અનુયાયીઓ

શુક્રવાર, 19 ઑગસ્ટ, 2011

કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકાર તો ગૌમાંસ માટે સબસીડી વહેંચે છે!!

શાંતિ અને વિકાસની યાત્રામાં પશુધનની સારસંભાળ લેનારા ગોપાલક પરિવારોને ઉશ્કેરીને ગેરમાર્ગે દોરનારા તત્વોના સ્થાપિત હિતો ખૂલ્લા પડી ગયા

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓનું નિવેદન

સમસ્ત માલધારી-ગોપાલક સમાજ તેના શાણપણ-વિવેક માટે અભિનંદનના અધિકારી

શેરથાના ગોપાલક સંમેલનનો સદંતર ફિયાસ્કો

માલધારી સમાજ દ્વારા જૂઠાણા ફેલાવનારા તત્વોને જોરદાર લપડાક પડી

ગૌવંશ અને અબોલ પશુધનની રક્ષા માટે ગુજરાત સરકારે દાખવેલી પ્રતિબધ્ધતા પથદર્શક છે

સર્વોચ્ચ અદાલતમાંથી ન્યાય મેળવીને ગૌવંશ રક્ષાનો કાયદો મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે અમલી બનાવ્યો

દર વર્ષે ર૭૦૦ પશુઆરોગ્ય મેળા પશુઓના મોતીયા અને દંતચિકિત્સાની સારવાર શસ્ત્રક્રિયા કરનારૂં એકમાત્ર ગુજરાત

ગૌવંશ રક્ષા કાનૂનના ભંગના ગૂના માટે ત્રણ વર્ષમાં ૧પ૪ પાસાના કેસો ૪૭રપ ગૂનેગારો જેલના સળીયા પાછળ

રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ગૌરક્ષાના નામે રાજ્ય સરકારને બદનામ કરવાના અને રાજકીય ઇરાદા પાર પાડવા નીકળી પડેલા તત્વોના શેરથામાં યોજાયેલા ગોપાલક સંમેલનની સ્વયંભૂ ઉપેક્ષા કરવા માટે સમગ્ર માલધારી સમાજે દાખવેલા શાણપણ અને વિવેકને અભિનંદન આપ્યા છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગૌરક્ષાના નામે પોતાના સ્થાપિત હિતોની રખવાળી કરવા નીકળી પડેલા કેટલાક તત્વો અને ગૌમાંસ માટે સબસિડી આપનારી કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારના એજન્ટોએ ગુજરાત સરકાર સામે જૂઠાણાં ફેલાવવાનું જે તોફાન ઉભૂં કર્યું હતું, તેવા માલધારી સમાજના નામે શેરથાના મહાસંમેલનનો મહાફિયાસ્કો કરીને સમગ્ર ગોપાલક-માલધારી સમાજે આવા તત્વોને જોરદાર લપડાક લગાવી દીધી છે. એક લાખ માલધારીઓ શેરથાના સંમેલનમાં ઉમટી પડીને ગુજરાત સરકારને ગૌવંશ સામે ભીડવશે એવી શેખી મારનારા બની બેઠેલા આગેવાનો અને તેમને પોષનારા તત્વોની સાન માલધારી સમાજે ઠેકાણે લાવી દીધી છે.

શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે જ સંપૂર્ણ ગૌવંશ રક્ષા માટેનો કાયદો લાવવા છેક સર્વોચ્ચ અદાલત સુધી જઇને અબોલ ગૌવંશની રક્ષા માટે જીવદયાની પહેલ આખા દેશમાં કરી હતી જ્યારે કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકાર આજે પણ ગૌમાંસ માટે સબસીડી આપી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં જ ગુજરાત સરકારે ગૌવંશ રક્ષા કાયદાના ઉલ્લંધન અને પશુધનની ક્રુરતા આચરનારા ગૂનાઓ સંદર્ભમાં ૧પ૪ લોકો સામે પાસાનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. ૧૯૭૧ ગૂનેગારો સામે કાયદા હેઠળ ગૂના દાખલ કર્યા છે અને ૪૭રપ જેટલા ગૂનેગાર આરોપીઓને પકડીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ એમ પણ જણાવ્યું કે, આખા દેશમાં ગૌવંશ રક્ષા ઉપરાંત પશુપાલનના નવતર વૈજ્ઞાનિક આયામો અપનાવવાની પહેલ પણ, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે કરી છે. રાજ્યમાં દરવર્ષે ર૭૦૦ જેટલા પશુઆરોગ્ય મેળાઓ યોજાય છે, પશુઓની આંખના મોતીયાના ઓપરેશનો અને દંતચિકિત્સાની સારવાર કરનારૂં એકમાત્ર ગુજરાત છે. પશુઓને થતા ૧૧ર જેટલા રોગોની સદંતર નાબૂદી કરીને અબોલ પશુઓ અને દૂધાળા ગૌવંશની સૌથી મોટી જીવદયા ગુજરાત સરકાર કરી રહી છે, ત્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગૌવંશ કાયદો લાગુ પાડવાની હિંમત પણ બતાવી શકતી નથી, અને ઉલ્ટું ગૌમાંસ માટે સબસીડી આપીને ગૌવંશ હત્યાના ધોર પાપની ભાગીદાર બની છે. ગુજરાતમાં તો છેલ્લા એક દશકથી પશુપાલન માટેની સેવા-સુવિધાનું ફલક વિકસાવવાના કારણે જ દુધના ઉત્પાદનમાં કુલ ૬૬ ટકાનો વધારો થયો છે.

પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં કૃષિવિકાસ અને પશુપાલનના વિકાસ ક્ષેત્રે થઇ રહેલી ક્રાંતિનો સીધો લાભ ગામડામાં વસતા ખેડૂતો અને પશુપાલકોને થઇ રહ્યો છે. ગામડાના અર્થતંત્રમાં નવી સમૃધ્ધિ આવી છે, ત્યારે શાંતિ અને વિકાસના વાતાવરણમાં પલીતો ચાંપવા નીકળી પડેલા અને પરિશ્રમપૂર્વક પશુધનની સંવેદનાસભર સ્નેહભરી માવજત કરનારા માલધારી સમાજને ગેરમાર્ગે દોરીને પોતાના સ્થાપિત હિતોને પોષવા નીકળેલા તત્વોના ઉશ્કેરણીજનક જૂઠાણાની વાતો કેટલી પોકળ છે તે સ્વયમ્‍ પૂરવાર થઇ ગયું છે.


સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત સ્પોર્ટસ હોસ્ટેલોમાં પ્રવેશ મેળવવા કસોટીનું આયોજન

ગાંધીનગર,
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત વિવિધ સ્પોર્ટસ હોસ્ટેલોમાં પ્રવેશ મેળવવા તેમજ એસ.ટી.સી./એસ.પી.ડી.એ. અંગેની કસોટીનું આયોજન તાલુકા અને જિલ્લા કક્ષાએ કરવામાં આવેલ છે. આ કસોટી તા. ર૩-૮-ર૦૧૧ના રોજ કે.જી. હાઇસ્કુલ, ઉચ્ચતર માધ્યમિક શાળા, ચરાડા, તા. માણસા, તા. ર૪-૮-ર૦૧૧ના રોજ ઉચ્ચતર માધ્યમિક શાળા, મુ. છત્રાલ, તા. કલોલ, તા. રપ-૮-ર૦૧૧ના રોજ કે. એચ. સર્વોદય હાઇસ્કુલ, મુ. છાલા, તા. ગાંધીનગર, તા. ર૬-૮-ર૦૧૧ના રોજ મ્યુનિસિપલ બોપર હાઇસ્કુલ, દહેગામ તેમજ તા. ર૭-૮-ર૦૧૧ના રોજ એસ.એ.આઇ.(સાંઈ) રમત સંકુલ, સેકટર-૧૬, ગાંધીનગર ખાતે સવારે ૮-૩૦ કલાકે યોજાશે.

વધુમાં ભાગ લેવા માગતા ખેલાડીઓ તા. ૧-૧-૧૯૯૮ અને ત્યાર પહેલાં જન્મેલા હોય તેઓએ તેમની શાળાના આચાર્યશ્રીના સહિ-સિક્કા સાથેની એન્ટ્રી લઇ કસોટી સ્થળે વ્યાયામ શિક્ષક સાથે ઉપસ્થિત રહેવું તેમ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલયોના છાત્રોની નિભાવ ગ્રાન્ટમાં વધારો

નિભાવ ગ્રાન્ટ માસિક રૂ. ૬૦૦ લેખે ચુકવાશે


ગાંધીનગર
રાજ્યમાં આવેલ જિલ્લા પંચાયતો હસ્તકની જિલ્લા શિક્ષણ સમિતિઓ સંચાલિત ગ્રાન્ટ-ઇન એઇડ છાત્રાલયોના છાત્રોની નિભાવ ગ્રાન્ટની રકમમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે.

શિક્ષણ વિભાગના તા. પ મી ઓગસ્ટ, ર૦૧૧ના ઠરાવથી આ નિભાવ ગ્રાન્ટમી રકમ માસિક રૂ. ૩પ૦ ચૂકવવામાં આવતી હતી તેના બદલે માસિક રૂ. ૬૦૦ લેખે તા. ૧-૭-ર૦૧૧થી ચુકવવાનું ઠરાવ્યું છે.





ટિપ્પણીઓ નથી: