અનુયાયીઓ

સોમવાર, 5 ઑક્ટોબર, 2015

જેતપુરના મામલતદારને આવેદન આપતા ટ્રાન્સપોર્ટ સંચાલકો-ધોલાઈઘાટ સંચાલકો....

જેતપુરના મામલતદારને આવેદન આપતા 

ટ્રાન્સપોર્ટ સંચાલકો-ધોલાઈઘાટ સંચાલકો....

જેતપુર તા.૫  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરમાં આજે ટ્રાન્સપોર્ટના સંચાલકો અને સાડી ધોલાઈઘાટ સંચાલકોએ મામલતદારને આવેદન આપી પોત પોતાને પડતી તકલીફો હલ કરાવવા માંગણીઓ દોહરાવી હતી.

મળતી વિગતો મુજબ જેતપુરના ટ્રાન્સપોર્ટ સંચાલકોએ આજે એક બેઠક યોજી પાંચ દિવસ થયા ચાલતી દેશ વ્યાપી ટ્રક ટ્રાન્સપોર્ટની ચાલતી હડતાલમાં પ્રથમથીજ જોડાયા હોવાનું અને જ્યાં સુધી આ બાબતે કોઈ નિરાકરણ ના આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની વાત દોહરાવી હતી.

તો છાપરવાડી ડેમ અને નદી વિસ્તારમાં સાડી ધોલાઈ ઘાટના પાણી ના છોડતા હોવા છતાં સરકારી તંત્ર દ્વારા કરતી હેરાનગતિ દુર કરવા ધોલાઈ ઘાટ સંચાલકોએ આવેદન આપ્યું હતું.

 

ત્રણ માસ થયા અપહ્યુત કિશોરીને છોડાવાઈ

જેતપુર તા.૫ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના ભોજાધાર વિસ્તારની એક કિશોરીને મોનું નામનો પરપ્રાંતીય શખ્શ લલચાવી ફોસલાવી બદકામના ઈરાદે આજથી ૩ માસ પહેલા ભગાડી ગયો હતો. જે કિશોરીને મુક્ત કરાવી શહેર પોલીસે અપહરણકર મોનું સામે દુષ્કર્મ સહિતનો ગુનો નોધી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

--------------------------------------------------

જેતપુરની બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં

પૈસા જમા કરવાનું રીસાઇકલર મશીન પણ 

મુકાતા ખાતાઘારકો ભારે હેરાન પરેશાન !

પૈસા ઉપાડનાર અને પૈસા જમા કરાવનાર ગ્રાહકોની કોઈ સલામતી ના રહેતી હોવાની ફરિયાદ

જેતપુર તા.૫  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરની બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં પૈસા જમા કરાવવાની પણ સુવિધા ઉપલબ્ધ કરતા બેક ગ્રાહકોમાં સલામતી જોખમાઈ રહી હોવાની ફરિયાદો ઉઠી છે, તો બેંક સુત્રોએ આ વ્યવસ્થા અલગ રાખવા ઉપરી વર્તુળોને રજૂઆત કરવાની ગ્રાહકોને ખાતરી આપી છે.

 

મળતી વિગતો મુજબ અહીના ફૂલવાડી સ્ટેશન રોડ (સ્ટેન્ડ ચોક)માં આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં બેન્કના પગથીયા ચડતાજ એટીએમ સેન્ટર બનાવાયું છે. અત્યાર સુધી અહી માત્ર પૈસા ઉપાડવાની સુવિધાજ હોય બેંક ગ્રાહકો પૈસા ઉપાડવામાં ભારે સલામતી અનુભવતા હતા.

 

પણ થોડા સમય થયા આ એટીએમ સેન્ટરમાં પૈસા જમા કરાવવાનું મશીન (રીસાઇકલર) મુકવામાં આવતા હવે આ જગ્યાએ પૈસા ઉપાડવાવાળા અને પૈસા જમા કરવાવાળા એમ બંને ગ્રાહકો ભેગા થતા હોય અહી શંભુમેળા જેવું વાતાવરણ ખડું થતું હોય, ગ્રાહકોની કોઈ સલામતી જળવાતી ના હોવાની ગ્રાહકોની ફરિયાદ છે.

 

આ બાબતે બેન્કના મેનેજર ગુપ્તાએ જણાવેલ કે આ બાબતે તેઓ બેન્કના ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરશે. આ ફરિયાદને તાત્કાલિક હલ કરી બંને સુવિધાઓ અલગ કરવા બેંક ગ્રાહકોની માંગ પ્રબળ બની છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨

 

 



ટિપ્પણીઓ નથી: