અનુયાયીઓ

રવિવાર, 25 ડિસેમ્બર, 2011

શહેરી ગરીબ કલ્યાણમેળો ૯ હજાર કરતા વધુ જરૂરતમંદોએ ૪૬ કરોડ કરતા વધુ રકમની સાધન સહાય મેળવી વચેટીયાઓનું રાજ હટાવી સીધે સીધા લાભ આપવાનું આયોજનઃમંગુભાઈ પટેલ ગરીબોને છેતરવાની ધરેડ પડી હતી તેને દુર કરી રસ્તો કાઢયોઃ મંત્રી નરોત્તમભાઈ પટેલ


શહેરી ગરીબ કલ્યાણમેળો
૯ હજાર કરતા વધુ જરૂરતમંદોએ ૪૬ કરોડ કરતા વધુ રકમની સાધન સહાય મેળવી
વચેટીયાઓનું રાજ હટાવી સીધે સીધા લાભ આપવાનું આયોજનઃમંગુભાઈ પટેલ
ગરીબોને છેતરવાની ધરેડ પડી હતી તેને દુર કરી રસ્તો કાઢયોઃ મંત્રી નરોત્તમભાઈ પટેલ
સૂરતઃ - પડિત દિનદયાળ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા શહેરી ગરીબ કલ્યાણ મેળામાં ચોર્યાસી વિસ્તારના નવ હજાર કરતા વધુ જરૂરતમંદોને ૨૪ જેટલી વિવિધ યોજના હેઠળ ૪૬ કરોડ કરતા વધુ રકમની સાધન સહાય સીધે સીધી એનાયત કરવામાં આવી હતી.
જિલ્લા પ્રભારીમંત્રીશ્રી મંગુભાઈ પટેલ, અન્નવિભાગના મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે એક જ સ્થળે સમૂહમાં હાથોહાથ સાધન સહાય કરવાના પ્રસંગે શ્રી મંગુભાઈએ ગરીબ કલ્યાણ મેળો મુખ્યમંત્રીશ્રીના અભ્યાસનું પરિણામ હોવાનું જણાવી કહ્યું હતું કે, યોજનાઓ તો વર્ષોથી ચાલતી આવી છે. પણ યોજનાઓનું અનુદાન વણવપરાયેલું રહેતું, ગરીબો સુધી યોજના પહોચતી નહીં, વચેટીયાઓનું રાજ હતું જે પધ્ધતિ ધ્યાને આવતા મ્યુખ્યમત્રીશ્રીએ વીતેલા ત્રણ વર્ષથી ગરીબ કલ્યાણ મેળાઓ ગુજરાતના તમામ ગામડાઓ શહેરોમાં યોજવાનું આયોજન કર્યું.જેના પ્રથમ વર્ષે ૩૦૦ ગરીબ કલ્યાણ મેળામાં ૩૨૮૭ કરોડની સાધન સહાય ચૂકવાઈ.
હવે પદાધિકારીઓ-અધિકારીઓ ધરે ધરે પંહોચી ફોર્મ ભરાવીને યોજનાનો લાભ ગરીબને આપી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીની ગરીબી સામે લડવાની લડાઈનો મૂળ હેતું આજના આ મોધવારીના સમયે જરૂરતમંદ વ્યકિતઓની આવકમાં વધારો કરવા માટેનો હોવાનું જણાવી ઉમ્મીદ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
રાજયના અન્ન વિભાગના મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલે ગરીબ કલ્યાણ મેળાનું હાર્દ સમજાવી કહ્યું હતું કે, રાજય સરકારની યોજનાનો લાભ મેળવવા માટે કચેરીમાં દોડા કરતો લાભાર્થીને હવે ધર બેઠા પદાધિકારી-અધિકારીઓ આવીને ફોર્મ ભરાવી જાય છે. જરૂરતમંદોને શોધી-શોધીને તેમના હક્કો અપાવવાનું કાર્ય મુખ્યમંત્રીશ્રીની દેન છે. તેમણે ગરીબોને છેતરવાની જે ધરેડ પડી ગઈ હતી તે દૂર કરી રસ્તો કાઢયો છે. મંત્રીશ્રીએ વિવિધ યોજના હેઠળ મળતા લાભોની પણ વિગતો આપી હતી.
તેમણે સૂરત શહેરમાં વાતાનુકુલિત હોલમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ હોવાનું જણાવી સૌને અભિનંદન આપ્યા હતા.
પ્રારંભમાં મેયરશ્રી રાજેન્દ્ર દેસાઈએ મહાનુભાવોને આવકાર્યા હતા.
આ પ્રસંગે યોજનનો લાભ મેળવી ચૂકેલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા.
આ પ્રસંગે સાંસદસર્વશ્રી સી.આર.પટેલ, દર્શનાબેન જરદોશ, ધારાસભ્યશ્રી કિશોરભાઈ વાકાવાલા, નાનુભાઈ વાનાણી, શાસકપક્ષના નેતા દયાશંકરસિંગ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ભીમજીભાઈ પટેલ, કમિશનરશ્રી મનોજકુમાર દાસના હસ્તે પણ સાધન સહાય એનાયત કરવામાં આવી હતી.
આભારવિધિ ડેપ્યુટી મેયર શ્રીમતી વર્ષાબેન રાણાએ કરી હતી.


આજના શહેરી ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓએ શું કહ્યુંઃ
રીક્ષા માટે લોન મેળવી ચૂકેલા ફિરોજ ખાનઃ  
ભાડાની રીક્ષા ચલાવતા ફિરોજખાન ગુલાબખાન પઠાનને સુરત શહેરી ગરીબ કલ્યાણમેળામાં એસ.વાય.એસ.યોજના હેઠળ રીક્ષા ખરીદવા માટે મહાનગરના યુ.સી.ડી. વિભાગ અંતર્ગત બેકમાંથી રૂા.૧.૩૪ લાખની લોન મળતા આનંદીત થઈ ઝુમી ઉઠયા હતા. તેઓ છે કે, ભાડાની રીક્ષા ચલાવતો ત્યારે આવક કરતા ખર્ચાઓ વધારે થતા. ધરની પરિસ્થિતિ સારી નહોતી. જયારે આજે હું મારી માલિકીની રીક્ષા મળતા મારી બધી જ સમસ્યા હલ થઈ ગઈ છે તેમજ લોનના હપ્તા બાદ કરતા સારૂ એવી બચત થઈ રહે છે.

"ઉમ્મીદ' થકી કોમ્યુટર ઓપરેટર થઈઃ 
ધરની પરિસ્થિતિને કારણે હું ભણી શકી નથી પણ ઉમ્મીદને કારણે હું મારા પરિવારને મદદરૂપ થઈ શકું છું એવા શબ્દો છે વિશ્વકર્માબહેનના. તેણીએ કહ્યું કે, મારા પિતા ફર્નિચરનું કામ કરીને પેટીયું રળતા જેના કારણે મારી અધ્ધવચ્ચે ભણવાનું મુકી દેવું પડયું. પણ જયારે ધરની નજીક પાડેસરામાં ઉમીદ યોજના સેન્ટરની મુલાકાત લઇને ઉમીદ યોજના હેઠળ ત્રણ મહિનાની કોમ્યુટર, ટેલી, માર્કેટીગની તાલીમ લઇ આજે હું કોમ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરીને ધરમાં મદદરૂપ થઈ રહી છું.જેના માટે હું હદયથી રાજય સરકારનો આભાર માનું છું.

રસ્તા પર ધંધો કરતો આજે પોતાની દુકાન ધરાવું છુંઃ હિતેશ
પહેલા રસ્તા પર ગીફટ આર્ટિકલ્સ, ઝવેલરી વેચતો પણ આજે ધરની દુકાનમાં ધરાવતો થયો છું તેમ  હિતેશભાઈ જાવડેએ જુસ્સાભેર પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેઓ કહે છે કે,  મહાનગર પાલિકાના યુ.સી.ડી.ના અર્બન કેમ્પમાં સુવર્ણ શહેરી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રૂા.૨ લાખની લોન મળી તેમજ સરકારની ૨૫ ટકા સબસીડી સાથે આજે હું મારા ધરની દુકાન ધરાવીને ગર્વભેર ધધો કરતો થયો છું.

ઝુંપડપટ્ટીમાંથી પાકા ધરમાં આવ્યોઃરાજુભાઈ
રાજુભાઈ કહે છે કે એક સમયે ધરતીનગર ખાતેની ઝુંપડપટ્ટીમાં કાદવ કીચડના રસ્તાઓ, પીવાના પાણી માટે લાબી લાઈનો, પાણી ટપકતા ઝુંપડીમાં રહેતો હતો. પણ ગરીબ કલ્યાણ મેળામાં કોસાડ ખાતે તમામ ભૌતિક સુવિધાઓથી સજ્જ ધરનું ધર મળતા તમામ મુશ્કેલીઓનું નિવારણ આવ્યું છે.

રમતગમત રાજ્યમંત્રી આજે સૂરતમાંઃ
સૂરતઃ - સહકાર, રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િાના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ આવતીકાલ તા. ૨૪મીના રોજ સાંજે ૭.૦૦ વાગ્યે બારડોલી ખાતે સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજની વાડી ખાતે સુરત જિલ્લા લેઉવા પાટીદાર સમાજ અને અમેરીકા લેઉવા પાટીદાર સમાજ આયોજીત વોલીબોલ ટુનામેન્ટ વિજેતા ટ્રોફી એનાયત કાર્યક્રમમાં હાજરી આપશે.

આજે કુટીરઉઘોગમંત્રી સુરતમાંઃ
સૂરતઃ - કુટીર ઉઘોગમંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલા આવતીકાલ તા.૨૪મીના રોજ સાંજે ૬.૦૦ વાગે રંગઉપવન, નાનપુરા ખાતે મૂક બધીર વિકાસ ટ્રસ્ટનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. તા.૨૫મીએ સવારે ૬.૦૦ વાગે સુરતથી સાપુતારા જવા રવાના થશે. તા.૨૬મીએ સવારે ૮.૦૦ વાગે સુરતથી ગાંધીનગર જવા રવાના થશે.

રમતગમત રાજ્યમંત્રી સૂરતમાંઃ
પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટિટયુટના ઉદ્‍ધાટનમાં હાજરી આપશેઃ
સૂરતઃ - સહકાર, રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ તા. ૨૫મીના રોજ સવારે ૯ઃ૦૦ વાગ્યે ધારૂકાવાળા કોલેજ કમ્પાઉન્ડ, વરાછા રોડ ખાતે આવેલી પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટિટયુટ એન્ડ મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલના ઉદ્‍ધાટન સમારંભમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.

પ્રોહીબીશનની પ્રવૃતિ જણાય તો પોલીસ કંટ્રોલમાં જાણ કરશોઃ પોલીસ અધિક્ષક
સૂરતઃ- સૂરત જિલ્લા ગ્રામ્યના પોલીસ અધિક્ષકશ્રી પિયુષ પટેલે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે, આગામી તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ ગ્રામ પંચાયતની ચંૂટણી યોજાનાર છે. ગુજરાત રાજયમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ ઉપર કાયમી બાંધ છે. તેમ છતા ચૂંટણી દરમિયાન ખલેલ ન પહોચે તેમજ કાયદો અને વ્યવસ્થાની કામગીરી જળવાઈ રહે તે માટે સમગ્ર જિલ્લામાં  પ્રોહીબીશનની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટેના પ્રયત્નો શરૂ છે.  આથી આવી ગુનાહિત પ્રવૃત્તિની માહિતી જો કોઈને મળે તો તે અંગેની જાણ સૂરત ગ્રામ્ય કંટ્રોલ રૂમના ફોન નંઃ (૦૨૬૧)૨૬૫૧૮૩૨,૨૬૫૧૮૩૩ તેમજ ફેકસ નંબરઃ૦૨૬૧-૨૬૫૧૮૩૪ પર સંપર્ક સાધવા

એકલવ્ય મોડેલ રેસીડેન્સયલ સ્કુલમાં પ્રવેશ મેળવવો છે?ઃ
સૂરતઃ- ગુજરાત રાજય ડેવલપમેન્ટ રેસીડેન્સીયલ એજયુકેશન ઈન્સ્ટીટયુશન્સ સોસાયટી (ગુજરાત સરકારના આદિજાતિ  વિભાગ દ્વારા સંચાલિત) ૩જો માળ, બિરસા મુન્ડા ભવન, સેકટર-૧૦એ, ગાંધીનગર દ્વારા એકલવ્ય મોડેલ રેસીડેન્સયલ સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે સરકારી આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઈન એડ શાળાઓના પાંચમાં ધોરણમાં ભણતા વધુમાં વધુ ૧૩ વર્ષની વયના આદિજાતિના બાળકો માટે પ્રવેશ માહિતી પુસ્તિકા અને પ્રવેશ ફોર્મ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, બી-૩, અઠવાલાઈન્સ, સુરત ખાતે થી કચેરીના સમય દરમિયાન મેળવી લેવા જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.

સ્વામી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા મહારકતદાન શિબિરનું આયોજન
સૂરતઃ-મી વિવેકાનંદ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી તા.૨૫/૧૨/૧૧ના રોજ ૯.૦૦ થી 1.00 વાગ્યા દરમિયાન વૈશાલી જેમ્સ, કેસરબા માર્કેટ, ગોટાલાવાડી, કતારગામ ખાતે બટુકભાઈ પટોલીયાને ત્યાં મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં હરીદ્વારના પ્રખર વેદાંતાચાર્ય મહામંડલેશ્વરના રામસ્વરૂપજી મહારાજ અને ભગવદસ્વરૂપ સ્વામીજી ખાસ ઉપસ્થિત રહેશે.

તરસાડા-કાકરાપાર-વ્યારા રસ્તા ઉપર મોટીચેર વેસ્ટ વિયરના પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધઃ
સૂરતઃ તરસાડા-કાકરાપાર-વ્યારાના રસ્તા ઉપર આવેલા મોટીચેર પર વર્ષો જૂના વેસ્ટ વિયરના પુલની હાલમાં અવર જવરની ક્ષમતા ઓછી થઇ હોવાના કારણે સલામતીના ભાગરૂપે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.આર.ડોડીયાએ એક જાહેરનામાં દ્વારા પુલ પરથી ભારે વાહનો પર નિયંત્રણ ફરમાવ્યો છે. આ વાહનોને વ્યારા જનક હોસ્પિટલ ત્રણ રસ્તાથી સીધા નેશનલ હાઇવે નં.૬ ઉપર થઇ બાજીપુરા સુમુલ ડેરી-મઢી થઈ માંડવી તરફ ડાયવરઝન કરવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો અમલ તા. ૧૩.૨.૨૦૧૨ સુધી રહેશે.

સાપુતારા ખાતે તા.૨૫ મીએ ગ્લાઇડવેન્ચર પેરાગ્લાઇડીગ ટેન્ડમ ફેસ્ટીવલ ખુલ્લો મૂકાશે
  સાપુતારા ખાતે ગુજરાત રાજય પ્રવાસન નિગમ આયોજીત તા.૨૫ મીએ ગ્લાઇડવેન્ચર પેરાગ્લાઇડીગ ટેન્ડમ ફેસ્ટીવલનુ઼ ગર્વનર હિલ સાપુતારા  ખાતે ૧૦-૦૦ કલાકે પ્રવાસન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, અન્ન,નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજયકક્ષાના મંત્રીશ્રી જીતેન્દ્ર આર.સુખડીયાના હસ્તે ઉદ્‍ધાટન કરાશે. આ પ્રસંગે પ્રમુખસ્થાને રણજીત ગીલીટવાલા મંત્રીશ્રી રાજયકક્ષાના કુટિર ઉધોગ, મીઠા ઉધોગ, છાપકામ અને લેખનસામગ્રી  તેમજ મુખ્ય મહેમાન તરીકે કમલેશભાઇ પટેલ અધ્યક્ષ ગુજરાત પ્રવાસન નિગમ ઉપસિથત રહેશે.
જયારે અતિથિવિશેષ  તરીકે  ધારાસભ્યશ્રી વિજયભાઇ પટેલ ડાંગ-આહવા અને શ્રી વિપુલ મિત્રા અગ્રસચિવ ટુરીઝમ, દેવસ્થાન, પવિત્ર યાત્રાધામ અને એવીયેશન, શ્રી દિનેશભાઇ દાસા નિયાકમશ્રી ગુજરાત પ્રવાસન નિગમ , શ્રી રમેશભાઇ ચૌધરી ઉપપ્રમુખશ્રી ડાંગ જિલ્લા પંચાયત અને ખાસ ઉપસ્થિતિ તરીકે શ્રી પી.કે.સોલંકી કલેકટર ડાંગ ઉપસ્થિત રહેશે.

ભવાનદગડ ખાતે તા.૨૪ મીએ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની  ઉજવણી કરાશે
  ડાંગ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ અનુ ડાંગ જિલ્લા ગ્રાહક હિતરક્ષક મંડળ આહવા દ્રારા તા.૨૪-૧૨-૨૦૧૧ નાં રોજ  આદિવાસી કુમાર છાત્રાયલ ભવાનદગન આહવા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવશે. સેમીનારનુ઼ં ઉદ્‍ધાટન પી.કે.સોલંકી કલેકટરશ્રી  અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આહવા-ડાંગ કરશે. અતિથિવિશેષ તરીકે પ્રાંત અધિકારીશ્રી  અને ગ્રાહક સુરક્ષા અધિકારી ડાંગ આહવા ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે શ્રી ગાંડાભાઇ પટેલ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા, શ્રી ગુણવંતભાઇ પરીખ આશ્રમ શાળા કાલીબેલ અને આચાર્યશ્રી ભવાનદગડ પ્રાથમિક શાળા હાજર રહેશે.

ડાંગ જિલ્લાના પ્રવાસે રાજયકક્ષાના મંત્રીશ્રી જીતેન્દ્ર સુખડીયા
  પ્રવાસન,બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, અન્ન,નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજયકક્ષાના મંત્રીશ્રી જીતેન્દ્ર આર.સુખડીયા તા.૨૪-૧૨-૨૦૧૧  શનીવારે  ૧૬-૦૦ કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત લેકચર સીરીઝ કાર્યક્રમમાં હાજરી આપી ૧૮-૦૦ કલાકે ગાંધીનગરથી સાપુતારા આવવા રવાના થશે.  તા.૨૫-૧૨-૨૦૧૧ રવિવારે ૧૦-૦૦ કલાકે ગુજરાત રાજય પ્રવાસન નિગમ આયોજીત ગ્લાઇડવેન્ચર પેરાગ્લાઇડીગ ટેન્ડમ ફેસ્ટીવલનું મંત્રીશ્રીના હસ્તે ગર્વનર હિલ સાપુતારા ખાતે ઉદ્‍ધાટન કરાશે.

સુબીરમાં  પ્રકૃતિ શિક્ષણ કાર્યક્રમ યોજાયો
 ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને સુરત નેચર કલબના સંયુકત પ્રયાસથી ડાંગના સરકારી શાળાના સાત હજાર વિધાર્થીઓ માટે પર્યાવરણ શિક્ષણ બસ દ્રારા  નેચર કલબ સુરત આપે છે. તાજેતરમાં સુબીર ખાતે સરકારી ઉ.માધ્યમિક શાળા તથા  પ્રાથમિક શાળા  ખાતે ચાલતી દ્રષ્ટ્રિ ઇકોકલબના સંયુકત ઉપક્રમે આ પ્રકૃતિ શિક્ષણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી વસનજીભાઇ, શ્રી ગમનભાઇ તથા સરકારી ઉ.મા. શાળાના ઇનચાર્જ આચાર્યશ્રી આશાબેને  પ્રદર્શનમાં બસમાં ભાગ લેનાર વિધાર્થીઓને આવકાર્યા હતા.આ પ્રસંગે સુરતના દિગંતભાઇ તથા શ્રી પરમારભાઇએ વિગતવાર પૂર્ણ માહિતી આપી શાળાઓને કીટ્સ પણ આપવામાં આવી હતી.આભારીવધિ ડી.બી.મોરે કરી હતી.

ડાંગઃ ૨૬ મી જાન્યુઆરી-૨૦૧૨ નાં આયોજન અંગેની બેઠક મળશે
  ડાંગ જિલ્લામાં આગામી  ૨૬ મી જાન્યુઆરી-૨૦૧૨ ના આયોજન માટે અધિકારીશ્રીઓની બેઠક  તા.૩-૧-૨૦૧૨ નાં રોજ ૧૨-૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં રાખવામાં આવેલ છે જેમાં જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને હાજર રહેવા કલેકટરશ્રી ડાંગ આહવાની અખબારી યાદીમાં જણાવેલ છે.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ઃ
નવસારી જિલ્લામાં ૧.૧૫ લાખ બાળકોના આરોગ્યની તપાસણી કરાઇ
નવસારીઃ  નવસારી જિલ્લામાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં ભણતા બાળકોની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં પાંચ સપ્તાહ અંત સુધી ૧૧૫૮૫૦ બાળકોની તપાસણી કરવામાં આવી હોવાનું મખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઘ્વારા જણાવાયું છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ હાલ છઠૃા સપ્તાહની કામગીરી ચાલી રહી છે. પાંચમાં સપ્તાહ અંતિત નવસારી જિલ્લામાં ૩૦૪૮૨૯ બાળકો પૈકી ૧૧૫૮૫૦ બાળકોની આરોગ્ય તપાસણી થઇ ચૂકી છે. જે પૈકી ૩૪૬૬૬ ખામીવાળા બાળકોને તબીબી અધિકારી દ્વારા તપાસ હાથ ધરી સ્થળ પર સારવાર આપવામાં આવી છે. જે પૈકી ૨૨૧૮ બાળકોને સ્પેશ્યાલીસ્ટ સારવાર માટે સંદર્ભ સેવા માટે રીફર કરવામાં આવ્યા છે. જે પૈકી ૧૨૭૮ બાળકોની સારવાર પુર્ણ થઇ છે. જેમાં ૮૨ બાળકો બાળરોગ નિષ્ણાંત દ્વારા', ૮૬૯ બાળકો આંખની નાની મોટી બિમારી, ૧૭૫ દાંતના રોગો, ૬૭ ચામડીના રોગો, ૫૦ કાન-નાક-ગળાના રોગો માટે તથા ૩૫ અન્ય નિષ્ણાંત દ્વારા તપાસવામાં આવ્યાં છે. તે પૈકી હ્દયરોગ, કીડની તથા કેન્સર જેવી ગંભીર બિમારી માટે ૧૭ બાળકોને સુપર સ્પેશ્યાલીટી સારવાર માટે રીફર કરવમાં આવ્યાં છે. જેમાં ૫ હ્દયરોગ તથા ૨ કેન્સર સારવાર માટે સુપરસ્પેશ્યાલીટી સારવાર અપાઇ છે.
આથી તમામ વાલીઓને અનુરોધ છે જયારે પણ શાળા આરોગ્ય તપાસણી ચાલતી હોય ત્યારે આપનાં બાળકોને જરૂરથી શાળાએ મોકલશો તથા તબીબી અધિકારીનાં સલાહ-સૂચન મુજબ સાથ સહકાર આપી આપના બાળકોને તંદુરસ્ત બનાવવાનાં અભિયાનમાં મદદરૂપ થશો. આ કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના શાળાએ જતાં આંગણવાડીમાં જતાં તમામ બાળકો તેમજ ૦ થી ૧૪ વર્ષના શાળાએ ન જતાં બાળકોની પણ તપાસ હાથ ધરવામાં આવે છે.                                              

આજે સયાજી વૈભવ પુસ્તકાલય ખાતે વાર્તાલાપ ઃ
નવસારીઃ  શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે તા.૨૪/૧૨/૧૧ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે પ્રસિધ્ધ સાહિત્યકાર-સર્જક ધ્રુવભટૃનો "અકૂપાર' પુસ્તક પર વાર્તાલાપ કરશે. આ વાર્તાલાપ સાંભળવા નગરજનોને પુસ્તકાલય પરિવાર ઘ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

સર જે.જે.પ્રાયમરી સ્કુલના બાળકો સ્પર્ધામાં વિજેતા બન્યા ઃ
નવસારીઃ  નવસારી ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં ફિલાટેલી કવીઝ સ્પર્ધા, પત્રલેખન સ્પર્ધા, ડ્રોઇંગ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારીની સર જે.જે.પ્રાયમરી સ્કુલ(ગુજરામી મિડિયમ)ના બાળકોએ ભાગ લીધો હતો. ફિલાટેલી કવીઝ સ્પર્ધામાં પ્રથમક્રમે નાયક કથન, દ્વિતિયક્રમે પટેલ દર્શન, તૃતીયક્રમે સોની સૃષ્ટિ વિજેતા, પત્રલેખન સ્પર્ધામાં રાઠોડ હેનિલ વિજેતા, ડ્રોઇંગ સ્પર્ધામાં પ્રથમક્રમે વિશ્વા દેસાઇ અને દ્વિતિયક્રમે રાઠોડ હેનિલ વિજેતા જાહેર થયા છે. વિજેતા થેયલા બાળકો વડોદરા ખાતે રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. શિક્ષક સર્વશ્રીઓ સવિતાબેન પટેલ, ભારતીનબેન કંસારા અને અશોકભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકો વિજેતા બન્યા છે. વિજેતા બાળકોને શાળાના આચાર્ય શ્રીમતી તારકેશ્વરી સુરતી તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યાં હતાં.

આજે બીલીમોરા ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી ઃ
નવસારીઃ નવસારી જિલ્લાકક્ષાનો "રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન'ની ઉજવણી તા.૨૪/૧૨/૧૧ ના રોજ સવારે ૧૦-૦૦ વાગે સાંઇબાબા મંદિરનો હોલ, બીલીમોરા ખાતે યોજાશે. એમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી કે.જે.રાઠોડ ઘ્વારા જણાવાયું છે.                      





ટિપ્પણીઓ નથી: