1 માર્ચથી Paytm અને Freecharge જેવા મોબાઇલ વૉલેટ્સ યુઝર્સ મુકાશે મુશ્કેલીમાં !
મોબાઇલ વૉલેટ કંપનીઓને તેમના યુઝર્સના KYC સબમિટ કરાવવામાં નિષ્ફળ ?
મોદી સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા કેશલેશના અભિયાનને કારણે હવે Paytm, mobikwik, payumoney, Freecharge વગેરે જેવા મોબાઇલ વૉલેટ્સ યંગસ્ટર્સની બેઝિક જરુરિયાત બની ગયા છે.
પરંતુ ‘રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા’એ દર્શાવેલી નોટીસ પ્રમાણે આ મોબાઇલ વૉલેટ્સની સામે સમસ્યા ઉભી થઈ છે. ગયા વર્ષે RBI એ તમામ મોબાઇલ વૉલેટ કંપનીઓને તેમના યુઝર્સના KYC સબમિટ કરાવવા માટે આદેશ કર્યો હતો, જેમાં દર મહિને 10 હજાર રૂપિયા કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરતા યુઝર્સે તેમનું KYC આપવું ફરજિયાત છે, જેનામાટેની છેલ્લી ડેડલાઇન 28 ફેબ્રુઆરી, 2018 છે. પરંતુ સ્થિતિ એ છે કે મોબાઇલ વૉલેટ કંપનીઓએ RBIના આ આદેશનું પાલન કર્યું નથી.
KYC સબમિટ કરાવનારા યુઝર્સની સંખ્યા ફક્ત 9% જેટલી જ છે એટલે કે 91% યુઝર્સે પોતાનાં KYC સબમિટ કર્યાં નથી. જો RBI તેના KYC ની મુદ્દત નહીં લંબાવે તો 91% યુઝર્સ માટે મોબાઇલ વૉલેટના ઉપયોગ પર ભયંકર પાબંદી આવી જશે અને તેઓ 10 હજાર રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન જ નહીં કરી શકે અને 10 હજારથી વધુ રકમ તેઓ મોબાઇલ વૉલેટમાં રાખી પણ નહીં શકે. એક રિપોર્ટ પ્રમાણે મોબાઇલ વૉલેટ્સ દ્વારા ડિસેમ્બર, 2017માં 12 હજાર કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. યૂઝર્સે KYC લિંક કરવા તેમના મોબાઇલ વૉલેટને આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લિંક કરાવવાનું ફરજિયાત છે.
મોબાઇલ વૉલેટ કંપનીઓને તેમના યુઝર્સના KYC સબમિટ કરાવવામાં નિષ્ફળ ?
મોદી સરકાર દ્વારા શરુ કરવામાં આવેલા કેશલેશના અભિયાનને કારણે હવે Paytm, mobikwik, payumoney, Freecharge વગેરે જેવા મોબાઇલ વૉલેટ્સ યંગસ્ટર્સની બેઝિક જરુરિયાત બની ગયા છે.
પરંતુ ‘રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા’એ દર્શાવેલી નોટીસ પ્રમાણે આ મોબાઇલ વૉલેટ્સની સામે સમસ્યા ઉભી થઈ છે. ગયા વર્ષે RBI એ તમામ મોબાઇલ વૉલેટ કંપનીઓને તેમના યુઝર્સના KYC સબમિટ કરાવવા માટે આદેશ કર્યો હતો, જેમાં દર મહિને 10 હજાર રૂપિયા કરતાં વધુ ટ્રાન્ઝેક્શન કરતા યુઝર્સે તેમનું KYC આપવું ફરજિયાત છે, જેનામાટેની છેલ્લી ડેડલાઇન 28 ફેબ્રુઆરી, 2018 છે. પરંતુ સ્થિતિ એ છે કે મોબાઇલ વૉલેટ કંપનીઓએ RBIના આ આદેશનું પાલન કર્યું નથી.
KYC સબમિટ કરાવનારા યુઝર્સની સંખ્યા ફક્ત 9% જેટલી જ છે એટલે કે 91% યુઝર્સે પોતાનાં KYC સબમિટ કર્યાં નથી. જો RBI તેના KYC ની મુદ્દત નહીં લંબાવે તો 91% યુઝર્સ માટે મોબાઇલ વૉલેટના ઉપયોગ પર ભયંકર પાબંદી આવી જશે અને તેઓ 10 હજાર રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન જ નહીં કરી શકે અને 10 હજારથી વધુ રકમ તેઓ મોબાઇલ વૉલેટમાં રાખી પણ નહીં શકે. એક રિપોર્ટ પ્રમાણે મોબાઇલ વૉલેટ્સ દ્વારા ડિસેમ્બર, 2017માં 12 હજાર કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. યૂઝર્સે KYC લિંક કરવા તેમના મોબાઇલ વૉલેટને આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લિંક કરાવવાનું ફરજિયાત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો