અનુયાયીઓ

બુધવાર, 4 જુલાઈ, 2012

eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી સમગ્ર ગુજરાતમાં યુવા પેઢી
માટેના eMPOWER- કોમ્પ્યુટર સાક્ષરતાની તાલીમના અભિયાનનો શાનદાર પ્રારંભ
કરાવતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ યુવાન કે યુવતિ
કોમ્પ્યુટરના જ્ઞાન અને હુન્નર કૌશલ્ય વગર અભણ રહી જાય તે આ સરકારને
મંજૂર નથી. હુન્નર વગર સફળતા શકય નથી અને કોમ્પ્યુટર જ્ઞાનથી મૂલ્યવર્ધન
થવાનું છે.
ટેકનોલોજીએ માનવજીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવી દીધું છે અને પછાતપણાના
ગ્રહણમાંથી મુકત થવા ટેકનોલોજીનું જ્ઞાન અનિવાર્ય જ છે, સમાજજીવનનું અંગ
બની રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી: