અનુયાયીઓ

ગુરુવાર, 24 મે, 2012

જેતપુરમાં ડોક્ટર ની બેદરકારી થી વિપ્ર પરિણીતાનું મોત. (કશ્યપ જોશી) જેતપુર ના ડોક્ટર સખીયા ની હોસ્પીટલમાં ગાંઠ ના ઓપરેશન સબબ જેતપુરના નવાગઢના મનસુખભાઈ જોશી ની પુત્રી સંગીતાબેન ને દાખલ કરાયા હતા. હજુ ગણતરીના મહિના પહેલાજ પરણેલા સંગીતાબેનને સંબંધિત તબીબ

જેતપુરમાં ડોક્ટર ની બેદરકારી થી વિપ્ર પરિણીતાનું મોત.
(કશ્યપ જોશી)
જેતપુર ના ડોક્ટર સખીયા ની હોસ્પીટલમાં ગાંઠ ના ઓપરેશન સબબ જેતપુરના
નવાગઢના મનસુખભાઈ જોશી ની પુત્રી સંગીતાબેન ને દાખલ કરાયા હતા. હજુ
ગણતરીના મહિના પહેલાજ પરણેલા સંગીતાબેનને સંબંધિત તબીબે ઓપરશન માં જરૂરી
એવું કલોરોફોર્મ સુઘડી સંગીતાબેન ની ઓપરશન વિધિ હાથ ધરી હતી. દરમિયાન
નિયત સમયમાં કલોરોફોર્મ ની અસર દુર થવાને બદલે સંગીતાબેન ભાન્મજ નાં
આવીને મોતને ભેટતા મૃતક પરિણીતાના પરિવારજનોમાં ઘેર રોષ સાથે શોક છવાઈ
ગયો હતો.
લગતા વળગતા તબીબ ની ભયંકર બેદરકારી હોવા છતાં આ બાબતે ભૂલ સ્વીકારવાનો
નનૈયો ભણનાર તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડ સાથે વિપ્ર
મહિલાનો મૃતદેહ વિશેષ પરીક્ષણ માટે જામનગર ખસેડાયો હોવાનું જાણવા મળે છે.
જેતપુર નવાગઢના બ્રહ્મ સમાજના આગેવાનો અને કાર્યકરો એ જણાવેલ કે પીએમ માં
જો જેતપુરના તબીબ ની બેદરકારી બહાર આવશે તો કોઈપણ ભોગે લડી લેવા પાછી
પાણી નહિ કરી તેવો પરિવારજનોનો સુર છે.

ટિપ્પણીઓ નથી: