અનુયાયીઓ

શનિવાર, 22 જૂન, 2013

ભારતમાં મુદ્રણકળા અને પ્રકાશનનો આરંભઃ





ભારતમાં મુદ્રણકળા અને પ્રકાશનનો આરંભઃ ઇતિહાસની અટારીએથી

સંકલનઃ દિવ્યા જે. છાટબાર-માહિતી મદદનીશ-અમરેલી

અમરેલી તા.૨૧ જુન, ૨૦૧૩ ભારતમાં પણ મુદ્રણવિદ્યાના આગમન બાદ પત્રકારત્વહ અને પુસ્તતક, ચોપાનિયા, સાપ્તાનહિકો અને દૈનિકો જેવા વિવિધ તબક્કાઓનું પ્રકાશનકાર્ય શરૂ થયું હતુ. યુરોપ અને જર્મનીમાં આરંભ થયેલ મુદ્રણ પધ્ધોતિ, ભારતમાં ૬ સપ્ટેશમ્બdર-૧૫૫૩ના દિવસે શરૂ થયાનું સમર્થન વિવિધ વિદ્વાનોના સંશોધનો પરથી કરી શકાય છે. ઇસાઇ ધર્મપ્રચારકોને પોતાની રાજકીય વગ વિસ્તાવરવા અને ઇસાઇ ધર્મના પ્રચાર માટે મુદ્રણ સાહિત્યમના પ્રસારની આવશ્યકતા વર્તાતી હતી.

ભારતમાં પ્રકાશનની પ્રારંભભૂમિ ગોવા

ભારતમાં મુદ્રણકળાના પ્રકાશનની પ્રારંભભૂમિ ગોવા છે, જ્યાં સ્પેાનના વતની Joao de Bustamante એ પ્રકાશન અંગેની સામગ્રી લાવી હતી. તે ૧૫૫૬માં ઇસાઇ ધર્મપ્રચારકો સાથે ભળ્યો હતો. ભારતમાં છાપખાનું ગોઠવી આપવા માટેની મદદ અર્થે પોર્ચ્યુગીસ રાજાએ એક મૂળ ભારતીયને પણ મોકલ્યો હતો. ભારતીય લિપિમાં બીબા બનાવવાનું શ્રેય જોઆઓ ગોન્સેમલ્વનસને ફાળે જાય છે. તે પણ Bustamante સાથે ગોવા આવેલો અને તેણે મલબારી અક્ષરોના બીબા બનાવેલા. સોળમી સદીમાં ગોવામાં છપાયેલા લગભગ ૧૩ પુસ્તકકોનો નિર્દેશ પ્રાપ્તસ થાય છે, જ્યારે સતરમી સદીમાં ૨૧ પુસ્તેકો પ્રાપ્તે થાય છે. જો કે દેવનાગરી લિપિના બીબા છેક ઓગણીસમી સદીના ઉતરાર્ધમાં તૈયાર થયેલા. ઇસ્ટર ઇન્ડિેયા કંપનીના દલાલ ભીમજી પારેખે દેવનાગરી પુસ્ત્કો પ્રસિધ્ધિ કરવાના ઇરાદાએ કંપની સરકારની ડિરેક્ટરોની કોર્ટને સન ૧૬૭૦માં એવી મતલબની અરજ કરી હતી કે, એક કુશળ મુદ્રકને ત્રણ વર્ષ માટે હિંદ મોકલવો, જેના ખર્ચના વાર્ષિક પચાસ પાઉન્ડક આપવાને બંધાતો હતો. આ અરજ માન્યન રાખી લંડનની ડિરેક્ટરોની કોર્ટે હેન્રી હિલ નામની વ્યક્તિને મુંબઇ ટાપુ માટેનો મુદ્રક ઠરાવી મુંબઇ રવાના કર્યો હતો. મજકૂર હેન્રી હિલ સન ૧૬૭૪માં છાપકામ માટેનું યંત્ર, ટાઇપ, કાગળ વગેરે લઇને મુંબઇ આવ્યો હતો. પરંતુ દેવનાગરી ટાઇપ પડાવી ધાર્મિક પુસ્તીકો છાપવાની તમન્નાંવાળા ભીમજી પારેખને હેન્રી ખાસ ઉપયોગી ન બન્યો , તે તો માત્ર છાપકામ જ કરી શકતો હતો. માટે પારેખે ફરી કોર્ટ ઓફ ડિરેક્ટર સાથે પુનઃ પત્રવ્યવહાર શરૂ કર્યો પરિણામે સન ૧૬૭૮માં બીબા પાડી શકે એવા આસામીનું હિંદમાં આગમન થયું. જો કે તેની પુસ્તપક છાપકામ કે અન્યા કોઇ વિગત ઉપલબ્ધમ નથી. વળી એ પછી એક સદીના ગાળા દરમિયાન એ દિશામાં થયેલ કાર્યોની માહિતી પણ મળતી નથી.  હિંદુસ્તાયનમાં પ્રથમ છાપખાનું શરૂ કરવાનું માન, મુંબઇ અને બંગાળ એમ બંનેને ઘટે છે. સર ચાર્લ્સા વિલ્કિન્સય નામના વિદ્વાને સને ૧૭૭૮માં બંગાળામાં છાપખાનું શરૂ કર્યુ હતુ. હેલ્ડ હેડનું બંગાળી વ્યાકરણ એ બંગાળામાં પ્રથમ છપાયેલું પુસ્ત ક છે. લગભગ આ જ સમયગાળા દરમિયાન મુંબઇમાં કોઇ રૂસ્તછમજી કેરસાસ્પખજી નામના પારસીએ પ્રથમ છાપખાનું કાઢ્યું હતુ. તેમણે સને ૧૭૮૦માં પેલા પંચાગનું છાપકામ પ્રગટ કર્યુ હતુ. સને ૧૭૯૭ એ ગુજરાતી બીબાનું જન્મસવર્ષ ગણી શકાય છે અને તેને જન્મા આપનાર એક પારસી છે. છાપકલા અને છાપખાનું કાઢવાના વિચારનું તથા નાગરી અક્ષરો બનાવવાનું માન તો ભીમજીને છે. નાગરી અને ગુજરાતીના ઉત્પાનદક અનુક્રમે એક વાણીયો અને એક પારસી છે. સન ૧૭૯૭માં બોમ્બેચ કુરિયરમાં છપાયેલા ગુજરાતી બીબાનો નમૂનો આજે હાથ લાગતો નથી, પરંતુ સન ૧૮૦૮માં ગ્લોસરી નામનું અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી એ ત્રણે ભાષાના બીબા વડે તૈયાર થયેલું ડ્રમંડ રચિત વ્યાકરણ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંગ્રહમાં છે.
(સંદર્ભઃ પત્રકારત્વકની વિકાસરેખા-વિષ્ણુા પંડ્યા અને ગુજરાતી પત્રકારત્વષનો ઇતિહાસ-ડૉ.રતન રુસ્તવમજી માર્શલ )

ટિપ્પણીઓ નથી: