અનુયાયીઓ

બુધવાર, 19 ડિસેમ્બર, 2018

અમદાવાદના તજજ્ઞ ડોક્ટર્સનો સિવિલ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક ઓપરેશન કેમ્પ



નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધીના બાળકોની સર્જરી - ખોડખાપણ તેમજ કપાયેલા હોઠ અને તાળવાની સર્જરી નિ:શુલ્ક કરી આપવામાં આવશે

રાજ્ય સરકાર દ્વારા જનઆરોગ્ય માટે બહોળા પ્રમાણમાં નિ:શુલ્ક સ્વાસ્થ્ય સુવિધાઓ પૃરી પાડવામાં આવે છે. અનેકવિધ યોજનાઓ હેઠળ જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ સારવાર પુરી પાડવામાં આવે છે તેમજ અવાર નવાર કેમ્પનું વિશિષ્ઠ આયોજન કરવામાં આવે છે.  જેના ભાગ રૂપે રાજકોટમા સર્વપ્રથમ વાર મુખ્યમંત્રી અમૃતમ યોજના, મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના અને આયુષ્માન ભારત યોજના હેઠળ ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી અને જયદીપ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯-૧૨ ને શનિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાક દરમયાન તજજ્ઞ ડોક્ટર્સની ટીમ દ્વારા નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધીના બાળકોનું નિ:શુલ્ક નિદાન તેમજ સર્જરીના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં અમદાવાદના ડો. જયુલ કામદાર (નવજાત બાળકોના સર્જન) ડો. નિશ્વલ નાયક (કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન) ઉપસ્થિત રહી બાળકોની સર્જરી , દાજ્યા પછી રહી ગયેલ ખોડ ખાંપણ તથા સ્માઈલ ટ્રેન અંતર્ગત કપાયેલા હોઠ તેમજ ફાટેલા તાળવાનુ નિદાન તેમજ સર્જરી નિ:શુલ્ક કરી આપવામાં આવશે. આ  કેમ્પનું આયોજન સવારે ૧૦ થી ૧૨ કલાક દરમ્યાન પીડીયું જનરલ હોસ્પિટલ, નવી ઓપિડી બિલ્ડીંગ, બાળકોના વિભાગ રૂમ નં ૧૯ ખાતે રાખવામાં આવેલ છે. આ કેમ્પનો વધુને વધુ જરૂરિયાતમંદ લોકો લાભ લે તેમ ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર તેમજ પીડીયું જનરલ હોસ્પિટલ તથા ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે. (માહિતી બ્યુરો -રાજકોટ)


ટિપ્પણીઓ નથી: