આણંદ
આણંદ જિલ્લાના તાલુકા મથકો ખાતે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭-નવેમ્બરે યોજાશે
અરજદારોએ ૧૦-નવેબર સુધીમાં અરજી મોકલવાની રહેશે
આણંદ (શહેર) ખાતે જિલ્લા કલેકટર ર્ડો.રાહુલ ગુપ્તા, આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.કુલદીપ આર્ય અને બોરસદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી ઉપસ્થિત રહેશે
આણંદ - બુધવાર - આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) જે-તે તાલુકા મથકે નિયત સ્થળે તા. ૨૭/૧૧/૨૦૧૩ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે.
આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે તા.૧૦/૧૧/૨૦૧૩ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.૨૭/૧૧/૨૦૧૩ એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.
ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આપના જિલ્લા કે તાલુકાના પ્રશ્નો સબંધિત તલાટી-કમ-મંત્રીને ઉપરોક્ત મુદત સુધીમાં રજુ કરી શકશે. ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ તેમજ સબ જ્યુડીસ પ્રશ્નો તથા નોકરીને લગતા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. અગાઉ ફરીયાદ નિવારણમાં પુંછાયેલા અને આખરી નિકાલ થયેલ પ્રશ્નો ની રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહી.
જે અરજદારોના પ્રશ્નો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોએ તા.૨૭/૧૧/૨૦૧૩ સવારે ૧૧-૦૦ કલાકે જે-તે તાલુકા મથકોએ જાતે હાજર રહેવું. રજુ થયેલ પ્રશ્નનું નિરાકરણ તે દિવસે સવારે ૧૧-૦૦ કલાકથી કરવામાં આવશે.
અરજદારો એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આણંદ (શહેર) ખાતે જિલ્લા કલેકટર ર્ડો.રાહુલ ગુપ્તા, આંકલાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.કુલદીપ આર્ય અને બોરસદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.વી.અસારી ઉપસ્થિત રહેશે.
તમામ તાલુકા મથકે લાયઝન અધિકારીઓ હાજર રહેશે જેની આણંદ જિલ્લાની જાહેર જનતાએ નોંધ લેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.
આણંદ ખાતે જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮-નવેમ્બરે યોજાશે
અરજદારોએ ૧૦-નવેમ્બર સુધીમાં અરજી મોકલવાની રહેશે
આણંદ - બુધવાર - આણંદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૧૧/૨૦૧૩ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે, કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે યોજાશે.
જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં બિન નિવાસી ભારતીય (એન.આર.આઇ) અને બિન નિવાસી ગુજરાતી (એન.આર.જી) ને સ્પર્શતા પ્રશ્નોની અરજી કલેકટરશ્રી-આણંદના ઇ-મેઇલ એડ્રેસ collector-and@gujarat.gov.in ઉપર કરવાની રહેશે. આ પ્રશ્નોના જવાબ પણ જે-તે અરજદારોને તેમના ઇ-મેઇલ એડ્રેસ ઉપર આપવામાં આવશે.
આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦/૧૧/૨૦૧૩ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે. અરજદારો એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે.
અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૮/૧૧/૨૦૧૩ એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.
ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ તેમજ સબ જ્યુડીસ પ્રશ્નો તથા નોકરીને લગતા પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી. અગાઉ ફરીયાદ નિવારણમાં પુછાયેલા અને આખરી નિકાલ થયેલ પ્રશ્નો ધ્યાને લેવામાં આવશે નહી.
જે અરજદારોના પ્રશ્નો જિલ્લા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવામાં આવ્યા હોય તે અરજદારોએ તા.૨૮/૧૧/૨૦૧૩ સવારે ૧૦-૧૫ કલાકે કલેકટર કચેરી,કોન્ફરન્સ હોલ, આણંદ ખાતે અરજદારે જાતે જ હાજર થવાનું રહેશે.
આણંદ ખાતે ૧૬-નવેમ્બરે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાશે
આણંદ - બુધવાર - આગામી તા. ૧૬/૧૧/૨૦૧૩ શનિવારના રોજ સરકીટ હાઉસ-આણંદ ખાતે કાયદો અને વ્યવસ્થાની બેઠક ૧૧-૦૦ કલાકે, જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ ભાગ-૧, ૧૧-૩૦ કલાકે, જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ ભાગ-૨ બપોરે ૧૨-૦૦ કલાકે અને ત્યારબાદ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક બપોરે ૧-૩૦ કલાકે યોજાનાર છે. આ બેઠકમાં સબંધિત અધિકારીઓએ જરૂરી માહિતી સહ હાજર રહેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.
જમીન મહેસુલની બાકી રકમ જમા કરાવવા સુચના
આણંદ - બુધવાર - આણંદ નગરપાલિકા વિસ્તાર/શહેરની હદમાં આવેલ બિન ખેતી તેમજ ખેતીની જમીન મહેસુલની રકમ અને દંડની રકમ ધણા ખાતેદારોની બાકી રહેલ છે. આવા તમામ ખાતેદારોને અવાર નવાર જણાવવા છતા પણ જમીન મહેસુલની રકમ ભરપાઇ કરવામાં આવતી નથી. જેથી આણંદ શહેર/નગરપાલિકા વિસ્તારની હદમાં આવેલ તમામ કે જેમની જમીન મહેસુલ બાકી હોય તેમણે જિલ્લા સેવા સદન,કલેકટર કચેરી ખાતે, આણંદ શહેરના તલાટી કમ મંત્રીનો સંપર્ક સાંધી બાકી રકમ ભરપાઇ કરવા મામલતદાર (શહેર) આણંદ દ્વારા જણાવાયું છે.
રૂા.૧૮૦ કરોડના ખર્ચે વિરાર-મુંબઇ ખાતે અમૂલ દ્વારા નિર્મિત અત્યાધુનિક રોબોટીક પ્લાન્ટનું ઉદ્ધાટન કરાયું
આણંદ - બુધવાર - મુંબઇના વિરાર ખાતે અમૂલ દ્વારા નિર્મિત એશિયાના સૌપ્રથમ અત્યાધુનિક રોબોટીક પ્લાન્ટનું ઉદ્ધાટન ભારત સરકારના કૃષિ મંત્રીશ્રી શરદ પવારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્લાન્ટ દ્વારા દરરોજ ૧૦ લાખ લીટર દૂધ પ્રોસેસ કરશે જેના પાછળ રૂા.૧૮૦ કરોડના ખર્ચે આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ પ્લાન્ટના માધ્યમથી મુંબઇ નગરી અને તેના પરા વિસ્તારોને તાજું દૂધ અને દૂધની બનાવટો પુરી પાડવામાં આવશે. આ પ્લાન્ટમાં પ્રતિ કલાકે ૫૦ હજાર લીટર દુધ પ્રોસેસ કરી શકાશે અને 1 મિનીટમાં ૧૬૦ દુધના પાઉચ કોમ્પ્યુટર સંચાલન પધ્ધતિથી ભરવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી પૃથ્વીરાજ ચૌહાણે આણંદ-ખેડા જિલ્લા સહકારી મંડળી સહિત અમૂલ ડેરી અંગે જણાવ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજયો અલગ પડયા બાદ ગુજરાતે સહકારી ક્ષેત્રે ઝંપલાવ્યું અને મહારાષ્ટ્રે શેરડી, મોરસના ઉત્પાદનમાં કસબ અજમાવ્યો. ગુજરાતે સહકારી ક્ષેત્રે ખૂબ સ્ધ્ધિઓ હાંસલ કરી છે. જેમાં અમૂલની માર્કેટીંગ મેનેજમેન્ટમાંથી અન્ય રાજયોએ શીખ લેવા જેવી છે. જો કે મહારાષ્ટ્ર સહકારી મંડળીઓ ક્ષેત્રે હજી વિકાસશીલ થયું ન હોવાનું જણાવતા તેઓએ ઉમેર્યુ હતું કે, હવે અમૂલ સાથે મળીને મહારાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રે ચોકકસ વિકાસ સાથે ઐતિહાસિક ક્રાંતિ કરવાનું જણાવ્યું હતું.
વિરારમાં અમૂલના પ્લાન્ટ તૈયાર થવાથી સ્થાનિક અને મહારાષ્ટ્રના અન્ય ગામડા, શહેરના યુવાનોને રોજગારી મળશે તેમ જણાવતા અમૂલના ચેરમેનશ્રી રામસિંહ પરમારે ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજયો વચ્ચે સહકારીતાની ભાવના વધુ બળવત્તર બનશે તેમ ઉમેર્યુ હતું.
રાજકીય અગ્રણીઓ, સહકારીક્ષેત્રના મહાનુભાવો દ્વારા પ્રારંભમાં સરદાર પટેલ તથા ઇન્દીરા ગાંધીને સ્મરણાંજલિ, પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓના દેશ પ્રત્યેના બલિદાનને યાદ કરી અમૂલના ઇતિહાસમાં તેઓએ આપેલ સહકાર બદલ યાદ કર્યા હતા.
આ પ્રસંગે ખેડાના સાંસદ અને કેન્દ્રીયમંત્રીશ્રી દિનશા પટેલ, આણંદના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીશ્રી અજિત પવાર, મહારાષ્ટ્ર મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યશ્રી બલીરામ જાદવ, લોકનેતા હિતેન્દ્ર ઠાકુર, ફેડરેશનના ચેરમેન વિપુલભાઇ ચૌધરી સહિત રાજકીય અને સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
સૈનિક શાળા-બાલાછડી-જામનગર ખાતે ધો-૬ અને ધો-૯ માં પ્રવેશ મેળવવા અંગે
પ્રવેશ પરીક્ષા ૫ જાન્યુઆરી-૨૦૧૪ ના રોજ યોજાશે
૩૦-નવેમ્બર-૨૦૧૩ સુધી અરજી પત્રક મળી શકશે
અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ ૭ ડીસેમ્બર-૨૦૧૩
આણંદ - બુધવાર - સૈનિક શાળા, બાલાછડી, જામનગર અંગ્રેજી માધ્યમની ફક્ત છોકરાઓ માટેની આવાસી પબ્લિક શાળા છે. જે સી.બી.એસ.સી. સાથે સંલગ્ન છે. ૧૦+૨ ની પધ્ધતિ અનુસાર વિઘાર્થીઓને તૈયાર કરવા તેમજ રાષ્ટ્રિય સુરક્ષા એકેડમીમાં અને ભારતીય સુરક્ષાદળના ઓફીસર તરીકે જોડાવા તૈયાર કરવામાં આવે છે. ઉપરાંત બાળકોના સર્વાગી વિકાસ શિક્ષણ ઉપરાંત ઇતર પ્રવૃતિઓ અને કાર્ય કરતા શીખવાડે છે.
આ સંસ્થા ખાતે ધો.-૬ માં પ્રવેશ મેળવવવા માટેની ઉંમર તા.૨-૭-૨૦૧૩ થી તા.૧-૭-૨૦૦૪ની વચ્ચે જન્મેલ છોકરાઓને પ્રવેશ મળવાપાત્ર છે. તથા ધો. ૯ માટે તા.૨-૭-૨૦૦૨ થી તા.૧-૭-૨૦૦૧ વચ્ચે જન્મેલ બાળકોને પ્રવેશ મળશે.
પ્રવેશ મેળવેલ વિઘાર્થીઓએ વાર્ષિક રૂા.૯૦,૦૦૦/- ફી ચૂકવવાની રહેશે. આ માટે પ્રવેશ પરીક્ષા તા.૫/ ૧/૨૦૧૪ના રોજ યોજાશે. પ્રવેશ ફોર્મની વેચાણ તારીખ ૩૦/૧૧/૨૦૧૩ છે, જ્યારે અરજીપત્રક સ્વીકારવાની છેલ્લી તારીખ ૭-૧૨-૨૦૧૩ છે.
પરીક્ષા કેન્દ્રો અમદાવાદ, બાલાછડી અને સુરત રહેશે. વધુ જાણકારી માટે શાળાની વેબસાઇટ www.ssbalachadhi.org ઉપરથી પણ અરજીપત્રક ડાઉનલોડ કરી વાપરી શકાશે. અન્ય જાણકારી માટે ફોન નં.૦૨૮૯૩-૨૪૬૨૨૬ તથા મો.નં. ૯૭૨૫૮ ૭૬૭૫૦ અને ૯૪૨૮૮ ૧૭૦૦૪ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.
આણંદ ખાતે એન.ટી.એસ. અને એન.એમ.એસ.એસ. પરીક્ષા ૧૭-નવેમ્બરે યોજાશે
સબંધિત શાળાઓએ વિઘાર્થીઓના બેઠક નંબર મેળવી લેવા
આણંદ - બુધવાર - ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા એન.ટી.એસ. અને એન.એમ.એસ.એસ. પરીક્ષા આગામી તા.૧૭/૧૧/૨૦૧૩ના રવિવારના રોજ લેવાનાર છે. એન.ટી.એસ. પરીક્ષા ડી.એન.હાઇસ્કૂલ,આણંદ ખાતે તેમજ એન.એમ.એમ.એસ. પરીક્ષા કસ્તુરબા કન્યા વિઘાલય, આણંદ ખાતે લેવાશે. આ પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓના બેઠક નંબર સબંધિત શાળાઓએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા સેવાસદન,બોરસદ ચોકડી, આણંદ ખાતેથી આગામી તા.૧૫ અને ૧૬- નવેમ્બરના રોજ બિનચૂક મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.
સારોલના ગીતાબેન ગુમ થયા છે
આણંદ - બુધવાર - પોલીસ અધિક્ષકની યાદીમાં જણાવ્યાનુંસાર કલ્યાણપુરા મુંસારોલ તા.બોરસદ જિલ્લો આણંદ ખાતે રહેતા ગીતાબેન રમેશભાઇ જાદવ તા.૮/૧૦/૨૦૧૩ના રોજ ૧૦-૦૦ કલાકેં પોતાના ધરે કોઇને પણ કહ્યા વગર ક્યાંક જતા રહયા છે. જે આજદીન સુધી પરત આવેલ નથી તેણીની ઉંમર ૨૫ વર્ષ, પાતળો બાંધો, રંગે ધઉવર્ણ , ઉંચાઇ ૪.૪ ફૂટ, શરીરે લાલ રંગની સાડી પહેરેલ છે.
ગુમ થનાર ગીતાબેન રમેશભાઇ જાદવ આપના વિસ્તારમાં મળી આવેતો ભાદરણ પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૬૯૬-૨૮૮૬૩૩ તથા એલ.સી.બી. આણંદના ફોન નંબર ૦૨૬૯૨-૨૫૫૭૦૦ ઉપર જાણ કરવા જણાવાયું છે.
અસ્થીર મગજના કારણે જયેશભાઇ(લાલો) ગુમ થયેલ છે
આણંદ - બુધવાર - ભાથીજીના મંદીર પાસે ભાઠી વિસ્તાર મું દેણાપુરા -અડાસતા.જી.આણંદના રહેવાસી જયેશભાઇ રામસીંગભાઇ પરમાર તા.૧૮/૦૯/૨૦૧૩ના રોજ ૦૭-૦૦ કલાકે અસ્થીર મગજના કારણે ક્યાંક ચાલી ગયેલ છે. જે આજદીન સુધી પરત આવેલ નથી. તેમની ઉંમર ૨૮ વર્ષ, મધ્યમ બાંધો, રંગે ધઉવર્ણ,
ઉંચાઇ ૫ ફૂટ, શરીરે ભુરા રંગનું પેન્ટ તથા રાખોડી રંગનું અખી બાયનું શર્ટ પહેરેલ છે.તથા અસ્થીર મગજના છે.
ગુમ થનાર જયેશભાઇ રામસીંગભાઇ પરમાર આપના વિસ્તારમાં મળી આવેતો વાસદ પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૬૯૨-૨૭૪૨૪૫ તથા એલ.સી.બી. આણંદના ફોન નંબર ૦૨૬૯૨-૨૫૫૭૦૦ ઉપર જાણ કરવા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો