અનુયાયીઓ

રવિવાર, 28 ઑક્ટોબર, 2012

શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?

------Original message------
From: jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
To: "KALPANA DESAI" <kalpanadesai.in@gmail.com>,"Bhaashaa-Vichaar" <unzagurjari@googlegroups.com>
Date: Sunday, October 28, 2012 10:25:13 AM GMT+0530
Subject: Re: (Bhaashaa-Vichaar} RE: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?

મારા બ્લૉગની આ લીંક પર વ્યાકરણના ૨૧ લેખો છે. વાંચીને કદાચ આપને પણ ગરવી
ગુજરાતીની મમતા વધશે. સાભાર,

– જુ.

http://jjkishor.wordpress.com/category/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B7%E0%AA%BE-%E0%AA%85%E0%AA%82%E0%AA%97%E0%AB%87/%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%95%E0%AA%B0%E0%AA%A3/

2012/10/28 Uttam Gajjar <uttamgajjar@gmail.com>

> હા બહેન,****
>
> ** **
>
> આખ્ખેઆખ્ખી જીન્દગી સમર્પીત કરી દીધી હોય તેવાયે છે..****
>
> પણ ગુજરાતી લખાણમાં કશોય ફરક થઈ શક્યો નથી..****
>
> ** **
>
> હા, એક ફેર અવશ્ય પડ્યો જ છે તે એ કે પહેલાં લખાતું તેના****
>
> કરતાંયે સાવેસાવ અશુદ્ધ લખાતું થઈ ગયું ! ****
>
> ચોખ્ખું લખનારાની લઘુમતી સાંકડી ને સાંકડી બનતી જાય છે..****
>
> ** **
>
> મને લાગે છે કે ગુજરાતી(ખાસ ગુજરાતી)ને શબ્દ–ભાષા****
>
> બાબતમાં શુદ્ધ–અશુદ્ધનો છોછ આભડતો જ નથી.. !****
>
> ..ઉ.મ..****
>
> ** **
>
> *From:* KALPANA DESAI [mailto:kalpanadesai.in@gmail.com]
> *Sent:* 28 October 2012 09:55
> *To:* Uttam Gajjar
> *Subject:* Re: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?****
>
> ** **
>
> બાપ રે...! ગુજરાતી માટે આટલી બધી માયા રાખનારા પણ છે ? ****
>
> દિમાગ કામ ના કરે એવું કામ !****
>
> વાહ ભઈ વાહ!****
>
> આભાર આભાર.****
>
> 2012/10/27 Uttam Gajjar <uttamgajjar@gmail.com>****
>
> વહાલા પ્રવીણભાઈ,****
>
> તમ બન્ને સાથે ફોન પર વીગતે વાતો થઈ ને બહુ આનંદ મળ્યો.. ધન્યવાદ..****
>
> હાલ તમે રાજકોટ છો થોડો સમય, તો આમ તમારી મેઈલ પ્રસાદી મળ્યા કરશે એમ આશા
> રાખું..****
>
> અમારા સાથી જુગલકીશોરભાઈને અમે વહાલથી જુ.ભાઈ કહીએ.. તેમનો આ બહુ જ સરસ લેખ**
> **
>
> તમે મોકલ્યો તે બદલ ખુબ આભાર...****
>
> મઝામાં ?****
>
> ..ઉ.મ..****
>
> ****
>
> *From:* Pravin Vaghani [mailto:pvaghani@hotmail.com]
> *Sent:* 27 October 2012 14:09
> *To:* Uttam Gajjar
> *Subject:* FW: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?****
>
> ****
>
> ****
> ------------------------------
>
> Date: Mon, 22 Oct 2012 08:13:12 +0530
> Subject: શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી ?
> From: aasthabk@gmail.com
> To: ****
>
> ****
>
> મારી ગુજરાતી****
>
> ****
>
> *શુદ્ધ ગુજરાતી લખવું શક્ય નથી* *?
> –* *જુગલકીશોર.*****
>
> * *****
>
> છેલ્લાં પાંચેક વરસથી નેટ પર ગુજરાતી ભાષા–સાહીત્ય અંગે લખું છું. આજે મારા
> બ્લૉગ પરની ૫૦ જેટલી કેટેગરીઝમાંની વ્યાકરણ અંગેની સૌથી વધુ વંચાય છે. દરરોજ આ
> વીષય પરના લેખો પર વાચકો જોવા મળે છે. વાચકોએ પણ અવારનવાર મને જણાવ્યું છે કે
> આ વીભાગમાં આવતાં મારાં લખાણો બહુ ઉપયોગી લાગ્યાં છે.****
>
> છેલ્લાં ચારેક વરસથી 'કોડિયું' સામયિક – કે જેના સ્થાપક ગુજરાતના સર્વોચ્ચ
> શીક્ષણાચાર્ય નાનાભાઈ ભટ્ટ હતા અને જેના તંત્રીપદને શ્રી મૂળશંકર મો. ભટ્ટ અને
> શ્રી ન. પ્ર. બુચ જેવાઓનો સ્પર્શ મળ્યો છે –ના સંપાદક તરીકેની કામગીરી
> કરવાનું સદ્ભાગ્ય મને મળ્યું છે. આ સંપાદનકાર્યમાં મારી મુખ્ય જવાબદારીઓમાં
> સામયીકની ભાષાશુદ્ધી મુખ્ય છે.****
>
> આ જ કારણે છેલ્લાં ચારેક વરસથી હું સાર્થ ગુજરાતી જોડણીકોશના સીધા સંપર્કમાં
> છું. મારી પાસે આ કોશની "પુરવણી સહિતનું આઠમું પુનર્મુદ્રણ"ની ઓક્ટોબર, ૨૦૦૮ની
> આવૃત્તી છે. કોશ–સંસ્થાએ જે પુરવણી બહાર પાડેલી તેને સાથે જોડીને તૈયાર
> થયેલી આ સૌથી છેલ્લી આવૃત્તી છે.****
>
> દરરોજ અનેક પ્રકારના શબ્દોની તપાસ કરતાં રહીને લગભગ બધાં જ પાનાંનો સ્પર્શ થઈ
> ગયો છે ! છતાં હજી પણ 'કોડિયું'માં ક્યારેક જોડણીની ભુલો મારાથી રહી જ જાય
> છે....!****
>
> ગુજરાતીનું કોઈ છાપું, કોઈ સામયીક, સરકારી પરીપત્રો, ગુજ.ભાષાના અધ્યાપકોના
> લેખો, લેખકોનાં લખાણો, પ્રકાશકોનાં પ્રકાશનો વગેરેમાં પારાવાર ભુલો જોવા મળે
> છે. આટલાં વરસોના અભ્યાસે જોયું છે કે ખુદ જોડણીકોશમાં પણ ભુલો રહી ગયેલી
> દેખાય છે !! તાજેતરમાં એક ઈમેઈલ મળેલો જેમાં લેક્સિકોનની ચાર રંગીન ચોગઠામાં
> જાહેરાત હતી તો તેમાંય પાંચેક ભુલો જોવા મળી !! શબ્દરમતની ચકાસણીના
> લેક્સિકોનના વીભાગમાંય કેટલાક શબ્દોની જોડણી ખોટી હોવાનું ધ્યાન મેં દોર્યું
> હતું. (શ્રી રામજીભાઈ પટેલે તો એક સાહીત્યસંસ્થાને એમના મુખપત્રનો ફક્ત એક જ
> અંક એક પણ ભુલ વગરનો છાપી બતાવવાનો પડકાર ફેંક્યો હતો.)****
>
> ટુંકમાં કહીએ તો સાચી ગુજરાતી જોડણીમાં લખવું લગભગ શક્ય નથી એવું સાબીત થઈ
> રહ્યું છે. "હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી" એવા
> ગાંધીલખ્યા વાક્યોનો મુદ્રાલેખ બનાવીને કોશકાર સંસ્થાએ કોશના પહેલે પાને
> છાપતાં રહેવાનો શીરસ્તો રાખ્યો હોવા છતાં કોશમાં જ ભુલો જોવા મળે છે ત્યારે
> કોઈ આશા રહેતી નથી.****
>
> ઉંડી વ્યથાના અનુભવ સાથે મેં નેટ પર મીત્રોના બ્લૉગના હોમપેજને શુદ્ધ ભાષામાં
> રાખવા માટેની અપીલ કરી ત્યારે ઘણાંએ મને પોતાના બ્લૉગના હોમપેજ પરની ભુલો
> સુધારી આપવા જણાવ્યું હતું, ને મેં તે સુધારી પણ આપી હતી. પરંતુ આપણે સૌ
> જાણીએ છીએ કે હોમપેજ પરનાં લખાણો અને કેટલાંય શીર્ષકો તો સતત બદલતાં જ
> રહેવાનાં. પરીણામે ફરી પાછી એ જ દશા થઈને ઉભી રહી છે.****
>
> શ્રી રામજીભાઈના બહુ આગ્રહ છતાં વર્ષો સુધી મેં ઉંઝાજોડણી અપનાવી નહોતી. પણ
> મારા ભાષાવીજ્ઞાનના અભ્યાસે મને બતાવ્યું કે એક ઈ–ઉમાં લખવું તે જોડણીના
> પ્રશ્નોના ઉકેલની દીશામાં જવા માટેનું પ્રથમ પગથીયું હોઈ તેને અપનાવી લેવું
> જોઈએ અને તેથી મેં તે અપનાવ્યું અને ઘણા વીરોધ છતાં મારા બ્લૉગ પર એક જ ઈ અને
> એક જ ઉ વડે લખવાનું રાખ્યું છે. અને ભાષા–સુધારણાના મારા કાર્યમાં મેં
> હંમેશાં સાર્થ ગુજ. કોશની જ જોડણીના નીયમો પાળીને લખ્યું છે. મેં મારા વાચકોને
> હંમેશાં કહ્યું છે કે, તેઓએ ઉંઝાજોડણી અપનાવવાની જરુર નથી. પણ સાર્થ મુજબ તો
> સાચી જોડણીનો આગ્રહ રાખો ને રાખો જ. (મેં તો જોડણી ઉપરાંત વાક્યરચના,
> પેરેગ્રાફ, શબ્દની પસંદગી વગેરેનું પણ ધ્યાન રાખવાનું મારા પાઠોમાં કહ્યું
> છે)****
>
> અંગ્રેજીના લખાણમાં એક પણ ભુલ કરતાં આપણા હૈયે ઘા પડે છે પણ ગુજરાતીમાં ભુલો
> કરવામાં તો સંકોચ પણ થતો નથી ! (પસ્તાવાની તો વાત જ ક્યાં રહી ?!)****
>
> આ બધું વીચારતાં મને થયું કે ગુજરાતીમાં પડતી ભુલોનાં કારણો શોધવાં, તેને
> સમજવાં બહુ જરૂરી બની ગયું છે. આ બધી મુશ્કેલીઓનો ઉપાય નથી એવું નથી. પણ હવે
> જ્યારે મોબાઈલીયા ભાષા દરેક ભાષામાં અવતરી ચુકી જ છે ત્યારે એ બધા ઉપાયો
> કરવાનો ધખારો રાખ્યા વગર કેટલાંક મુખ્ય કારણોને સૌ સમક્ષ મુકવાં જેથી કોઈનાય
> મનમાં સંશોધનવૃત્તી જાગે ને ભવીષ્યે કોઈ સરળ રસ્તો નીકળી આવે.****
>
> કેટલુંક દુ:ખ લઈને, કટલોક સંકોચ રાખીને, થોડીક તો બીક પણ રાખીને (કે કદાચ
> કોઈ આમાં ઉંઝાનો પ્રચાર જોઈને મને ઠપકારશે !) આજે કેટલીક્ વાતો રજુ કરું છું.
> ****
>
> *એક સવાલ :*****
>
> આ બે શબ્દો જુઓ : *ઇરાક* અને *ઈરાન*.****
>
> પહેલા શબ્દનો ઇ હ્રસ્વ ઇ છે અને બીજા શબ્દનો ઈ દીર્ઘ ઈ છે. કોઈ પણ વ્યક્તી
> ઈરાક કે ઈરાનમાં આવતો આ ફેર શી રીતે જાણી શકે ?****
>
> *કોણ કહેશે**,* *આ બે વચ્ચેના તફાવતનું કારણ શું હોઈ શકે છે* *?* *જવાબની
> રાહ જોયા બાદ બે દીવસ પછી બીજા લખાણ વખતે તેનું કારણ કે જે ઘણા બધા પ્રશ્નોનું
> કારણ છે તે જાણીશું.** *****
>
> ****
>
> તત્સમ શબ્દો : ઇરાક અને ઈરાન****
>
> *– **જુગલકીશોર.*****
>
> ગયા લેખમાં આપણે ઇરાક અને ઈરાનની જોડણી અંગે સવાલ જોયો હતો. છેલ્લે મારી
> મુંઝવણ પણ મુકી હતી કે, "કોઈ પણ વ્યક્તી આ ફેર શી રીતે જાણી શકે ?" સાથે
> સાથે એમ પણ લખ્યું હતું કે, "ઘણા બધા પ્રશ્નોનું જે કારણ છે તે કારણ પણ
> જાણીશું."****
>
> ****
>
> આજે, જોડણીકોશનો સૌથી પહેલો જ જે નીયમ છે તેની વાત કરીએ. આ નીયમ આમ
> દર્શાવાયો છે :****
>
> " ૧. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા૦ મતિ; ગુરુ;
> વિદ્યાર્થિની."****
>
> ****
>
> હવે 'તત્સમ' શબ્દનો અર્થ એ જ કોશમાં આપ્યો છે તે જોઈએ :****
>
> તત્સમ = વિ. (સં.) મૂળ પ્રમાણેનું – બરાબર (૨) મૂળ ભાષામાં અને પ્રાકૃતમાં
> સરખો એવો (શબ્દ) ('તદ્ભવ'થી ઊલટો) (કોશ–પાના નં. ૪૦૩)****
>
> ****
>
> ટુંકમાં કહીએ તો "બરાબર તેની જેવું" એવો અર્થ થાય. હવે જોવાનું એ છે કે
> નીયમમાં ફક્ત "સંસ્કૃત તત્સમ શબ્દો"ની જોડણી મુળ પ્રમાણે કરવાની છે. બાકીની
> બધી ભાષાને આ નીયમ લાગુ પડતો નથી. અને આ મુદ્દાને લઈને જોઈશું તો કેટલાક સવાલો
> જાગે છે.****
>
> ****
>
> ૧) ઇરાક શબ્દ અરબી ભાષાનો છે અને તેથી અરબીના નીયમ મુજબ ઇ હ્રસ્વ કરાયો હશે
> અને ઈરાન શબ્દ ફારસી ભાષાનો હોઈ તેના નીયમ મુજબ તે દીર્ઘ ઈમાં લખાયો હશે એમ
> માનવું રહ્યું. આ શબ્દો સંસ્કૃતના તત્સમ શબ્દો ન હોવા છતાં શું આપણા કોશનો
> પ્રથમ નીયમ કોશકારે જાળવ્યો છે ? હવે જો આપણે પણ એ મુજબ વર્તવાનું હોય તો
> શુદ્ધ ગુજરાતી લખવાની મહેચ્છા રાખનારે અરબી–ફારસીના (જ નહીં પણ બીજી અનેકો
> ભાષાના પણ) નીયમો જાણવા જ જોઈએ. શું આ શક્ય છે ?****
>
> ****
>
> ૨) બીજો સવાલ એ થાય છે કે જો અંગ્રેજી ભાષામાંથી આવેલા સેંકડો શબ્દો
> સાર્થકોશમાં લેવાયા છે તો તેની જોડણી પણ અરબી–ફારસીની જેમ જ સંસ્કૃત–તત્સમ
> મુજબ જ રાખવાની રહે ? જોકે આપણા સાર્થ જોડણીકોશમાં મોટે ભાગે ઉચ્ચારના ધોરણે
> ને ક્યાંક અન્ય ધોરણે પણ અંગ્રેજી શબ્દોની જોડણી કરાઈ હશે તેવું લાગે છે. છતાં
> ઝીણી નજરે જોતાં કેટલાક અંગ્રેજી શબ્દોની જોડણી પ્રશ્નો જગાડનારી છે. દા. ત.
> –****
>
> ****
>
> * પાન નં. ૨૧૧ ઉપર કૉ*સ્મોપૉ*લિટન છે જ્યારે નં. ૯૨૬ ઉપર કૉ*સ્મૉપો*લિટન છે;*
> ***
>
> * ૫૦૨ ઉપર ન્યૂસપેપર છે અને ૯૪૪ ઉપર ન્યૂઝપેપર છે;****
>
> * ૯૫૩ ઉપર *ફુ*લ સ્ટૉપ છે અને એજ પાને *ફૂ*લ ટૉસ છે. (full શબ્દના અર્થો
> અહીં જુદા હોય તો ક્ષમા.)****
>
> * ૧૩૯ ઉપર ઓ*ટો*ગ્રાફ, ઓટોરિક્ષા, ઓટોમોબાઈલ છે જ્યારે ૯૨૦ ઉપર ઓ*ટૉ*બાયોગ્રાફી
> છે.****
>
> * ૩૭૧ અને ૯૨૪ ઉપર "એક ધાતુ"ને અનુક્રમે ટાઇટેનિયમ અને ટિટેનિયમ કહી છે.****
>
> ****
>
> અર્થાત ઉપર લખ્યા શબ્દોની જોડણીના આ ફેરફારો કેમ આવ્યા હશે ?****
>
> ****
>
> મારો *પ્રથમ સવાલ* સાવ સામાન્ય માણસ માટેનો છે. એણે જો સાચી જોડણી લખવી હોય
> તો જોડણીકોશના આધારે કયું સાચું માનવું ?****
>
> *બીજો* ખુબ મહત્ત્વનો સવાલ તો સૌકોઈ માટે છે કે ગુજરાતીભાષામાં આવી ગયેલા
> શબ્દોની જોડણી શા માટે જે તે ભાષાના નીયમો મુજબ રાખવી ? અને સંસ્કૃતની જેમ જ
> કરવાનું હોય તો બધી ભાષાના નીયમો તો વીદ્વાનો પણ શીખી ન શકે ત્યાં સામાન્ય
> માણસનું તો ગજું જ ક્યાં ?****
>
> ****
>
> અને *ત્રીજો સવાલ* પણ ઉભો થાય છે કે જોડણીકોશમાં *પણ** *જો ભુલો રહી જતી હોય
> તો…****
>
> ****
>
> " જો આગ લગાઈથી તુમને, ઉસકો તો બુઝાયા અશ્કોંને;****
>
> જો અશ્કોંને ભડકાઈ હૈ ઉસ આગકો ઠંડા કૌન કરે ?!"****
>
> ****
>
> (અહીં 'આગ' એટલે શુદ્ધ ગુજ.ની ઝંખના અને 'અશ્કોં' એટલે 'કોઈ પણ જોડણીકોશ' એમ
> સમજવું.)****
>
> ****
>
> ** **
>
> --
> You received this message because you are subscribed to the Google Groups
> "Bhaashaa-Vichaar" group.
> To post to this group, send email to unzagurjari@googlegroups.com.
> To unsubscribe from this group, send email to
> unzagurjari+unsubscribe@googlegroups.com.
> For more options, visit this group at
> http://groups.google.com/group/unzagurjari?hl=gu.
>



--
*– જુગલકીશોર. *
*
* *NET–ગુર્જરી: **http://jjkishor.wordpress.com/*

-----------------------------------------------------------------------------------
***વાચનયાત્રાઃ * * http://sites.google.com/site/vachanyatra/*
*નયામાર્ગ : https://sites.google.com/site/vachanyatra/home/nayaa-maarg
*
*आयु-Digest : http://ayurjagat.wordpress.com/
**
*

--
You received this message because you are subscribed to the Google Groups "Bhaashaa-Vichaar" group.
To post to this group, send email to unzagurjari@googlegroups.com.
To unsubscribe from this group, send email to unzagurjari+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/unzagurjari?hl=gu.

ટિપ્પણીઓ નથી: