અનુયાયીઓ

બુધવાર, 7 સપ્ટેમ્બર, 2011

જેતપુર નાઝીક ઘવાયેલા વૃદ્ધનું મોત

આજથી આધાર દિવસ પહેલા જેતપુર નાઝીકના એક અકસ્માતમાં ઘવાયેલા એક આહીર વૃદ્ધનું બે દિવસ પહેલ અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત થયાનું જેતપુર પોલીસ ના રણછોડભાઈ પટેલ જણાવે છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર ના ભાદરના સામા કાનથ વિસ્તારમાં રહેતા ભીમજીભાઈ આહીર ગઈ તારીખ ૨૦-૮-૨૦૧૧ ના રોજ પોતાના ભાઈ સાથે બાઈક ઉપર વીરપુર જલારામ બાજુ જઈ રહ્યા હતા ત્યારે જી જે ૨ વાય ૩૯૩૮ નંબરની બોલેરો કાર ચાલકે ભીમજીભાઈ ના બાઈક ને હડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ સાથે પ્રાથમિક સારવાર માટે જેતપુર સાકરી હોસ્પીટલમાં ખસેડાયા હતા.
ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને છેલ્લે અમદાવાદ લઇ જવાય હતા. જ્યાં સારવાર દરમિયાન ભીમજીભાઈ આહીર નું મોત થતા જેતપુર શહેર પોલીસે મૃતકના પુત્ર ભરતભાઈ ની ફરિયાદ પરથી ઉક્ત બોલેરો કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જેતપુર પોલીસ ના પોલીસ સ્ટેશન ઓફિસર રણછોડભાઈ પટેલે યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી: