અનુયાયીઓ

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

સોમનાથ સાનિધ્યે મોરારિબાપુની રામકથા : ૮ મી ઓક્ટોબરે કથાનો પ્રારંભ : તડામાર તૈયારીઓ

ભારતનાં બાર જયોતિgલીંગમાં પ્રથમ અને વિશ્વમાં આસ્થાનાં કેન્દ્ર બિન્દુ સમાન સોમનાથ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં આગામી ઓક્ટોબર મહિનામાં પ્રખર રામાયણી મોરારીબાપુની રામકથાનું ભવ્ય આયોજન કરાયું છે. ત્રિવેણી સંગમનાં કાંઠે યોજાનારી રામકથાની તડામાર તૈયારીઓ વેરાવળ-સોમનાથનાં પત્રકારો દ્વારા કરાઇ રહી છે. યાત્રાધામ વેરાવળનાં પ્રભાસ તિર્થનાં ગોલોકધામ ગીતા મંદિર દેહોત્સર્ગ મેળાનાં વિશાળ મેદાનમાં આગામી તા. ૮/૧૦ થી ૧૬/૧૦ સુધી મોરારીબાપુની રામકથા યોજાશે. કથા શ્રવણનો સમય સવારનાં ૯ થી ૧ નો રહેશે. આ રામકથા મોરારીબાપુએ ઈતિહાસમાં પહેલીવાર પત્રકારોને આપી હોવાથી અખબાર જગતમાં અનેરો ઉત્સાહ છવાયો છે. રામકથા અંગેની માહિતી આપતાં મહેન્દ્ર રાજા, હેમલ ભટ્ટ, દિપક ઠક્કરે જણાવ્યું હતું કે, રાજ્યનાં મુખ્યમંત્રી, કેબીનેટ મંત્રીઓ, વિરોધ પક્ષનાં નેતા તેમજ પ્રિન્ટ-ઇલેકટ્રોનીક જગતનાં મોભીઓને આમંત્રણ મોકલાયા છે. જૂનાગઢ, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, કચ્છ, ભુજ તેમજ મધ્યપ્રદેશ, ગોવામાં પ્રેસ કોન્ફરન્સ યોજી તમામ પત્રકાર જગતને આમંત્રણ મોકલવાની વ્યવસ્થા ગોઠવાય છે. આ રામકથામાં દેશ-વિદેશની ફિલ્મી હસ્તીઓ, રાજકારણીઓ અને સેલીબ્રીટીઓ ઉપસ્થિત રહેશે. તા. ૮ નાં સોમનાથ દાદાને ધ્વજારોહણ બાદ દગિ્વીજય દ્વારથી બપોરનાં ૧૨.૩૦ કલાકે પોથીયાત્રા નીકળશે અને કથા સ્થળે પોથીયાત્રાની પધરામણી બાદ કથાનો પ્રારંભ થશે. દરરોજ રાત્રિનાં ૭ થી ૧૦ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ અલૌકિક રામકથા શ્રવણનો પ્રજાજનોને લાભ લેવા અનુરોધ છે. આ તકે સોમનાથ ટ્રસ્ટ, વહિવટી તંત્ર, પોલીસ વિભાગ, આર એન્ડ બી વિભાગ, નગર સેવા સદન, સામાજીક સંસ્થાઓ, યુવક મંડળોનો સંપુર્ણ સહયોગ મળી રહ્યો છે. કથા સ્થળે આશરે એક લાખ શ્રોતાજનો બેસી શકે તેવા મંડપો, પાકિઁગની સુવિધા અને પ્રસાદી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે. રામકથાનાં આયોજનને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાજલી મુકામે ત્રિવેણી સંગમનાં કિનારે આવેલી નવિનર્મિત કુટીરમાં મોરારીબાપુ નિવાસ કરશે. તેઓ દરરોજ નાૈકાવિહાર કરી કથા સ્થળે આવશે. આ કથાનાં મુખ્ય યજમાન મહુવાનાં ચીમનભાઇ વાઘેલા રહેશે. મોરારીબાપુની આ રામકથા ૭૦૨ મી હોય ૭ અને ૨ નો મળી નવનો શુકનિયાળ આંક થાય છે. રામકથાની દરેક માહિતી વેબસાઇટ, ફેશબુક, ઓરકુટ, ટ્વિટર, ગુગલ ઉપર ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાશે. પ્રત્યેક વ્યક્તિ કથા સ્થળ સુધી પહોંચી શકે તે માટે વેબસાઇટhttp://ramkathadehotsarg.com માહિતી ઉપલબ્ધ કરાય છે. લીલાવંતી ભવનમાં મિડીયા સેન્ટર ઉભું કરાશે. સોમનાથ ટ્રસ્ટનાં સહયોગથી દરેકને કથા સ્થળે લઇ જવાશે. સેન્ટરમાં કમ્પ્યુટર, ફેકસ, પ્રીન્ટર, ઇમેઇલ વ્યવસ્થા રખાશે. દેશ-વિદેશનાં પત્રકારો માટે રહેવા તથા કથા શ્રવણ માટે અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.
For More Details Contact Mr. Dipakbhai Kakkad Ananddham Complex, Shop No. 16, Nr. Bus Station, Veraval - 362 266 Phone 02876-245771 / 241181 E-mail ramkathadehotsarg@live.com /ramkathadehotsarg@ymail.com Customer Care 98242 98336 / 94273 88122 / 98242 83103 / 99791 21200 / 99250 29766 / 94269 82461

ટિપ્પણીઓ નથી: