જેતપુરમાં રવિવારે બ્રહ્મસમાજનું
જીવનસાથી પસંદગી સંમેલન
જેતપુર તા.2
આગામી તા.5-4 ને રવિવારના રોજ જેતપુર ખાતે સમસ્ત અને યુવા બ્રહ્મસમાજ દ્વારા જીવન સાથી પસંદગી સંમેલનનું આયોજન કરાયું છે.
અહીની નવી લોહાણા મહાજન વાડી ખાતે, સવારના 9-30 વાગ્યાથી યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી જયેશ રાદડિયા, બ્રહ્મસમાજના ભામાશા સમાન ગણાતા વી.આઈ.પંડયા, જુનાગઢના કમિશ્નર રાજેન્દ્ર ત્રિવેદી, માજી ધારાસભ્ય જસુબેન કોરાટ, નીતિનભાઈ મહેતા, વી. મહાનુભાવો બ્રહ્મ અગ્રણીઓ, આગેવાનો અને કાર્યકરોનો ઉત્સાહ વધારશે..યોગ્ય પાત્રને શોધવાના આ પસંદગી સંમેલનને સફળ બનાવવા કમલેશભાઈ પંડયા, અલ્પેશ વ્યાસ, સુભાષ તેરૈયા, કાળુભાઈ જોશી, હિતેશ રાવલ, નીલેશ જોશી વી. ભારે જહેમત ઉઠાવશે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો