સાથે સ્‍વખર્ચે હાજર રહેવા જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે. આ અંગેની વધુ વિગત માટે નજીકની જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવો. 
અગરીયા શ્રમિકોને રાહત દરે સાયકલ અપાશે
ભુજ, 
કચ્‍છમાં મીઠાના અગરોમાં કામ કરતા અગરીયા શ્રમિકોને ઓળખ કાર્ડ આપવામાં આવે છે. તેમ છતાં ઓળખ કાર્ડ આપવામાં બાકી રહી ગયા હોય તેવા શ્રમિકો જયાં કામ કરતા હોય તે એકમના માલિકનું પ્રમાણપત્ર તથા અન્‍ય કોઇ જગ્‍યાએથી ઓળખ કાર્ડ મળ્યું નથી તેવું સોગંદનામસાથે અરજદારે ભુજ ખાતેની સરકારી શ્રમ અધિકારીની કચેરી તથા અંજારની મદદનીશ સરકારી શ્રમ અધિકારીની કચેરી તેમજ ગ્રામ કક્ષએ શ્રમયોગી કલ્‍યાણ કેન્‍દ્ર મુકામે અરજી કરવી. અગરીયા શ્રમિકોને રાહત દરે સાયકલ આપવાની યોજના અમલમાં હોતા ૬૦૦ રુપિયાના ફાળા સાથે જણાવેલ કચેરીઓમાં સંપર્ક કરવા જણાવાયું છે.
જિલ્‍લા ઓર્ગેનાઇઝર કે.બી. સોઢાના જણાવ્‍યા અનુસાર, ગ્રામ કક્ષાએ અંજાર તા. માં કિડાણા, ખેડોઇ, ટપ્‍પર અને ભચાઉ તા. ના ચીરઇ, વાંઢિયા, જંગી, લાકડિયા. રાપર ઉપરાંત તા.ના ગાગોદર, આડેસર અને મુન્‍દ્રાના ભદ્રેશ્‍વર તેમજ અબડાસાના જખૌમાં સંપર્ક કરવા જણાવાયું છે.
કચેરીઓમાં સોમ તથા ગુરુવારે, રવિવાર તથા જાહેર રજાના દિવસે અરજી કરવી.

ટિપ્પણીઓ નથી: