અનુયાયીઓ

રવિવાર, 21 ઑગસ્ટ, 2011

જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત સાંસ્‍કૃતિક લોકમેળા-૨૦૧૧નો થયેલો શુભારંભ






રાજકોટ

જન્‍માષ્‍ટમીનો તહેવાર એટલે કૃષ્‍ણની ભકિત કરવાનો અને સામાજીક સમરસતાના આદર્શને આપણા જીવનમાં અપનાવવાનો ઉત્‍સવ છે. તેમ નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ રાજકોટ જીલ્‍લા વહિવટીતંત્ર પ્રેરિત લોકમેળા સમિતિ દ્વારા આયોજિત સાંસ્‍કૃતિક લોકમેળો-ર૦૧૧નો રેસકોર્સ ખાતે આજે સવારે શુભારંભ કરતાં જણાવ્‍યુ હતુ. મંત્રીશ્રીએ શ્રીગણપતિજીની મૂર્તિ સમક્ષ દિપ પ્રગટાવી લોકમેળો જાહેર જનતા માટે ખુલ્‍લો મુકયો હતો.

મંત્રીશ્રી વાળાએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, ભગવાન શ્રીકૃષ્‍ણનું આનંદના પ્રતીક સમા જીવનની જેમ સાંસ્‍કૃતિક લોકમેળામાં આનંદ મેળવવાની તકનો રાજકોટવાસીઓ ખૂબ લ્‍હાવો માણે છે. રંગીલા રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રની પ્રજા ઉત્‍સવપ્રિય પ્રજા છે. ત્‍યારે જન્‍માષ્‍ટમીનો ઉત્‍સવ લોકોએ હળીમળીને રહેવાનો ઉત્‍સવ છે, તેમ જણાવી તેમણે દરેક વર્ગોને સાથે રાખી તેમની સાથે ભાઇચારાની ભાવના કેળવી સદભાવના કેળવવા અનુરોધ કર્યો હતો.




ટિપ્પણીઓ નથી: