જે બાળાઓને હજુ રજ:સ્વલા (માસીક ધર્મ)નો સમય શરુ થયો ન હોય તેવી અબુધ બાળકીથી માંડીને દસ વર્ષ સુધીની વયની ગૌરીઓ માટેના વ્રતને ગૌરી પુજાનું વ્રત કહેવામાં આવે છે. આ વ્રતમાં માબાપ, નીત–નવીન પ્રલોભનો આપી શું ખવાય અને શું ન ખવાય તેના નીયમોનો લશ્કરી શીસ્તની જેમ જ અમલ કરાવવાની મથામણ કરતા હોય છે. એટલું જ નહીં, ‘તું જો આ વ્રત નીયમો તોડીશ તો તને ભવીષ્યમાં સારો વર નહીં મળશે’. એ મતલબનો આઘાતજનક ડર અને ભય કુમળા મન ઉપર જન્માવે છે ત્યારે તો માબાપ હદ વટાવી જાય છે. બાળાઓના શરીર પર દમન કરવાથી જ સુખ મળશે તે મતલબનો પાઠ અહીંથી જ શરુ કરાવે છે. અષાઢી સવારમાં બનીઠનીને પરાણે પહેરેલું ભપકાદાર રેશમી ઘાઘરી–પોલકું જોઈને બાળાઓનો ઉમંગ, આનંદ પાછળ વર પસંદ કરવાની પદ્ધતીમાં રહેલી ક્રુરતાને જોઈને કોઈ બુદ્ધીજીવીનો સુખમય દૃષ્ટીકોણ ક્યારે મુર્છા પામશે ???
–ગોવીન્દ મારુ
સંપર્ક:
શ્રી ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પો: એરુ એ. સી. – 396450 જી. : નવસારી. સેલફોન: 9974062600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો