જેતપુર,
જેતપુરની જીવાદોરી સમાન ભાદર ડેમ ખાલી થવાની તૈયારીમાં છે. જેતપુરની
સવાલાખની વસ્તીને બે માસ માંડ માંડ પાણી મળી શકશે. હાલમાં પણ સુધરાઈ
સત્તાવાળાઓ જણાવે છે કે અમારે ડેડવોટર પમ્પીંગ કરવું પડે છે. અને એટલે જ
ડહોળું પાણી આવે છે. ભાદર સિંચાઈ સત્તાવાળા જણાવે છે કે હાલ ભાદર ડેમમાં
૬.ર ફુટ પાણી છે. એટલે કે ર૦૩ એમસીએફટી પાણી હાલમાં છે. તેમાંથી રોજનું
જેતપુર, રાજકોટ
અને ગામડાઓને ૪ એમસીએફટી જેટલું પાણી આપવામાં આવે છે. જેમાં જેતપુરને એક
એમસીએફટીથી પણ ઓછુ આપવામાં આવે છે. જો રાજકોટને ભાદર ડેમમાંથી પાણી
ઉપાડવાનું બંધ કરવામાં આવે તો જેતપુરને વધુ છ માસ પાણી આપી શકાય તેમ છે.
આ માટે છેક ઉપલા લેવલે થી જ નક્કી થઈ શકે છે. આ ગણતરી કરતાં ડીસેમ્બર
સુધીમાં ભાદર ડેમ સાવ ખાલી થઈ જાય. જેતપુરને પીવાના પાણી માટે કોઈ જ અન્ય
વિકલ્પ નથી. જેતપુરમાં સરેરાશ
૪પ ઈંચ વરસાદ પડે છે ત્યારે આ વરસે ફકત ૧૦ ઈંચ જેટલો જ વરસાદ પડેલ
હોવાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા પેદા થઈ છે. વરસો પહેલાની વાત કરીએ તો
ભાદરડેમ જેતપુર, ધોરાજી, ઉપલેટા તાલુકાના ગામડાઓની સિંચાઈ માટે બનાવવામાં
આવેલ છે. કુદરતી નિયમ મુજબ ભાદર ડેમના પાણી પર ડાઉન સ્ટ્રીમમાં આવતા
ગામનો હકક પહેલા હોય છે. પરંતુ ૧૯૮૪માં પેદા થયેલ પાણીની ગંભીર સમસ્યાને
કારણે ભાદર ડેમમાંથી રાજકોટ
માટે યુદ્ધના ધોરણે પાઈપલાઈન નાખી રાજકોટવાસીઓને તે વખતના કલેકટરે પાણી
પુરૃ પાડેલું હતું. બાદમાં અનેક સારા વરસો થયા ભાદર ડેમ દર વરસે પુરો
ભરાઈ જતો અને પાણીની કોઈ મુશ્કેલ ન હોવાથી રાજકોટ માટે પાણીના અન્ય કોઈ જ
વિકલ્પ વિચારવાને બદલે ભાદરડેમને પોતાનો માની વરસો સુધી રાજકોટવાસીઓને
પાણી આપવામાં આવી રહ્યું છે. પણ જ્યારે પાણીની ગંભીર સમસ્યા હાલમાં ઉભી
થઈ છે ત્યારે
ડાઉનસ્ટ્રીમના ગામોનો પહેલાં વિચાર કરવો જોઈએ. તેથી જ તાત્કાલિક
રાજકોટને નર્મદાનું પાણી આપી ભાદર ડેમમાંથી પાણી આપવાનું બંધ કરી જેતપુર
માટે પાણી અનામત રાખવા જેતપુરવાસીઓની દર્દભરી અપીલ હોવાનું જાણવા મળે છે.
જેતપુર રાજકોટ જિલ્લાનું જ ગામ છે. રાજકોટ સાથે દરેક રીતે જોડાયેલુ છે
ત્યારે જેતપુરની સવા લાખની જનતાનાં હિતમાં પાણીનો અન્ય કોઈ વિકલ્પ ન
હોવાથી તાત્કાલિક
ભાદરડેમમાંથી પાણી અનામત રાખવું જોઈએ. અન્યથા દિવાળી પછી જેતપુરવાસીઓને
હિજરત કરવી પડે તેવી સ્થિતી પેદા થશે અને તેને માટે જેતપુરની નબળી
નેતાગીરી જ જવાબદાર રહેશે. જેને જેતપુરની પ્રજા કોઈ દિવસ માફ નહીં કરે
તેવી લાગણી જોવા મળે છે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 4 નવેમ્બર, 2012
જેતપુરનાં સવા લાખ નગરજનો પર તોળાતો જળસંકટનો ભય....જેતપુરની જીવાદોરી સમાન ભાદર ડેમ ખાલી થવાની તૈયારીમાં છે. જેતપુરની સવાલાખની વસ્તીને બે માસ માંડ માંડ પાણી મળી શકશે. હાલમાં પણ સુધરાઈ સત્તાવાળાઓ જણાવે છે કે અમારે ડેડવોટર પમ્પીંગ કરવું પડે છે. અને એટલે જ ડહોળું પાણી આવે છે. ભાદર સિંચાઈ સત્તાવાળા જણાવે છે કે હાલ ભાદર ડેમમાં ૬.ર ફુટ પાણી છે. એટલે કે ર૦૩ એમસીએફટી પાણી હાલમાં છે. તેમાંથી રોજનું જેતપુર, રાજકોટ
જેતપુરનાં સવા લાખ નગરજનો પર તોળાતો જળસંકટનો ભય
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો