ગાયત્રી શક્તિ પીઠ જેતપુર દ્વારા બાળકોને સત્કારાયા
જેતપુર તા.14
જેતપુરના કોટડીયા વાડી ખાતે આવેલ શ્રી ગાયત્રી મંદિર(ગાયત્રી શક્તિ પીઠ) દ્વારા તાજેતરમાં તેજસ્વી બાળકોને સન્માની પ્રોત્સાહક ઇનામો અપાયા હતા. આ તકે પ્રવીણભાઈ રાવરાણી, ઉપેન્દ્ર વ્યાસ તેમજ બી.બી.ભીમજીયાણી સહિતના ગાયત્રી પરિજનોએ બાળકોનો ઉત્સાહ વધારી સત્કાર્યા હતા.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812
જેતપુરની ગોપીઓએ યોજ્યો કાનગોપી રાસ
જેતપુર : ગઈકાલે જેતપુરના કોટડીયા વાડી વિસ્તારની ભાવીકાઓ ગોપી બહેનોએ કાનગોપી રાસનું આયોજન કરી મહોલ્લાવાસીઓને જકડી રાખ્યા હતા.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812
જેતપુરનું ગૌરવ
જેતપુર: જેતપુરમાં રહેતા અને જુનાગઢની ઓમ એન્જી.કોલેજમાં અભ્યાસ કરતા મોહિત બાબરીયાએ જીટીયુ દ્વારા જાહેર થયેલ પરિણામ અંતર્ગત 10 માંથી 10 એસપીઆઈ મેળવી ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવી સમસ્ત લેઉવા પટેલ સમાજ જેતપુરનું ગૌરવ વધારેલ છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812
અવસાન નોંધ :
જેતપુર: રાજકોટ નિવાસી જીતેન્દ્રભાઈ હસમુખભાઈ ભટ્ટ(ઉ.વ.42) તે વિનોદરાઈ મણિશંકર ઠાકરના જમાઈ તેમજ નીલેશભાઈ અને હરેશભાઈના બનેવી તા.10.7. ના રોજ અવસાન પામેલ છે.બેસણું તા.17 ને શુક્રવારે, સાંજે 4 થી 6, ખોડપરા, ગોપાવાડી, શેરી નં.આઈ/9 જેતપુર ખાતે રાખેલ છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો