અનુયાયીઓ

બુધવાર, 6 જાન્યુઆરી, 2016

Beautiful India

---------- Forwarded message ----------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Jan 6, 2016 8:43 PM
Subject: Beautiful India
To: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Cc:

Beautiful India


A Baptist Church in Alichen, Nagaland.

Nohkalikai Falls at Cherapunji, Meghalaya.
View from Ooty, Tamil Nadu.



Raigad Fort, Maharashtra.




Tea Gardens at Munnar, Kerala.

Kanchenjunga (8586m) viewed from Sandakphu, Sikkim.


Temple Tank, Bhoga Nandeeshwara temple, Karnataka.


Temple Tank , Bhoga Nandeeshwara temple, Karnataka.


Temple Tank, Bhoga Nandeeshwara temple, Karnataka.



Enroute to Kibber, Himachal Pradesh.


Nubra Valley, Ladakh, Jammu and Kashmir.


The blue range of mountains that run along the western coast of India.This shot was taken in mid May from Palivasal Tea Estate in Munnar, Kerala.



Kargil District, Ladakh, Jammu and Kashmir.




Kaveri river running through Hogenakkal, Tamil Nadu.




Lake Pichola , Udaipur , Rajasthan.


Chittorgarh Fort, Rajasthan.




Kumbalgarh Fort, Rajasthan.




Thirumalai Nayak Palace, inner courtyard, Madurai,Tamil Nadu.


The port city of Vishakhapatnam (Vizag for short), Andhra Pradesh.



Lake Palace, Udaipur, Rajasthan.





Eravikulam National Park, Kerala.




Tso-kyo Lake, Tawang, Arunachal Pradesh.




Valley of Flowers National Park, Uttaranchal.




Silent Valley, Palakkad, Kerala.




A boathouse on the placid backwaters of Kumarakom, Kerala.




A Cathedral in Thiruvalla, Kerala incorporating the features of a traditional Hindu Temple, a Mosque and a Church.




Munnar, Kerala.




Gaganachukki Falls, Mandya, Karnataka.





Vellore fort, Tamil Nadu.

મંગળવાર, 5 જાન્યુઆરી, 2016

કશ્યપ જોશી જેતપુર

જેતપુર પાલિકાના માજી પ્રમુખનો આઈફોન
ચોરનાર નજીકનોજ યુવાન નીકળતા ચકચાર
જેતપુર તા.5
બે દિવસ પહેલા જેતપુરમાં માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાનો આઈફોન ચોરનાર તેમનોજ મદદનીશ યુવાન નીકળતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન સદસ્યા રમાબેન રામજીભાઈ મકવાણાએ પોતાનો રૂ.32 હજારનો આઈફોન પોતાના મકાનની બારીમાં ચાર્જીંગ માટે રાખ્યો હતો.
દરમિયાન કોઈ શખ્સ આ ફોન બારીમાંથી ઉઠાવી જતા આ બારાની શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
બીજીબાજુ રમાબેનનો મોબાઈલ તેમનીજ સાથે નાના મોટા કામમાં મદદરૂપ બનતાં સાગર નામના યુવાને ઉઠાવ્યો હોવાનું બહાર આવતા રામબેને પોલીસને જાણ કરતા પોલીસે સાગરની પૂછપરછ હાથ ધરી હોવાનું એક ટેલિફોનિક મુલાકાતમાં રમાબેને જણાવ્યું હતું.
કશ્યપ જોશી જેતપુર

જેતપુરની યુવતી ભેદી સંજોગોમાં ગૂમ..

જેતપુરની યુવતી ભેદી સંજોગોમાં ગૂમ..
જેતપુર તા.5
અહીંના નાઝાવાળા પરા વિસ્તારમાં રહેતા જ્યોતિબેન ધીરુભાઈ ઝાલા નામની મહિલાએ પોતાની યુવાન પુત્રી હેતલ સવારે કુદરતી હાજતે ગયા બાદ પરત નહિ ફરતા, ગૂમ થયાની શહેર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી જેતપુર

જેતલસર જંક્શનમાં જુગાર દરોડો..

જેતલસર જંકશનમાં જુગાર દરોડો
જુગાર રમતા 5 પંટરો ઝડપાયા..
જેતપુર તા.5
જેતલસર જંક્શનના પોપટપરા વિસ્તારમાં આજે જાહેરમાં જુગાર રમતા જમાલ, હરેશ મનજી, નથુ પાલા, કાળું મનસુખ અને મુકેશ એમ 5 પંટરોને તાલુકા પોલીસ જમાદાર મજનુંભાઈ એ પકડી પાડ્યા હતા.
                                                                કશ્યપ જે. જોશી જેતપુર

જેતપુરમાં ચલણી નોટ નંબર પર જુગાર રમતા 3 પકડાયા.

જેતપુરમાં ચલણી નોટ નંબર પર જુગાર રમતા 3 પકડાયા.
જેતપુર તા.5
જેતપુરમાં આજે રાજકોટની લોકલ ફ્રાઇમ બ્રાંચે ચલણી નોટોના નંબર પર એકિબેકીનો જુગાર રમતા 3 ઇસમોને રોકડ રૂપિયા 26770 સાથે પકડી પાડ્યા હતા.
મળતી વિગતો મુજબ જેતપુરમાં કાણકિયા પ્લોટમાં આવેલ સવજીભાઈ કોરાટ શોપિંગ સેન્ટરમાં રોજ ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમાતો હોવાની રાજકોટ લોકલ ફ્રાઇમ બ્રાન્ચના ભુરાભાઈ માલીવાડને બાતમી મળતા આજે તેઓએ શોપિંગ મોલમાં ત્રાટકતા ત્યાં ચલણી નોટોના નંબર પર પૈસાથી એકિબેકીનો જુગાર રમતા 3 શખ્સો પકડાઈ ગયા હતા..પકડાયેલ શખ્શોમાં બાવાજી ધર્મેશ ઉર્ફે કાનજી મગન ગોંડલિયા(રહે.આશાપુરા હોલ પાછળ, ગોંડલ), પટેલ જયેશ ઉર્ફે જલો રવજી ગોધસારા(રહે.નવાગઢ) તથા અશ્વિન નાનજી પંચાસરા(રહે.બોખલા દરવાજા, જેતપુર) નો સમાવેશ થતો હોવાનું ભુરાભાઈ માલીવાડે જણાવ્યું હતું.
કશ્યપ જે.જોશી જેતપુર

નવાગઢમાંથી વિદેશી શરાબની 172 બોટલ પકડાઈ

નવાગઢમાંથી વિદેશી શરાબની 172 બોટલ પકડાઈ
જેતપુર તા.5
ચોક્કસ બાતમીના આધારે જેતપુરના પોલીસ ઇન્સપેક્ટર વ્યાસે નવાગઢમાંથી વિલાયતી શરાબની 172 બોટલ પકડી પાડી હતી. જો કે વિક્રેતા નાશી છૂટવામાં સફળ થયો હોવાનું તપાસનીશ પીએસઆઈ સંઘાણીએ જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ નવાગઢના ખાટકીવાસ વિસ્તારમાં ફારૂક મહમદ ઘાચી-લાખાણીએ વેંચાણ માટે વિદેશી શરાબનો મોટો જથ્થો પોતાના ઘરમાં ઉતાર્યો હોવાની જેતપુર પોલીસના પીઆઇ એન.કે.વ્યાસને બાતમી મળતા તેઓએ પીએસઆઈ પી.બી.સંઘાણી સહિતના સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા ફારુકના મકાનમાંથી રૂપિયા 51600 ની વિલાયતી શરાબની 172 બોટલ મળી આવી હતી. પોલીસે તે કબ્જે કરી ફારુકની શોધખોળ આદરી છે..         (કશ્યપ જે.જોશી જેતપુર)

જેતપુરમાં ગંદકીની માઝા યથાવત..તંત્રના કાગળ પર પડકારા..

જેતપુરમાં ગંદકીની માઝા યથાવત..તંત્રના કાગળ પર પડકારા..
જેતપુર તા.5
જેતપુર શહેરમાંથી ગંદકી હટવાનું નામ લેતી નથી..અગાઉ સ્વચ્છતા અભિયાનનું સૌએ ફોટો શેશન પૂરું કર્યું, હવે લત્તાવાસીઓ કચરો બતાવતા ફોટો પાડાવીને ગંદકી હટાવવાની માંગણીઓ દોહરાવી રહ્યા છે..ત્યારે ગંદકી હટાવ્યાના કાગળ પર હાકલા પડકારા કરનાર જેતપુર પાલિકાના સત્તાધીશો અહીંના કણકિયા પ્લોટમાં મહાકાળી ઇલેક્ટ્રિકવાળી શેરીમાં લટાર મારે તો ગંદકી હટાવવાની જેઓની જવાબદારી છે તેઓની બેદરકારી બહાર આવે તેમ છે..
                                  (કશ્યપ જે.જોશી..જેતપુર)

સોમવાર, 4 જાન્યુઆરી, 2016

અવસાન નોંધ..જેતપુર..4.1.16

અવસાન નોંધ..જેતપુર..4.1.16
જેતપુર : નવાગઢ નિવાસી બાજ ખેડાવાળ બ્રાહ્મણ અનિરુદ્ધભાઈ પોપટભાઈ દવે તે રોહિતભાઈ(મીનુભાઈ) તથા બાલકૃષ્ણભાઈ (બનાભાઈ)ના પિતા તા. 4 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.7 ને ગુરુવારે, સાંજે 4થી6, તેમના નિવાસસ્થાન, સ્વામી વિવેકાનંદ સોસાયટી, સ્ટેટ બેન્ક રોડ, નવાગઢ ખાતે રાખેલ છે..
કશ્યપ જોશી જેતપુર 99742 62812

રવિવાર, 3 જાન્યુઆરી, 2016

જેતપુરમાં ભરવાડ યુવાન પર બિહારીનો તલવાર વતી હુમલો..

જેતપુરમાં ભરવાડ યુવાન પર બિહારીનો તલવાર વતી હુમલો..
જેતપુરમાં તલવાર વતી બિહારી શખ્શનો ભરવાડ યુવાન પર હુમલો...
જેતપુર તા.3
જેતપુરમાં આજે વહેલી સવારે સામાન્ય બોલાચાલી દરમિયાન એક બિહારી શખશે એક ભરવાડ યુવાન પર તલવાર વતી હુમલો કર્યાની જેતપુર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

મળતી વિગતો મુજબ જેતપુરના ગોંદરા વિસ્તારમાં રહેતો યુવાન રાજુ હમીર ટોળિયા ઉ.વ.35 આજે સવારે પોતાના વિસ્તારમાંથી નીકળતો હતો ત્યારે સામે મળેલ શિવો બિહારીએ ભૂતકાળની બોલાચાલી અને ઝગડાને તાજો કરી રાજુને જમણા હાથ ઉપર તલવાર વતી હુમલો કરતા રાજુને લોહીલુહાંણ હાલતમાં પ્રાથમિક સારવાર જેતપુર અપાવી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે.

પોલીસે ઘટના સ્થળે દોડી શિવાને પકડવા પ્રયત્નો કરેલ પણ તે નાશી છૂટ્યો હતો..બનાવથી ભરવાડ સમાજમાં રોષ ફેલાયો છે..અત્રે એ નોંધનીય છે કે જેતપુરના સાડી કારખાનાઓમાં હજારો પરપ્રાંતીય મજૂરો બેરોકટોક મજૂરી કરી રહ્યા છે.ઘણા સમાજ સેવકોએ અનેક વખત પોલીસને રજૂઆતો કરી છે કે અહીં કોઈ પરપ્રાંતીય મજૂરોની વિગતો રાખવામાં આવતી ના હોય, આવા તત્વો કોઈ પણ ગુનો કરતા જરાય અચકાતા ના હોવાની અનેક ઘટનાઓ બની રહી છે.ત્યારે સંબંધિત કારખાનેદારો પરપ્રાંતીય મજૂરોના રજીસ્ટર મેઇન્ટેન્ડ કરી પોલીસને પહોંચાડે તો પોલીસને ગુનેગારોને પકડવામાં સરળતા રહે..
કશ્યપ જે.જોશી જેતપુર

સમાચારમાં કરેક્શન..સુધારો..

સમાચારમાં કરેક્શન..સુધારો..
આજે મારા દ્વારા કૃષિ મેળાના સમાચારમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા ની અટકાયત એવું ભૂલથી લખાઈ ગયું હોવાનું મને અત્યારે માલુમ પડ્યું છે...
હકીકતમાં રાજ્ય મંત્રી જયેશ રાદાડિયાં ની હાજરીમાં કૉંગ્રેસી આગેવાનોની અટકાયત થઇ છે તેમ સમજવું..
હાજરીમાં  શબ્દ ઉતાવળથી ભુલાઈ ગયો હતો..જે બદલ ક્ષમા બક્ષી હવેથી ધ્યાન રાખીશ તે વાત ધ્યાને લેવા વિનંતી છે.
કશ્યપ જોશી
જેતપુર..જેતલસર

જેતપુરમાં આજથી ક્રિકેટ ટુર્નામેન્ટ..

જેતપુરમાં આજથી ક્રિકેટ ટુર્નામેન્ટ..
જેતપુરમાં આજથી રાત્રી પ્રકાશ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન...
જેતપુર તા.3
એકતા ક્રિકેટ કલબ જેતપુર દ્વારા આજે તા.4.1. થી અહીંના જીમખાના મેદાનમાં ઓપન રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થશે.જેમાં સૌરાષ્ટ્ર ભરની ટિમો જોડાશે તેવું સંસ્થાના મિતેશ ચૌહાણ જણાવે છે..આયોજકોએ એવું પણ જણાવેલ છે કે ચાલુ મેચ દરમિયાન પણ કોઈ ટીમોએ જોડાવું હોય તો જોડાઈ શકશે.
કશ્યપ જે. જોશી....જેતપુર.

જેતપુરમાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત...

જેતપુરમાં પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત...
જેતપુર નગર પાલિકા શહેરમાં પીવાના પાણીની સારી વ્યવસ્થા થઇ શકે તે માટે ઘણી જગ્યાએ પાણીના સ્ટોરેજ માટે ટાંકીઓ ઉભી કરવામાં આવી રહી છે. જે સુવિધાના ભાગરૂપે આજે મહાત્મા ગાંધી રોડ પર આવેલા પોલીસ સ્ટેશન પાછળ આવેલ ખડપીઠ વિસ્તારમાં વધુ એક પાણીની ટાંકીના કામનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે કરાયું હતું. જે વેળાએ પાલિકા પ્રમુખ શારદાબેન હરસુરભાઈ બારોટ, માજી ધારાસભ્ય જશુબેન કોરાટ, પાલિકા ઉપપ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા, અરવિંદ વણઝારા, જેસુખ ગુજરાતી તથા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા..
ફોટો :  કશ્યપ જે.જોશી જેતપુર 99742 62812

જેતપુર : 30 થી વધુ કોન્ગી આગેવાનોની અટકાયત...

જેતપુર : 30 થી વધુ કોન્ગી આગેવાનોની અટકાયત...
જેતપુરમાં યોજાયેલ કૃષિમેળામાં વિરોધ કરવા ગયેલા
15 કૉંગ્રેસી આગેવાનોની પોલીસે કરી અટકાયત....
(કશ્યપ જોશી) જેતપુર તા.3

જેતપુરમાં આજે અહીંની લાયન્સ સ્કૂલ ખાતે યોજાયેલ કૃષિ મેળામાં વિરોધવ્યક્ત કરવા ગયેલા શહેર તાલુકાના 30 થી વધુ કૉંગ્રેસી આગેવાનોની રાજ્ય  મંત્રી જયેશ રાદડિયા ની શહેર પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

આ બાબતે મળતી વિગતો મુજબ આજે જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ લાયન્સ સ્કુલ ખાતે કૃષિ મેળાનું આયોજન કરાયું હતું.
આ વાત જાણી ગયેલા જેતપુર શહેર અને તાલુકાના કૉંગ્રેસના આગેવાનો જગદીશભાઈ પાંભર, વિપુલ વૈષ્ણવ, જેતપુર તાલુકા પંચાયત સદસ્યા કિરણબેન ભુવાના પતિ સુરેશ ભુવા, કિશોર પાદરિયા વિગેરે રવિ કૃષિ મેળાની જગ્યાએ પહોંચી જઈ ખેડૂતોને પૂરતી વીજળી આપો, પૂરતું પાણી આપો, બિન ચુકવાયેલ પાક વીમો આપો, ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો આપો, આવા મેળા જેવા ખોટા દેખાડા બંધ કરો, જય જવાન, જય કિશન, જય જવાની ભાજપ જવાની જેવા સૂત્રોચ્ચાર કરી મેળાનું સ્થળ ગજવી મુકાતા
મેળા આયોજકો અને કાર્યવાહકો એક તબક્કે મુંજાય ગયા હતા.
જો કે આ સ્થળે ઉપસ્થિત પોલીસે કૉંગ્રેસના 25 થી વધુ  આગેવાનોની જીપી એક્ટ 68 મુજબ અટકાયત કરી પોલીસ થાણે લઇ ગઈ હતી.પોલીસ થાણે પણ કોન્ગી આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.

બોક્સ : દ્વારકામાં પાટીદારો વિરુદ્ધ બોલનાર સીએમને જાકારો આપવા કોન્ગી આગેવાનનો અનુરોધ...

જેતપુર: જેતપુર પોલીસ મથકે કૉંગ્રેસના આગેવાન જગદીશ પાંભરે પત્રકારોને જણાવ્યું હતું કે પાટીદારની દીકરી એવા મુખ્યમંત્રી પાટીદારોની વિરુદ્ધ બોલી પાટીદારોની ચોર જેવી વાત સાથે સરખાવ્યા તે વાતની તેઓએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી ઉપસ્થિએ સૌ પાટીદારોને જણાવેલ કે, આપણી વિરુદ્ધ બોલનાર કોઈ આપણો હોઈ નાં શકે..પાટીદારોની વિરુદ્ધ બોલનારને બહુ ઝાઝો સમય સત્તા પર ના રહેવા દેવાય..જેમ તાલુકા જિલ્લા પંચાયતોમાં કૉંગ્રેસે બેઠકો ભાજપના હાથમાંથી ખૂંચવી લીધી તેમ આગામી ધારાસભામાં પણ ભાજપને પરાસ્ત કરવા પાટીદારોએ બમણી તાકાત કામે લગાડવી પાડશે.

બોક્સ: કોની કોની પોલીસે કરી અટકાયત ?

જેતપુર: જેતપુરમાં આજે રવિ કૃષિ મેળા સ્થળે કાળા વાવટા સાથે વિરોધ વ્યકત કરવા ગયેલા અને પોલીસે અટકાયતમાં લીધેલા કૉંગ્રેસી આગેવાનોમાં જગદીશ પાંભર, વિપુલ વૈષ્ણવ, શુરેશ ભુવા, કિશોર પાદરિયા, નારણ ઠૂંગા, અશોક વાલેરા, જગદીશ હિરપરા, વિનોદ રાદડિયા, વજુભાઈ તેજાભાઈ ઠુમર, રાજેશ કાનજી મૂળિયાં, રસિક ભીખા રાણપરિયા, ભગવાનજી રામજી જેઠવા, મોહન ભીખા વેકારીયા, ભાવેશ વેલજી કોટડિયા, કાંતિ લુણાગરા, છગન વેકારીયા, ધીરુ વાછાણી, રતિલાલ વેકારીયા, ભીમજી વેકરીયા, દેવજી વેકરીયા, રામજી બોરડ, રણછોડ મકવાણા, કાળા જેરામ, અને નરસી ભીખા વેકારીયાનો સમાવેશ થતો હોવાનું જેતપુર પોલીસ જણાવે છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર 99742 62812

શનિવાર, 2 જાન્યુઆરી, 2016

જેતપુરમાં જાદુગરની મંજૂરી રદ કરતા જિલ્લા કલેકટર...

કશ્યપ જોશી જેતપુર
9974262812

જેતપુરમાં મદન મોહન યુવક મંડળ દ્વારા બે દિવસ ગુંસાઇજી પ્રાગટય મહોત્‍સવનું આયોજન

જેતપુરમાં મદન મોહન યુવક મંડળ દ્વારા બે દિવસ
ગુંસાઇજી પ્રાગટય મહોત્‍સવનું આયોજન

જેતપુર તા.૨(કશ્યપ જોશી)
એમવાયએમ ફાઉન્‍ડેશન દ્વારા ગઈકાલ તા.૨ અને ૩ જાન્‍યુઆરી એમ બે દિવસીય શ્રી ગુંસાઇજી પ્રાકટય પંચશતાબ્‍દી પુર્તી મહોત્‍સવનો આજ સાંજથી દબદબાભેર પ્રારંભ થયો હતો.
   અખંડ તૃમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના દ્વિતીય આત્‍મ જ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુંસાઇજીના પ્રાકટયના પ૦૦માં વર્ષની પુર્તી સમયે મોટી હવેલીનાં વૈષ્‍ણવાચાર્ય પ.પૂ. ૧૦૮ શ્રી બાલકૃષ્‍ણલાલજી મહારાજના આશીર્વાદ અને મદનમોહન યુવક મંડળના યુવા વૈષ્‍ણવાચાર્ય પ્રિયારાયજીના માર્ગદર્શન હેઠળ યોજાઇ રહેલા શ્રી ગુંસાઇજી પ્રાકટય મહોત્‍સવમાં સાંજે પ થી ૭ શ્રી પુષ્‍ટીમાર્ગીય મહીલા વૈષ્‍ણવ સમાજ દ્વારા મોટી હવેલીના પટાંગણમાં વિવિધ ધાર્મીક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આજે બીજા દિવસે રવિવારના વચના મૃત અને સાંજે ૬ થી ૮ દરમિયાન સંતો-મહંતોની ઉપસ્‍થિતિમાં વધાઇ કીર્તન પ્રસાદનું આયોજન છે. આ બે દિવસીય વૈષ્‍ણવોનો ઉત્સાહ વધારે તેવા ધાર્મિક મહોત્‍સવ દરમિયાન  વૈષ્ણવજનોને બ્રહ્મસબંધ લેવાનો  અનુરોધ કરાયો છે. 
કશ્યપ જે.જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨  

શુક્રવાર, 1 જાન્યુઆરી, 2016

ખેડૂતોને થતા રાત ઉજાગરા બંધ કરવા....આવેદન અપાયું... ખેતીવાડીનો વીજપુરવઠો રાત્રીના ૧૩-૩૦ ને બદલે રાત્રીના ૮-૦ વાગ્યે આપવા માંગ..

ખેડૂતોને થતા રાત ઉજાગરા બંધ કરવા....આવેદન અપાયું...

ખેતીવાડીનો વીજપુરવઠો રાત્રીના ૧૩-૩૦

ને બદલે રાત્રીના ૮-૦ વાગ્યે આપવા માંગ..

૧૫ દિવસમાં ઘટતું ના કરાય તો થાણાગાલોલના ખેડૂતો આંદોલન છેડશે...

જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના થાણાગાલોળ સહિતના ગામોના ખેડૂતોએ જેતપુર દોડી આવી વીજ તંત્રના નાયબ ઇજનેરને આવેદન આપી ખેતીવાડીના અપાતા વીજપુરવઠાને મોડી રાત્રીના બદલે વહેલી રાત્રીનો કરવા માંગ ઉઠી છે.

આ બાબતે રાજેશભાઈ સતાસિયા, ધીરુભાઈ, અનીલ ઉંધાડ, વિષ્ણુભાઈ સાવલિયા, ચંદુભાઈ ભુવા, વિનોદ ઉંધાડ,રમેશભાઈ માથુકીયા, જયેશ સેંજલિયા વિગેરે થાણાગાલોલના ખેડૂતોએ જેતપુર ખાતે પીજીવીસીએલ ગ્રામ્ય વિસ્તારના નાયબ ઇજનેરને એક આવેદન પાઠવી એવી માંગ દોહરાવી હતી કે, લાંબા સમય થયા થાણાગાલોળ અને મઢી ફીડર પર ખેતીવાડી વીજ પુરવઠો રાત્રીના ૧૨-૩૦ વાગ્યે અપાતો હોય, કડકડતી ઠંડીમાં, રાત ઉજાગરા વચ્ચે છેક સવાર સુધી જાગીને ખેત પાકોને પિયત કરવું પડે છે.

આ સમયને બદલે જો તંત્ર રાત્રીના ૮-૦૦ વાગ્યે વીજ પુરવઠો આપવાનું શરુ કરે તો ખેડૂતો વગર હાલાકીએ પોત પોતાના ખેતરોમાં જંગલી જાનવરોના ભય વગર વહેલાસર ખેતપાકોને પિયત કરી ઘરે જઈને આરામ કરી શકે. પરંતુ હાલ મોડી રાત્રીના મળતા વીજ પુરવઠાને લીધે થાકેલા પાકેલા ખેડૂતો બીજા દિવસે પોત પોતાની દૈનિક ચર્યામાં ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે.

ખેડૂતોએ આવેદનમાં એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આ પ્રશ્ન આગામી ૧૫ દિવસમાં હલ નહિ કરવામાં આવે તો ખેડૂતો જેતપુર ખાતે સંબંધિત વીજ કચેરીઓ સામે આંદોલનના મંડાણ કરશે.  

(કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨)

રાજકોટ-વિસાવદર રૂટની એસટી બસ નિયમિત રીતે "અનિયમિત" દોડતી ક્યારે બંધ થશે ?

કાયમી અપડાઉન કરનાર મુસાફરો કહે છે કે,
રાજકોટ-વિસાવદર રૂટની એસટી બસ નિયમિત 
રીતે "અનિયમિત" દોડતી ક્યારે બંધ થશે ?
જેતપુર તા.૧ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરથી ઉપડતી જેતપુર વિસાવદર રૂટની એસટી બસ લાંબા સમય થયા ખુબ અનિયમિત ચાલતી હોય, આ બસનો રોજ અપડાઉનમાં ઉપયોગ કરતા મુસાફરો ત્રાસી ગયા છે.
આ બાબતે મુસાફર આલમમાં ઉઠેલી ફરિયાદ જોઈએ તો જેતપુરના એસટી બસસ્ટેન્ડમાંથી ૧-૩૦ વાગ્યે ઉપડતી જેતપુર-રાજકોટ રૂટની બસ કોઈ દિવસ સમયસર જેતપુરથી નીકળતી ના હોય, આ બસ રાજકોટ ખાતે પણ દરરોજ મોડી પહોંચે છે. પરિણામે રાજકોટ ખાતેથી આ બસ રાજકોટ - વિસાવદર રૂટમાં ફેરવાઈ જતી હોય, રાજકોટ થી પરત ફરતી આ બસ ગોંડલ, વીરપુર અને જેતપુર જેવા સ્ટેશનો પર નિયમિત પહોચી શકતી નથી.
સમસ્યા ત્યારે ઉભી થઇ રહી છે કે રાજકોટ વિસાવદર રૂટની આ બસ ખરેખર જેતપુર ખાતે પહોંચી સાંજના ૬-૧૫ વાગ્યે ઉપડવી જોઈએ પણ રોજ ત્રીસેક મિનીટ સુધીના સમયમાં મોડી જ ઉપડતી હોય, આ બસનો કાયમી અપડાઉનમાં ઉપયોગ કરતા ભેસાણ, બીલખા, છોડવડી, વિસાવદરના મુસાફરોને રોજ હાલાકી ભોગવવી પડે છે.
વર્તમાન સમયમાં ખાનગી વાહન વ્યવહાર સાથે કદમોકદમ મિલાવવા કટ્ટીબદ્ધ સરકારની એસટી બસ સેવા સુધારવા સરકાર સમયાંતરે લાખો રૂપિયાની અખબારી જાહેરાતો કરીને મુસાફરોને આકર્ષે છે, ત્યારે ખખડધજ બસો એને તેમાય વળી કાયમી રૂટોની બસો નિયમિત રીતે અનિયમિત ચાલતી હોય મુસાફર આલમમાં રોષ સાથે અસંતોષ જોવા મળે છે.
આ બસનો કાયમી ઉપયોગ કરનાર આરીફ પઠાણ અને રક્ષિત જોશી નામના યુવાનોએ ત્યાં સુધી કહ્યું કે રાજકોટ વિસાવદર રૂટની બસની અનિયમિતતાની ફરિયાદ ઓનલાઈન અને જુનાગઢ એસટીના ડીસીને અનેકવાર રજુઆતો કરી છે. પણ આ બસ નિયમિત ચલાવાતી ના હોય હવે કોણે અને કઈ જગ્યાએ આ બાબતે ફરિયાદ કરવી તેવું આ બંને યુવાનો જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨