ગીર સોમનાથના પત્રકાર પરના હુમલાને વખોડતા જેતપુરના પત્રકારો
> જેતપુર તા.૬
> ગીર સોમનાથ ઇલો.મડીયાના દિલીપ મોરી સહિતના પત્રકારો પર કરાયેલ હિચકારા હુમલાને જેતપુર જેતલસર ના ન્યુઝ પેપર એજન્ટ તેમજ પત્રકારોએ એક તાકીદની બેઠક દરમિયાન વખોડી કાઢ્યો હતો. બેઠકમાં ઉપસ્થિત તમામ અખબારી પ્રતિનિધીઓએ એકીસુરે જણાવેલ કે લોકશાહીના ચોથા આધાર સ્તંભ સમા પત્રકારોની સલામતી જ જોખમાતી રહેશે તો પ્રવર્તમાન સમયમાં ચાલતી અને ચલાવાતી અનેકવિધ બદીઓ સરકાર સમક્ષ આવતી બંધ થઇ જશે. એટલુજ નહિ પત્રકારો સત્ય વાતને રજુ નહિ કરે તો અન્યો રાજ્યોમાં રોજ સુરજ ઉગેને આચરાતી ગુંડાગીરી ગુજરાતમાં પણ ઘર કરી જશે.બેઠકમાં જેતપુરના પત્રકારો હિતેશ સાવલિયા, કશ્યપ જોશી, એજાજ બોઘાણી , નાસીર બોઘાણી , જેતલસર ના જીતુભાઈ જોશી, કુલદીપ જોશી વિગેરે જોડાયા હતા.
> કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 6 ઑક્ટોબર, 2015
Shared from "Gujarati Pride Editor" via Android.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો