અનુયાયીઓ

મંગળવાર, 5 જાન્યુઆરી, 2016

નવાગઢમાંથી વિદેશી શરાબની 172 બોટલ પકડાઈ

નવાગઢમાંથી વિદેશી શરાબની 172 બોટલ પકડાઈ
જેતપુર તા.5
ચોક્કસ બાતમીના આધારે જેતપુરના પોલીસ ઇન્સપેક્ટર વ્યાસે નવાગઢમાંથી વિલાયતી શરાબની 172 બોટલ પકડી પાડી હતી. જો કે વિક્રેતા નાશી છૂટવામાં સફળ થયો હોવાનું તપાસનીશ પીએસઆઈ સંઘાણીએ જણાવ્યું હતું.
મળતી વિગતો મુજબ નવાગઢના ખાટકીવાસ વિસ્તારમાં ફારૂક મહમદ ઘાચી-લાખાણીએ વેંચાણ માટે વિદેશી શરાબનો મોટો જથ્થો પોતાના ઘરમાં ઉતાર્યો હોવાની જેતપુર પોલીસના પીઆઇ એન.કે.વ્યાસને બાતમી મળતા તેઓએ પીએસઆઈ પી.બી.સંઘાણી સહિતના સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા ફારુકના મકાનમાંથી રૂપિયા 51600 ની વિલાયતી શરાબની 172 બોટલ મળી આવી હતી. પોલીસે તે કબ્જે કરી ફારુકની શોધખોળ આદરી છે..         (કશ્યપ જે.જોશી જેતપુર)

ટિપ્પણીઓ નથી: