અનુયાયીઓ

મંગળવાર, 12 જાન્યુઆરી, 2016

જેતપુર માર્કેટ યાર્ડની યોજાયેલ ચુંટણીનો આજે ફેંસલો ખેડૂત પેનલમાં 99.70 ટકા, વેપારી પેનલમાં 94.67 ટકા અને ખરીદ વેચાણ મંડળીમાં 100 ટકા મતદાન નોંધાયું.. જેતપુર તા.12

જેતપુર માર્કેટ યાર્ડની  યોજાયેલ ચુંટણીનો આજે  ફેંસલો

ખેડૂત પેનલમાં 99.70 ટકા, વેપારી પેનલમાં 94.67 ટકા અને

ખરીદ વેચાણ મંડળીમાં 100 ટકા મતદાન નોંધાયું..

જેતપુર તા.12

જેતપુર માર્કેટ યાર્ડની ગઈકાલ તા.12 ના રોજ યોજાયેલ ચુંટણીનો આજે તા.13 નારોજ ફેંસલો થશે

જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ સ્વ.જમનાદાસ વેકરીયા માર્કેટ યાર્ડની આજે યોજાયેલ ચુંટણીમાં સંબંધિત મતદારોએ ભારે ઉત્સાહ દાખવી મતદાન કર્યું હતું..

બાબતે માહિતી આપતા જેતપુર યાર્ડના સેક્રેટરી જયસુખભાઈ ઠુંમરે જણાવેલ કે, આજે યાર્ડની ચુંટણી, ચુંટણી અધિકારી સંગીતાબેન રૈયાણી, રજીસ્ટ્રાર તથા યાર્ડના કાર્યવાહ્કોની હાજરીમાં યોજાયેલ મતદાનમાં કુલ 14 બેઠકોમાં ખેડૂત પેનલની 8 શીટ માટે ઉભા રહેલા 8-8 ભાજપ-કોંગ્રેસ સહીત કુલ 42 ઉમેદવારો માટે કુલ 462 મતદારોમાંથી 459 (99.70 ટકા) મતદારોએ મતદાન કર્યું હતું,

ખરીદ વેચાણ મંડળીની 2 શીટ માટે ઉભેલા 3 ઉમેદવારો માટે 43 તમામ મતદારોએ(100 ટકા) મતદાન કર્યું હતું. જયારે વેપારી પેનલની 4 બેઠક માટે ઉભેલા 6 ઉમેદવારો માટેના સંબંધિત 225 માંથી 213(94.67) મતદારોએ મતદાન કર્યું હતું. યાર્ડની ચુંટણીની રસાકસીની વાત જાણવા મળી છે કે એક બાજુ યાર્ડના જુના જોગી દિનેશ ભુવા સામે કોંગ્રેસના જગદીશ પામ્ભર તાલુકા-જીલ્લા પંચાયતવાળી કરવાના મૂડમાં છે. તો શહેરના એક સિધ્ધાંતવાદી નાગરિક નરેન્દ્ર પટેલ પણ યાર્ડ ચુંટણીના મેદાનમાં ઉતર્યા હોય તેઓ પણ યાર્ડમાં કંઈક નવા જૂની કરવા થનગની રહ્યા છે. એક વાત એવી પણ જાણવા અને અનુભવવા મળી કે, યાર્ડમાં ચેરમેન તરીકે દિનેશ ભુવા પુનઃ સત્તા હાંસલ કરે અને તેમના મતદારો કોઈનાથી ખરીદાય જાય તે પહેલાજ કાંડાબળિયા કિશાન નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ સાડા પાંચસો જેટલા મતદારોને છેલ્લા ત્રણ દિવસ થયા શ્રીનાથજી(નાથદ્વારા) સહેલગાહે મોકલી દીધા હતા. જે તમામ આજે સવારે પાછા જેતપુર આવી મતદાન કર્યું હોય જુના ચેરમેનું  પલડું ભારે હોવાની વાતે ચર્ચા જગાવી છે.

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

 

 


જેતપુરમાં કારખાનાના કેશીયર પાસેથી 

ત્રણ લાખ લુંટી લેનાર બે શખ્સોની શોધખોળ

જેતપુર, તા.૧ર

ગઈકાલે  જેતપુરમાં છરીની અણીએ કારખાનાના કેશીયરને લુંટી લેનાર બે શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગતો  મુજબ જેતપુરના થાણાગાલોળ ગામ પાસે આવેલ આર્યન પ્રોસેસમાં કેશીયર તરીકે નોકરી કરતા જીજ્ઞેશ સવજીભાઇ ચાવડા (રહે. ડેડરવા) ગઇકાલે બપોરે જેતપુરના કાણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલ આઇસીઆઇસીઆઇ બેંકમાંથી લાખ ઉપાડી બાઇક પર જતો  હતો ત્યારે  ખીરસરા રોડ પર કાચા માર્ગે બે અજાણ્યા શખ્સોએ બાઇક આડુ નાખી છરી દેખાડી લાખની રોકડ ભરેલો થેલો લુંટી નાસી છુટયા હતા. અંગે જીજ્ઞેશભાઇ કારખાને પહોંચી માલીકને જાણ કરતા પોલીસને જાણ કરાતા નાકાબંધી કરાઇ હતી પણ બંન્ને શખ્સોના કોઇ સગડ મળ્યા હતા.

   બાઇક સવાર બે શખ્સો પૈકી એકે કાળા કલરનું જેકેટ અને મોઢે બુકાની બાંધેલ હતું. જયારે બીજાએ ભુરા કલરનું જેકેટ અને માથે મફલર બાંધ્યું હતું. ઘટના બાદ પોલીસે નજીકના સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા પણ બંન્ને લુંટારૂઓના કોઇ સગડ મળ્યા હતા. વધુ તપાસ તાલુકા પોલીસ ચલાવી રહી છે

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

 

 

 

 

 

ટિપ્પણીઓ નથી: