અનુયાયીઓ

મંગળવાર, 24 એપ્રિલ, 2012

જેતપુરમાં ભૂદેવો દ્વારા ઉજવાઈ પરશુરામ જયંતી

જેતપુરમાં ભૂદેવો દ્વારા ઉજવાઈ પરશુરામ જયંતી

(કશ્યપ જોશી દ્વારા) જેતપુર માં આજે શહેર તથા તાલુકા વિસ્તારના
બ્રહ્મનો દ્વારા ધામધૂમથી પરશુરામજીની જન્મ જયંતી ઉજવાઈ હતી.
આ માટે શહેર ના તાકુડી પરામાં આવેલા સરી જડેશ્વર મહાદેવ મંદિરેથી એક ભવ્ય
શોભાયાત્રા ધામધુમથી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો ફરસી
સાથે જોડાયા હતા. ગલી ગલી મેં નારા હૈ પરશુરામજી હમારા હૈ જેવા સુત્રોચાર
સાથે નીકળેલી શોભાયાત્રા શહેર ના તમામ રાજ માર્ગો પર ફરી ત્યારે ખરેખર
બ્રહ્મ એકતાના દર્શન થયા હતા. શોભા યાત્રમાં અનેક ફલોટસ રખાયા હતા. અને
આકર્ષક ફ્લોટ બનાવનાર ભૂદેવ યુવાનોને પારિતોષિક ઇનામો અપાયા હતા.પરશુરામ
સેના જેતપુરના મિત્રો દ્વારા આજે ઉજવાયેલ પરશુરામ ની જન્મ જયંતી ની શોભા
યાત્રા અંતે અહીના જીમખાનામાં વિસર્જન પામી હતી.

ટિપ્પણીઓ નથી: