અનુયાયીઓ

રવિવાર, 14 ડિસેમ્બર, 2014

ગામ માટે લાઈબ્રેરી બનાવી


> કૌન બનેગા કરોડપતિ-4 માં જીત્યા ને ગામ માટે બનાવી લાઈબ્રેરી
>
> અમદાવાદ: રાણપુર તાલુકામાં આવેલું ખસ ગામ આજે જિલ્લામાં તેની લાયબ્રેરી માટે જાણીતું બન્યું છે. પણ આ લાયબ્રેરીની ખાસિયત એ છે કે, તેને  તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે રાજ્ય સરકારે નથી બનાવી, પણ તેને બનાવનાર રાણપુરની જન્મભૂમિ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ દેવુભા ચાવડા છે. જેઓ સોની ટીવી પર પ્રસારિત થતી "કૌન બનેગા કરોડપતિ-4'માં વર્ષ 2010માં હોટ સીટ પર બેસીને રૂ. 25 લાખ જેટલી માતબર રકમ જીત્યા હતા.  આ રકમમાંથી જ તેમણે પોતાના ગામના તમામ વર્ગના લોકો માટે ઈનામની રકમમાંથી એક જાહેર લાયબ્રેરી બનાવી છે. જેનું નામ વીર શહીદ સહદેવસિંહ મોરી છે. સહદેવસિંહ પાકિસ્તાન સરહદે દુશ્મનો સામે લડતા શહીદ થયા હતા. આ લાયબ્રેરી પાછળ વર્ષે 20 હજાર ખર્ચ થાય છે. આ ખર્ચ પણ વનરાજસિંહ ચાવડા પોતે ભોગવે છે.
>

ટિપ્પણીઓ નથી: