(કશ્યપ જોશી દ્વારા) જેતપુર તારીખ ૨૪
જેતપુરના વાદળી ચોક વિસ્તારમાં ગઈકાલે એક દલિત યુવાને પોતાની પત્નીની
કરપીણ હત્યા કરી નાશી છૂટ્યાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે.
પોલીસે નાશી છુટેલા હત્યારા પતિની શોધખોળ આદરી છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના વાદળી ચોક વિસ્તારમાં રહેતા દિનેશ
mukesh પાર્ઘી નામના યુવાને ગઈકાલે મોદી રાત્રીના પોતાની પત્ની પૂજાની
કરપીણ હત્યા કરી નાશી છૂટ્યાની ઘટના પોલીસ થાને પહોંચતા પોલીસ ઘંટના
સ્થળે દોડી ગઈ હતી. પણ ત્યાં સુધીમાં હત્યારો દિનેશ નાશી છૂટવામાં સફળ
થયો હતો.
પોલીસ ની પ્રાથમિક તપાસમાં આવી વિગતો ખુલી છે કે હત્યારા દિનેશ ના પ્રેમ
લગ્ન પાંચ વરસ પહેલા પૂજા સાથે થયા હતા. પૂજા જ્ઞાતિ એ મોચી છે. પણ
તેણીની હત્યા શા માટે થઇ te દિનેશ પકડાય પછી વિગતો બહાર આવે તેમ
હોવાનું પોલીસ જણાવે છે. હાલ જેતપુર પોલીસે મૃતક પરિણીતા પુજાના કાકા
હારી ચના પારઘીની ફરિયાદ પરથી દિનેશ સામે હત્યાનો ગુનો નોંધી તેમની
શોધખોળ આદરી છે.
--
KKUMARJOSHI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો