મુંબઈની પોલીસ હવે સૌર ઊર્જાનો કરશે ઉપયોગ
મુંબઈ: વીજળીની બચત કરવાની તાતી આવશ્યકતા છે. હવે મુંબઈની પોલીસ વીજળીની બચત કરશે. પોલીસ દળ માટે પહેલીવાર સૌર ઊર્જાના ઉપયોગની યોજના તૈયાર કરવામાં આવી છે. નાગપાડા ખાતે આવેલા પરિવહન વિભાગ સહિત પાંચ સ્થળે ૭૫ સોલાર પાવર પોલ બેસાડવામાં આવ્યા છે. આને લીધે સેંકડો યુનિટ વીજળી બચશે એની સાથે બિલ પેટે હજારો રૂપિયાની બચત થશે એ દેખીતું છે. પરિવહન વિભાગના ડેપ્યુટી કમિશનર અતુલ પાટીલને સૌર ઊર્જા સંબંધી યોજનાની માહિતી મળતાં તેમણે આ યોજનાનો અમલ કરવાનો નિર્ણય લીધો. તેમના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર નાઈકે કલેક્ટરની ઓફિસમાં રજૂઆત કરીને મુંબઈ માટે ૪૫ અને ઉપનગરો માટે ૩૫ સૌર દીવા મેળવ્યા હતા. આ દીવાના પ્રકાશ નીચે કારનું સમારકામ થાય છે. પેટ્રોલ પમ્પ પર હાલ આ દીવાનો ઉપયોગ થાય છે. સૌર દીવાને એક દિવસમાં ચારથી પાંચ કલાકનો સૂર્યપ્રકાશ મળે એટલે ઊર્જા ત્રણ દિવસ સુધી સંઘરી શકાય છે. અંધારું થતાં દીવા પ્રકાશ રેલાવે છે અને બીજા દિવસના સૂર્યોદય વખતે બંધ થાય છે. વીજળીના થાંભલા અને દીવાની દેખભાળનો ખર્ચ ઓછો આવે છે. પાંચ સ્થળે ૭૫ સોલર પાવર પોલ બેસાડવામાં આવ્યા છે તેમાં નાગપાડાનો પરિવહન વિભાગ, તાડદેવ, મરોલ, માહુલ, ઘાટકોપર વગેરેનો સમાવેશ થાય છે. શહેરમાં આશરે ૯૫ પોલીસ સ્ટેશન, ૩૦-૩૫ પોલીસ વસાહત છે. એની સાથે અધિકારીઓના નિવાસસ્થાન, પોલીસ દળ સંબંધિત અનેક ઓફિસ છે. આ બધા સ્થળે સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનું શક્ય છે.
મુંબઈ: વીજળીની બચત કરવાની તાતી આવશ્યકતા છે. હવે મુંબઈની પોલીસ વીજળીની બચત કરશે. પોલીસ દળ માટે પહેલીવાર સૌર ઊર્જાના ઉપયોગની યોજના તૈયાર કરવામાં આવી છે. નાગપાડા ખાતે આવેલા પરિવહન વિભાગ સહિત પાંચ સ્થળે ૭૫ સોલાર પાવર પોલ બેસાડવામાં આવ્યા છે. આને લીધે સેંકડો યુનિટ વીજળી બચશે એની સાથે બિલ પેટે હજારો રૂપિયાની બચત થશે એ દેખીતું છે. પરિવહન વિભાગના ડેપ્યુટી કમિશનર અતુલ પાટીલને સૌર ઊર્જા સંબંધી યોજનાની માહિતી મળતાં તેમણે આ યોજનાનો અમલ કરવાનો નિર્ણય લીધો. તેમના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર નાઈકે કલેક્ટરની ઓફિસમાં રજૂઆત કરીને મુંબઈ માટે ૪૫ અને ઉપનગરો માટે ૩૫ સૌર દીવા મેળવ્યા હતા. આ દીવાના પ્રકાશ નીચે કારનું સમારકામ થાય છે. પેટ્રોલ પમ્પ પર હાલ આ દીવાનો ઉપયોગ થાય છે. સૌર દીવાને એક દિવસમાં ચારથી પાંચ કલાકનો સૂર્યપ્રકાશ મળે એટલે ઊર્જા ત્રણ દિવસ સુધી સંઘરી શકાય છે. અંધારું થતાં દીવા પ્રકાશ રેલાવે છે અને બીજા દિવસના સૂર્યોદય વખતે બંધ થાય છે. વીજળીના થાંભલા અને દીવાની દેખભાળનો ખર્ચ ઓછો આવે છે. પાંચ સ્થળે ૭૫ સોલર પાવર પોલ બેસાડવામાં આવ્યા છે તેમાં નાગપાડાનો પરિવહન વિભાગ, તાડદેવ, મરોલ, માહુલ, ઘાટકોપર વગેરેનો સમાવેશ થાય છે. શહેરમાં આશરે ૯૫ પોલીસ સ્ટેશન, ૩૦-૩૫ પોલીસ વસાહત છે. એની સાથે અધિકારીઓના નિવાસસ્થાન, પોલીસ દળ સંબંધિત અનેક ઓફિસ છે. આ બધા સ્થળે સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનું શક્ય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો