અનુયાયીઓ

બુધવાર, 19 ઑગસ્ટ, 2015

ચકડોળ પરથી ગબડેલા બિહારી યુવાનનું જેતપુરમાં સારવાર દરમીયાન મોત

સુલતાનપુરમાં ચાલતા દશામાના મેળામાં ચાલતા ટ્રાયલ દરમિયાન 
ચકડોળ પરથી ગબડેલા બિહારી યુવાનનું જેતપુરમાં સારવાર દરમીયાન મોત 
15 ફૂટ ઉંચેથી ચકડોળ પરથી ગયા રવિવારે ગબડ્યો હતો, ચાર દિવસની સારવાર દરમિયાન જીંદગી ખલ્લાસ થઇ ગઈ !!
જેતપુર તા.19
આજથી ચાર દિવસ પહેલા ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ચાલતા મનોરંજક મેળામાં ચકડોળ પરથી ગબડેલા એક બિહારી યુવાનનું આજે જેતપુરની ખાનગી હોસ્પીટલમાં સારવાર દરીમીયાન મોત થતા શહેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જે પોષતું તે મારતું તેવી કહાવત જાણે અક્ષરશઃ સાબીત થઇ હોઈ તેમ સૌરાષ્ટ્ર ગુજરાતના જુદા જુદા લોકમેળાઓમાં ચકડોળ સંચાલકો સાથે મજુરી કામે રહી પોતાના પરીવાનના ગુજરાનમાં મદદ કરતા અને ગોંડલના સુલ્તાનપુર ગામે રહેતા મૂળ બિહારના આકાશ કુમાર રવિદાસ ચમાર ઉ.વ.20 નામનો યુવાન ચાર દિવસ પહેલા સુલતાનપુર ગામે દશામાના શરુ થયેલ મેળામાં એક ચકડોળના ટ્રાયલ દરીમીયાન ગયા રવિવારે 15 ફૂટ ઉંચેથી નીચે ગબડતા તેમને હાથે અને માથામાં ગંભીર ઈજાઓ સાથે ગંભીર હાલતમાં સારવાર માટે જેતપુરની એક ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.
જ્યાં આજે ચાર દિવસની સારવાર દરમિયાન આકાશનું મોત થતા તેમની ડેડબોડી પીએમ માટે અહીના સરકારી દવાખાને લવાઈ હોવાની હોસ્પિટલ સુત્રોની જાણ પરથી જેતપુર શહેર પોલીસ હોસ્પીટલે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની વધુ તપાસ જેતપુર સીટી પોલીસના એએસઆઈ નલીનભાઈ સોલંકીએ હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી: