અનુયાયીઓ

મંગળવાર, 23 ડિસેમ્બર, 2014

પ્રેરણા : જાફરાબાદના અપાહિજ યુવાનની દોડતા યુવાનો માટે ધડારૂપ જહેમત !


પ્રેરણા : જાફરાબાદના અપાહિજ યુવાનની  દોડતા યુવાનો માટે  ધડારૂપ જહેમત !
ભીખીબેનની કુખે 7માં માસેજ જન્મેલો અપાહિજ યુવાન ખાનગી સંસ્થાનો એજન્ટ 
બની માતા પિતાની આજીવિકામાં રીતસરની લાકડી સમાન બનતા સૌમાં અચરજ
કામ ધંધા વગર માત્ર ને માત્ર  માં-બાપ ઉપર બોજારૂપ બનતા યુવાનો જાફરાબાદના યુવાનના જોમ-જુસ્સાને ધ્યાને લેશે ખરા ? 
(કશ્યપ જોશી દ્વારા)  જેતલસર(જેતપુર)તા.23
ગઈ કાલે ભાવનગરમાં એક મિટિંગ હોલના સડ્સડાટ પગથીયા ચડતા અમરેલી પંથકના જાફરાબાદના અપાહિજ યુવાને સાજા નરવા ને દોડતા યુવાનો વચ્ચે વર્ણવેલી પોતાના જોમ-જુસ્સાની દાસ્તાને સૌને અચરજ પમાડી હતી.
આ બાબતે મેળવેલી વિગતો અનુસાર ગઈકાલે ગુજરાત સહીત દેશભરમાં  નોનબેન્કિંગ-પેરાબેન્કીંગ યોજનાઓ ચલાવતી ખાનગી સંસ્થા વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવારની એક વ્યવસાયિક વિકાસ સંમેલનમાં જોડવા અમરેલી પંથકના જાફરાબાદ ના માછીમાર પરિવારના હિતેશ લાલાભાઈ સોલંકી નામના 25 વર્ષનો જન્મજાત અપાહિજ યુવાનને સીડીના પગથીયા ચડતા આ લખનારે રોક્યો હતો કે અરે ભાઈ  તમારે શું કામ છે  મીટીંગમાં ? 
ત્યારે હિતેશે વર્ણવેલી પોતાના જીવનની દાસ્તાન સૌને દુખ સાથે હિંમત પીરસી ગઈ હતી ! 
હિતેશે જણાવેલ કે લાલાભાઈ મંગાભાઈ સોલંકી ( જાતે ખારવા, ધધો માછીમારી,  રહે. જાફરાબાદ) ના ચાર સંતાનોમાંનો તે સૌથી મોટો પુત્ર છે. તેનાથી નાના  બે ભાઈઓમાં મુકેશ  વિરેશ તથા નાની બહેન દક્ષાનો સમાવેશ થાય છે. માતા ભીખીબેનની કુખે નવ માસને બદલે 7માં માસેજ જન્મ પામેલ હિતેશના જન્મથીજ બંને પગ વાંકા હોય, કુદરતના કરિશ્માનો ભોગ બનેલા હિતેશને ઠીક કરવા અત્યંત ગરીબ એવા માછીમાર માતા પિતાએ ઘણી દવાઓ સાથે દુઆ, માનતા, બાધા અને આખડીઓ રાખેલી, પણ હિતેશના પગની સારવારમાં આ પરિવાર કોઈ સફળતા મેળવી શક્યો ના હતો.
મતલબ કે હિતેશ અપાહિજ અવસ્થામાજ અને બે હાથ અને બે પગ(ચાર પગે ચાલીને જ )મોટો થયો હતો.
ધોરણ 10 સુધી ભણેલા હિતેશ 24  વર્ષની ઉમરે પહોંચ્યો ત્યારે મજુરીકામ કરતી માતા અને માછીમારી કરતા પિતાની આજીવિકામાં મદદરૂપ થવાની ઈચ્છા દાખવી જે કામ મળે તે કરી આવક રળવા મથતો હતો.
આવા સમયે છગનભાઈ વાઢેર નામના સ્થાનિક રહીશનો ભેટો થઇ જતા છગનભાઈએ નાની મોટી બચત યોજનાઓ ચલાવતી ઉપરોક્ત ખાનગી સંસ્થાના એજન્ટ તરીકે જોડતા હિતેશ ખુશ થયો હતો.

બોક્સ: મહીને સારું કમાતો હિતેશ અન્યો માટે પ્રેરણારૂપ !!
જેતલસર: હિતેશે જણાવેલ કે ખાનગી સંસ્થા સાથે  જોડાઈને હાલ તેમને 30 થી 40 માસિક ખાતાઓ અને ચાર પાંચ દૈનિક બચતના ખાતા ખોલી રૂપિયા 4 થી પાંચ હજાર જેવી સારી આવક મેળવી પોતાના માતા પિતાની લાકડી બની આર્થિક મદદ કરી રહ્યો છે. તેમને જણાવેલ કે કુદરતની રચનાનો સૌને અમલ અને ભોગવવો જ રહ્યો...પણ અડગ મન હોય તો હિમાલય પણ નડતો નથી તેવું તેમનું માનવું છે. ત્યારે કહેવાનું તાત્પર્ય એ કે એકદમ શારીરિક ફીટનેશ ધરાવતા હોવા છતાં કામ ધંધા વગર માત્ર બાપીકી જાગીર પર જીવતા યુવાનો આ ચાર પગે ચાલતા યુવાનનો જોમ અને ધ્યાને  લઇ પોતપોતાના માતાપિતાને મદદ કરવા જાગશે ખરા ??

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર(જેતપુર) 9974262812
 



સોમવાર, 22 ડિસેમ્બર, 2014

gondal taluka na sultanpur ma ramdev dhun mandal na yuvano dwara aajni pedhi ne shikh saman sevakiy karyo..........tasveer & aheval by .kamlesh ravrani {sultanpur}

---------- Forwarded message ----------
From: "Bhola modeling Studio Sultanpur" <bholamodelingstudiosultanpur@gmail.com>
Date: Dec 22, 2014 12:52 PM
Subject: gondal taluka na sultanpur ma ramdev dhun mandal na yuvano dwara aajni pedhi ne shikh saman sevakiy karyo..........tasveer & aheval by .kamlesh ravrani {sultanpur}
To: <kathiawadpost@gmail.com>, <kkumarjoshi@gmail.com>, "Vijay Chauhan" <avadhtimes@gmail.com>, <abataknews@gmail.com>, <saurashtra.satya@gmail.com>, <akiladaily@gmail.com>, <sanjsamachar@gmail.com>, <akiladaily@yahoo.com>, <amreliexpress7@gmail.com>
Cc:

gondal taluka na sultanpur ma ramdev dhun mandal na yuvano dwara aajni pedhi ne shikh saman sevakiy karyo..........tasveer & aheval by .kamlesh ravrani {sultanpur}

ગુરુવાર, 18 ડિસેમ્બર, 2014

જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નીતાબેન ગુન્દારીયા બિનહરીફ

જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે નીતાબેન ગુન્દારીયા બિનહરીફ 

જેતપુર તા.18

જેતપુર તાલુકા પંચાયત પ્રમુખની વરણી માટેની આજે તાલુકા પંચાયતમાં મળેલી બેઠકમાં પ્રમુખ તરીકે નીતાબેન દિનકરભાઈ ગુન્દારીયા બિનહરીફ થયા થયા હોવાનું તાલુકા વિકાસ અધિકારી  ઘેડાએ જણાવેલ ..

બાબતે મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પંચાયત  કચેરીમાં પ્રમુખ હંસાબેન વૈષ્ણવ ની સત્તાનું શાશન પૂરું થવાને 7/8 મહિના બાકી હતા ત્યાજ સભ્યોમાં આંતરિક મતભેદો સર્જાતા કામો નાં  થતા હોવાના બહાના વચ્ચે આજથી એકાદ મહિના  પહેલા 17 સભ્યોએ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાશની દરખાસ્ત રજુ થતા અને પસાર થઇ જતા  હંશાબેનનું શાશન ઘેર ચાલ્યું ગયું હતું.

દરમિયાન ડીડીઓની સુચના અને આદેશ અનુશાર જેતપુર તાલુકા વિકાસ અધિકારી ઘેડાએ તાલુકા પંચાયત પ્રમુખની વરણી માટે આજરોજ 18 મી ડિસેમ્બરે સામાન્ય સભા મામલતદાર ભોરાનીયાના અધ્યક્ષ સ્થાને બોલાવી હતી.

પહેલા 16 મી ડિસેમ્બર તાલુકા પંચાયત પ્રમુખની દાવેદારી એટલેકે ફોર્મ ભરવાની નિયત કરાઈ હતી. જે દિવસે એક પણ સભ્યે ફોર્મ નહિ ભરતા આજે યોજાયેલ સા.સભા વચ્ચે કુલ 17 માના 13 સભ્યો અને ટીડીઓ ની  હાજરીમાં ખજૂરી ગુંદાળા રહેતા અને જેતપુર તાલુકા પંચાયતની ખીરસરા બેઠકના સભ્ય નીતાબેન દિનકરભાઈ ગુન્દારીયા બિનહરીફ જેતપુર તા.પચાયત પ્રમુખ તરીકે જાહેર થયા હતા.

 

 

 

બોક્સ:  ચાર સભ્યો ગેરહાજર,

નવા પ્રમુખ શું ઉકાળશે ??

જેતપુર:  આજે જેતપુર તાલુકા પંચાયત પ્રમુખ વરણી માટેની યોજાયેલ સામાન્ય સભામાં માજી તા.પં. પ્રમુખ હંસાબેન, કે.પી.પાદરીયા, રસિકભાઈ ગોંડલિયા, તથા જેન્તીભાઈ ડાવરા પોતપોતાના અનિવાર્ય અને પ્રતિકુળ સંજોગોને કારણે ગેરહાજર રહ્યા હોવાનું ટીડીઓ ઘેડાએ જણાવેલ.. જયારે નવા મહિલા પ્રમુખ નીતાબેન અગાઉના પ્રમુખની જેમ વિકાસના કામોને બ્રેક મરાવશે કે વેગ અપાવશે ?  સમયજ બતાવશે.

 કશ્યપ જોશી (જેતલસર )જેતપુર 997426281

  

 

બુધવાર, 17 ડિસેમ્બર, 2014

AVSAN NONDH JETPUR KASHYAP JOSHI JETALSAR

અવશાન નોંધ :
જેતપુર : વરિયા વૈષ્ણવ પ્રજાપતિ જ્ઞાતિના હરસુખભાઈ ટપુભાઈ (ગાડાવાળા -ઉ.વ.65) તે જેન્તીભાઈ , અમુભાઈ અને બાબુભાઈના વડીલબંધુ , કિશોરભાઈ અને ભાવેશભાઈના પિતા તા.17 ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.18 ને ગુરુવારે, તેમના નિવાસસ્થાન, નવી દેસાઈ વાડી, તેજસ્વી હનુમાન મંદિર પાસે, જુનાગઢ રોડ, જેતપુર ખાતે  સાંજે  4 થી 6 રાખેલ છે.

કશ્યપ જોશી જેતપુર -9974262812

મંગળવાર, 16 ડિસેમ્બર, 2014

Kashyap joshi


>
> સોમનાથ થી રાજકોટ જતી મુંબઈ લીનક ટ્રેન નું એન્જીન ગોંડલ બંધ થતા ટ્રેન દોઢ કલાક મોદી થવા પામી હતી રેલ તંત્રે રાજકોટ થી બીજું એન્જીન મંગાવી ટ્રેન દોડાવી હતી. મુસાફરો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો 

સોમવાર, 15 ડિસેમ્બર, 2014

ગામ માટે લાઈબ્રેરી બનાવી




Sent from Samsung Mobile.


-------- Original message --------
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date:12/14/2014 5:52 PM (GMT+05:30)
To: ATUL CHOTAI <kasumbo@yahoo.co.in>
Cc:
Subject: ગામ માટે લાઈબ્રેરી બનાવી

કૌન બનેગા કરોડપતિ-4 માં જીત્યા ને ગામ માટે બનાવી લાઈબ્રેરી

અમદાવાદ: રાણપુર તાલુકામાં આવેલું ખસ ગામ આજે જિલ્લામાં તેની લાયબ્રેરી માટે જાણીતું બન્યું છે. પણ આ લાયબ્રેરીની ખાસિયત એ છે કે, તેને  તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારે નથી બનાવી, પણ તેને બનાવનાર રાણપુરની જન્મભૂમિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ દેવુભા ચાવડા છે. જેઓ સોની ટીવી પર પ્રસારિત થતી "કૌન બનેગા કરોડપતિ-4'માં વર્ષ 2010માં હોટ સીટ પર બેસીને રૂ. 25 લાખ જેટલી માતબર રકમ જીત્યા હતા.  આ રકમમાંથી જ તેમણે પોતાના ગામના તમામ વર્ગના લોકો માટે ઈનામની રકમમાંથી એક જાહેર લાયબ્રેરી બનાવી છે. જેનું નામ વીર શહીદ સહદેવસિંહ મોરી છે. સહદેવસિંહ પાકિસ્તાન સરહદે દુશ્મનો સામે લડતા શહીદ થયા હતા. આ લાયબ્રેરી પાછળ વર્ષે 20 હજાર ખર્ચ થાય છે. આ ખર્ચ પણ વનરાજસિંહ ચાવડા પોતે ભોગવે છે.

રવિવાર, 14 ડિસેમ્બર, 2014

JETPURNA TABIBNE CHHETARI JATA 3 GATHIY. .KASHYAP JOSHI JETPUR

JETPURNA TABIBNE CHHETARI  JATA 3 GATHIY. .KASHYAP JOSHI JETPUR

: ક્લેઈમ ચૂકવવો પડે

> સીએનજી કિટની નોંધ ન થઈ હોય તો પણ ક્લેઈમ ચૂકવવો પડે
>
> સુરતઃ વાહન અકસ્માત અંગે ઈન્સ્યોરન્સના કલેઈમમાં સીએનજી કીટનું રજિસ્ટ્રેશન ન થયું હોય તો પણ વીમા કંપની ક્લેઈમ ચૂકવવા ઈનકાર કરી શકે નહીં એવા ચુકાદા સાથે સુરત જિલ્લા ગ્રાહક કોર્ટે ફરિયાદીને ક્લેઈમની ૭૫ ટકા રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે સુરતમાં રહેતા સુધીર દેસાઈએ ૨૦૦૭માં તેમની ફોર્ડ કાર માટે ઈફકો ટોકિયો કંપનીનો વીમો લીધો હતો. ૨૦૦૯માં તેમણે કારમાં સીએનજી કીટ ફીટ કરાવી હતી. વીમો અમલમાં હતો તે દરમિયાન તા.૧૩-૦૯-૧૧ના રોજ તેમનો પુત્ર વાપીથી આવતો હતો ત્યારે હાઈવે પર અકસ્માત થતાં કારને નુકસાન થયું હતું. તેમણે વીમા કંપનીમાં રૂ.૨.૨૯ લાખનો ક્લેઈમ કર્યો હતો પણ કંપનીએ કારમાં લગાડાયેલી સીએનજી કીટનું આરટીઓ રજિસ્ટ્રેશન ન થયું હોવાના મુદ્દા પર ક્લેઈમ ચૂકવવા ઈનકાર કરી દીધો હતો. સુધીર દેસાઈએ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી.
>

ગામ માટે લાઈબ્રેરી બનાવી


> કૌન બનેગા કરોડપતિ-4 માં જીત્યા ને ગામ માટે બનાવી લાઈબ્રેરી
>
> અમદાવાદ: રાણપુર તાલુકામાં આવેલું ખસ ગામ આજે જિલ્લામાં તેની લાયબ્રેરી માટે જાણીતું બન્યું છે. પણ આ લાયબ્રેરીની ખાસિયત એ છે કે, તેને  તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારે નથી બનાવી, પણ તેને બનાવનાર રાણપુરની જન્મભૂમિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ દેવુભા ચાવડા છે. જેઓ સોની ટીવી પર પ્રસારિત થતી "કૌન બનેગા કરોડપતિ-4'માં વર્ષ 2010માં હોટ સીટ પર બેસીને રૂ. 25 લાખ જેટલી માતબર રકમ જીત્યા હતા.  આ રકમમાંથી જ તેમણે પોતાના ગામના તમામ વર્ગના લોકો માટે ઈનામની રકમમાંથી એક જાહેર લાયબ્રેરી બનાવી છે. જેનું નામ વીર શહીદ સહદેવસિંહ મોરી છે. સહદેવસિંહ પાકિસ્તાન સરહદે દુશ્મનો સામે લડતા શહીદ થયા હતા. આ લાયબ્રેરી પાછળ વર્ષે 20 હજાર ખર્ચ થાય છે. આ ખર્ચ પણ વનરાજસિંહ ચાવડા પોતે ભોગવે છે.
>

AVSANNONDH JETPUR KASHYAP JOSHI..9974262812

AVSANNONDH JETPUR KASHYAP JOSHI..9974262812

બુધવાર, 10 ડિસેમ્બર, 2014

માત્ર 10 રૂપરડીમાં જઠરાગ્ની ઠરતું જેતપુરનું હરીઓમ ભોજનાલય..




સેવાની જ્યોતને  પ્રજ્જવલિત રાખવા સહાય જરૂરી 
માત્ર 10 રૂપરડીમાં ભૂખ્યાની જઠરાગ્ની ઠારતું જેતપુરનું હરીઓમ ભોજનાલય..
(કશ્યપ જોશી )જેતલસર(જેતપુર) તા.10
જેતપુરના ખોડપરા વિસ્તારની શેરી નંબર ડી/7 માં હરિઓમ ભોજનાલય આવેલું છે. જોશી બાપના આશ્રમ તરીકે ઓળખાતા આ ભોજનાલયમાં દરરોજ બપોરે અનેક ભૂખ્યા લોકોની જઠરાગ્ની માત્ર દશ રૂપરડીમાં ઠારવામાં આવે છે. સાવ મામુલી રકમમાં આજે વ્યસનીઓને પાન ફાકીને મસાલો પણ મળતો નથી ત્યારે સુદ્ધ અને સાત્વિક ભોજનથી ભૂખ્યાઓને ભરપેટ જમાડવાની આ સેવાને અનન્ય ગણવી પડે તેમ છે.
અહી જમવા આવતા અત્યંત ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોની  ભોજન વ્યવસ્થા નિયમિત કરવા સુરેશભાઈ લાખાણી, ગીતાબેન લાખાણી અને નન્કુબાપુ તથા બોરડી સમઢીયાળા ની સેવા ઉડીને આંખે વળગે તેવી જોવા મળી. તો વિનુભાઈ બાવીષા,મહેન્દ્રભાઈ દોશી, અનિલભાઈ કાછડિયા અને સ્વ.શારદાબેન મનસુખભાઈ ગઢિયા જેવા અડીખમ દાતાઓના તમામ પ્રકારના સંગીન સહયોગનો અન્યોએ ધડો લેવા જેવું કહેવાનું મુનાશીબ જણાય છે. જયારે આવી ઉત્તમ અન્ન સેવા ચાલુ કરવાનો જેને વિચાર આવ્યો તે દામજીભાઈ(કાળુભાઈ )જોશીની સેવા પણ કાબીલેદાદ જોવા મળી રહી છે. આ માણસે પોતાના તમામ અંગત કામો પડતા મૂકી બસ એક જ ધૂની ધખાવી છે કે ભૂખ્યાની કળકળતી, બળતી જઠરાગ્ની ઠારવી !

બોક્સ : તમે પણ કરી શકો આવી રીતે સેવા !!
જેતપુર: કાળુભાઈ જોશીએ જણાવેલ કે ભોજન ના માસિક દાતા બનવા ઉપરાંત સ્વર્ગે સિધાવેલા પુણ્યાત્માઓની યાદમાં, લગ્ન, જન્મ કે અન્ય કોઈ તહેવારોની ઉજવણીમાં દેખાદેખી કરવાને બદલે જો લોકો આવા ભોજ્નાલાયોમાં બનતો આર્થિક સહયોગ આપતા થાય તો કરોડો પુણ્ય આ ધરતી પર જ મળતા થઇ તેમાં શંકા નથી !

ફોટો અને  અહેવાલ કશ્યપ જોશી જેતપુર જેતલસર