ગુજરાતના અર્થતંત્રની ગતિશીલતા અને સાતત્યપૂર્ણ વિકાસના કેન્દ્રમાં રાજ્યની વર્તમાન સરકારનો પારદર્શી વહીવટ છે
કેગના ઓડિટ રિપોર્ટના કેટલાક મૂદાઓની તારવણી કરીને તેને રાજ્ય સરકારના કથિત ભ્રષ્ટાચાર તરીકે ચીતરવાના અપપ્રચારની આકરી આલોચના કરતા પ્રવકતા મંત્રીશ્રીઓ
કેગના ઓડિટ રિપોર્ટના તમામ મૂદાની તટસ્થ અને તલસ્પર્શી ચકાસણી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ અને જાહેર સાહસોની સમિતિ દ્વારા થાય છે... જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષપદે તો વિપક્ષના ધારાસભ્યશ્રી જ હોય છે
ગુજરાત સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓ આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે કેગના ડ્રાફટ ઓડિટ રિપોર્ટના કેટલાક ચોક્કસ મૂદાઓની તારવણી કરીને અખબારી અહેવાલ રૂપે તેને રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર તરીકે રજૂ કરવાની પેરવીની આકરી આલોચના કરી છે અને જણાવ્યું છે કે આ સદંતર જૂઠાણા સાથેનો, સત્યથી સાવ વેગળા એવા ચોક્કસ દ્વેષભાવ પ્રેરિત રાજકીય ઇરાદા ધરાવતો નિંદનીય પ્રયાસ છે અને ગુજરાતની જનતા એનાથી ગેરમાર્ગે દોરાશે નહીં.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે કમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ) એ તો, ભારતના બંધારણ અન્વયે કેટલીક વિશિષ્ઠ સત્તાઅધિકારો ધરાવતી ઓડિટ અન્વેષણ સંવૈધાનિક એજન્સી છે અને સ્વતંત્ર રીતે રાજ્ય સરકારોના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતા ખર્ચના હિસાબો તપાસે છે. આ ચકાસણી દરમિયાન જ્યાં તેઓને (કેગને) પ્રાથમિક દ્રષ્ટિએ વધુ વિગતો મેળવવી જરૂર જણાય ત્યાં ""ડ્રાફટ ઓડિટ પેરા'' તરીકે પ્રથમ સંબંધકર્તા સરકારી વિભાગ પાસે મોકલે છે ત્યારબાદ તેનો પ્રાથમિક અહેવાલ રાજ્ય વિધાનસભાને મોકલવામાં આવે છે.
આ અહેવાલ રાજ્યના વિધાનસભાગૃહ સમક્ષ રજૂ થયા બાદ તેની વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા વિગતવાર ચકાસણી કરીને જાહેર હિસાબ સમિતિ અથવા કોર્પોરેટ જાહેર સાહસ કંપનીના કિસ્સામાં જાહેર સાહસોની સમિતિને સોંપવામાં આવે છે. સંબંધિત વિભાગો આ અહેવાલની ચકાસણી કર્યા બાદ જાહેર હિસાબ સમિતિ અથવા જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષશ્રીઓનો પરામર્શ કરીને વિગતવાર વિશ્લેષણ કરીને કેટલા ઓડિટ પેરા લેવા તે નક્કી કરે છે ત્યારબાદ આ પેરેગ્રાફ સંબંધિત વિભાગોને મોકલવામાં આવે છે અને વિભાગના સંબંધિત અધિકારીને જે તે સમિતિ સમક્ષ ચકાસણી માટે રૂબરૂ બોલાવવામાં આવે છે એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ કેગના ડ્રાફટ રિપોર્ટ અંગેની તબક્કાવાર સંવૈધાનિક પ્રક્રિયાની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ સ્પષ્ટપણે એ હકિકતનો ઉલ્લેખ કર્યો હતો કે વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે વિરોધપક્ષ દ્વારા નક્કી કરાયેલા ધારાસભ્યશ્રીની નિમણુંક થતી હોય છે જે ગુજરાતમાં સંસદીય લોકશાહીની ઉજ્જવળ પ્રણાલીરૂપે થાય છે. આમ, કેગના ડ્રાફટ પેરાની ચકાસણીની સંપૂર્ણપણે વૈધાનિક જોગવાઇઓ મુજબ પૂરેપૂરી પારદર્શક અને તટસ્થતાથી થાય છે એટલું જ નહીં, પણ જાહેર હિસાબ સમિતિ કે જાહેર સાહસોની સમિતિમાં પણ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિ તથા સરકારના નાણાં વિભાગના પ્રતિનિધિ આ સમિતિની મદદ માટે હાજર રહેતા હોય છે. આથી, વિધાનસભાગૃહે નિયુકત કરેલી આ સમિતિઓમાં થતી કાર્યવાહી, કોઇપણ પક્ષીય ધોરણે નહીં પરંતુ તટસ્થ અને સુચારૂ રીતે થતી રહી છે એમ જણાવી પ્રવકતા મંત્રીશ્રીઓએ ઉમેર્યું કે આ સંવૈધાનિક સમિતિઓના અધ્યક્ષશ્રીઓને જરૂર જણાય તો બહારના અન્ય કોઇ નિષ્ણાંતને પણ સમિતિની તપાસણીમાં આમંત્રી શકે છે એટલું જ નહીં, આ પ્રકારના નિષ્ણાંતોનો અભિપ્રાય મેળવી શકે છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યુ઼ કે આ પ્રકારની તટસ્થ ચકાસણીની તબક્કાવાર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમિતિ કેટલાક પેરાગ્રાફ વિશે પોતાના અવલોકનો સાથે અહેવાલ તૈયાર કરીને સરકારને મોકલી આપે છે જેને પણ વિધાનગૃહમાં રજૂ કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ જ તે અહેવાલ સ્વીકૃત અને આખરી ગણાય છે.
આમ, સંવૈધાનિક સમિતિઓની દ્વારા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડીયા (કેગ) દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા એકેએક મૂદાની તલસ્પર્શી, અત્યંત ઝીણવટભરી, તટસ્થ અને ચોકસાઇપૂર્વકની ચકાસણી થાય છે જ.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે એમ પણ જણાવ્યું કે વર્તમાન વિધાનસભા ગૃહની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે વિપક્ષ-કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્યશ્રી અને પૂર્વમંત્રીશ્રી મોહનસિંહજી રાઠવા પોતાનો પદભાર સંભાળી રહ્યા છે અને આ જ સમિતિમાં વિધાનસભામાં રાજકીય પક્ષના સંખ્યાબળ પ્રમાણે પ્રો-રેટા બધા જ પક્ષોનું પ્રતિનિધિત્વ રહેલું છે.
તેમણે જણાવ્યું કે પ્રવર્તમાન વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સમક્ષ અત્યારે સને ર૦૦ર-ર૦૦૩ના વર્ષના અહેવાલોની ચકાસણી થઇ છે ત્યારબાદ તે પછીના આગળના વર્ષોના અહેવાલોની ચકાસણી થવાની તો હજૂ બાકી છે, આ સંજોગોમાં સરકારના વિભાગોની ખર્ચની રકમો અને આઇટેમો અંગે આજના અખબારી અહેવાલમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે માત્રને માત્ર અનુમાન આધારિત, પૂર્વગ્રહ પ્રેરિત અને ગેરમાર્ગે દોરવાનો ઉદેશ ધરાવે છે તેમ કહેવું તેમાં કોઇ જ અતિશયોકિત નથી.
કેગના અહેવાલના ચોક્કસ મૂદા મનધડંત રીતે ઉપસ્થિત કરીને રાજ્ય સરકારને બદનામ કરવાના ઉદેશનું દ્રષ્ટાંત આપતા પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની હાલની જાહેર હિસાબ સમિતિ (PAC) સમક્ષ હાલ ૧૯૯૭-૯૮ના ઓડિટ રિપોર્ટની કામગીરી ચાલી રહી છે તેમ કહેવું તે પણ સત્યથી તદ્ના વેગળું છે.
જે રીતે રાજ્ય સરકારના કહેવાતા ભ્રષ્ટાચાર અંગે અનુમાનો આધારિત તારણો કાઢવા, પૂર્વગૃહ પ્રેરિત, દ્વેષભાવ અને રાજકીય ઇરાદાથી અનુમાનો બાંધીને હકિકતોનો વિકૃત રીતે અપપ્રચાર કરવાનો છેલ્લા કેટલાક સમયથી સાહજિક રીતે પણ સંપૂર્ણ રાજકીય ઇરાદા સાથેનો સીલસીલો ચાલી રહ્યો છે તે સંજોગોની ભૂમિકા આપી પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું છે કે આવા અપપ્રચારથી ગુજરાતની જનતા ગેરમાર્ગે દોરાશે નહીં પરંતુ રાજ્ય સરકારના વર્તમાન આખા દશકાના શાસનમાં વાસ્તવિકતા એ જ રહી છે કે રાજ્ય સરકાર સંપૂર્ણપણે પારદર્શી વહીવટ કરતી રહી છે અને કયાંય કોઇપણ પ્રકારની ગેરરીતિ કે નાણાંકીય ગેરશિસ્ત ચલાવી લેતી નથી, તેના પરિણામે જ રાજ્યના અર્થતંત્રની ગતિશીલતા અને વિકાસનું સાતત્ય જળવાઇ રહ્યાં છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ એવી જાહેરાત પણ કરી હતી કે ભારત સરકાર દ્વારા સંસદમાં શ્રીયુત અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરૂધ્ધના અભિયાન સંદર્ભમાં જે લોકપાલનો સૂચિત કાયદો પસાર થાય ત્યારે તેની સાથે સુસંગત રહીને, રાજ્ય સરકારે (ગુજરાતમાં લોકાયુકત અધિનિયમ) અંગેના વર્તમાન કાયદામાં સુધારા-વધારા કરવા પાંચ મંત્રીશ્રીઓના ઉચ્ચસ્તરીય અભ્યાસ જૂથની રચના કરી દીધી છે. આ પણ રાજ્ય સરકારના પારદર્શી શાસન માટેની પ્રતિબધ્ધતાનો વધુ એક પુરાવો છે, કારણ કે રાજ્યમાં લોકાયુકતની સંસ્થા વધુ સક્ષમ અને મજબૂત બને તેવો ઉમદા ઉદેશ ધરાવનારૂ પણ દેશમાં ગુજરાત જ પ્રથમ રાજ્ય છે, એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.
સંસદમાં સૂચિત લોકપાલ કાયદા સાથે સુસંગત
ગુજરાતમાં લોકાયુકત કાયદામાં સુધારા સૂચવવા પાંચ મંત્રીશ્રીઓના ઉચ્ચસ્તરીય અભ્યાસ જૂથની રચના કરતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાત સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓ સર્વશ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લીધેલા નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારત સરકાર અને શ્રીયુત અન્ના હજારેની સહમતિથી સંસદમાં જે સૂચિત લોકપાલના કાયદાના સંદર્ભમાં ચર્ચા થાય તથા તે પસાર થાય તેના આધારે ગુજરાત લોકાયુકત અધિનિયમ અને સંબંધકર્તા કાયદાઓમાં સુસંગત સુધારા વધારા કરવાની આગવી પહેલ ગુજરાત સરકારે જ કરી છે, અને આ હેતુસર મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં લોકાયુકત (લોકપાલ)નો સુધારેલો કાયદો અમલમાં લાવવા અને લોકાયુકતની સંવૈધાનિક સંસ્થા વધુ સક્ષમ અને મજબૂત બને તે માટે, સંસદના સૂચિત લોકપાલ કાયદા સાથે સુસંગત રહીને ગુજરાતમાં સુધારા સૂચવવાના રાજ્ય મંત્રીમંડળના પાંચ મંત્રીશ્રીઓના ઉચ્ચસ્તરીય અભ્યાસ જૂથની રચના કરવામાં આવી છે.
આ અભ્યાસ જૂથના અધ્યક્ષસ્થાને નાણાં મંત્રીશ્રી વજૂભાઇ વાળા રહેશે, જ્યારે સભ્ય તરીકે આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ, કાયદામંત્રીશ્રી દિલીપભાઇ સંધાણી, કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા અને આયોજન રાજ્યમંત્રીશ્રી રણજિતભાઇ ગિલીટવાલા રહેશે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે વહીવટમાં પારદર્શી અને જનહિતનું વિકાસલક્ષી શાસન આપવા ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે તેનો આ એક વધુ પુરાવો છે.
ચોમાસું-ર૦૧૧
રાજ્યના ૩૧ તાલુકામાં નોંધનીય વરસાદ નવ જિલ્લા વરસાદ વિહોણા
વલસાડમાં છ ઇંચ, ગણદેવીમાં ચાર ઇંચ વરસાદ
ગાંધીનગર,
રાજ્યના ૩૧ તાલુકામાં નોંધનીય વરસાદ નવ જિલ્લા વરસાદ વિહોણા
વલસાડમાં છ ઇંચ, ગણદેવીમાં ચાર ઇંચ વરસાદ
ગાંધીનગર,
રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના ૩૧ તાલુકામાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર અને પોરબંદર મળી કુલ નવ જિલ્લા વરસાદ વિહોણા રહ્યા હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ર૪-૮-ર૦૧૧ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના વલસાડમાં ૧૬૩ મી.મી. એટલે કે છ ઇંચ, નવસારી જિલ્લાના ગણદેવીમાં ૧૧૧ મી.મી. એટલે કે ચાર ઇંચ, અને પંચમહાલ જિલ્લાના જાંબુધોડામાં ૮૯ મી.મી., સુરત જિલ્લાના કામરેજમાં ૭૩ મી.મી., નવસારી જિલ્લાના જલાલપોરમાં ૮૬ મી.મી., નવસારીમાં ૮૧ મી.મી. અને વલસાડ જિલ્લાના પારડીમાં ૮૭ મી.મી. મળી કુલ પાંચ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના રાણપુરમાં ૪૮ મી.મી, તાપી જિલ્લાના નીઝરમાં ૭૦ મી.મી એટલેકે બે ઇંચ અને ધોધંબા, ઉપલેટા, ખાંભા, પાલીતાણા, વાલોડ, પલસાણા, મહુવા, ચીખલી મળી કુલ આઠ તાલુકામાં એક ઇૈચથી વધુ , અન્ય ૧૪ તાલુકામાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ પડયો હોવાના અહેવાલો છે.
રાજ્યના ૩૮ જળાશયો છલોછલ ભરાયા
સરદાર સરોવર ખાતે નર્મદા ડેમ ખાતે નર્મદાની જળસપાટી ૧૨૩.૧૩ મીટર
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ર૪-૮-ર૦૧૧ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના વલસાડમાં ૧૬૩ મી.મી. એટલે કે છ ઇંચ, નવસારી જિલ્લાના ગણદેવીમાં ૧૧૧ મી.મી. એટલે કે ચાર ઇંચ, અને પંચમહાલ જિલ્લાના જાંબુધોડામાં ૮૯ મી.મી., સુરત જિલ્લાના કામરેજમાં ૭૩ મી.મી., નવસારી જિલ્લાના જલાલપોરમાં ૮૬ મી.મી., નવસારીમાં ૮૧ મી.મી. અને વલસાડ જિલ્લાના પારડીમાં ૮૭ મી.મી. મળી કુલ પાંચ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના રાણપુરમાં ૪૮ મી.મી, તાપી જિલ્લાના નીઝરમાં ૭૦ મી.મી એટલેકે બે ઇંચ અને ધોધંબા, ઉપલેટા, ખાંભા, પાલીતાણા, વાલોડ, પલસાણા, મહુવા, ચીખલી મળી કુલ આઠ તાલુકામાં એક ઇૈચથી વધુ , અન્ય ૧૪ તાલુકામાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ પડયો હોવાના અહેવાલો છે.
રાજ્યના ૩૮ જળાશયો છલોછલ ભરાયા
સરદાર સરોવર ખાતે નર્મદા ડેમ ખાતે નર્મદાની જળસપાટી ૧૨૩.૧૩ મીટર
૬૪ જળાશયો માટે હાઇએલર્ટ, ૧૮ જળાશયો માટે એલર્ટ અને ૧૬ જળાશયો માટે સામાન્ય ચેતવણી
ગાંધીનગર
ગાંધીનગર
રાજ્યમાં વરસી રહેલાં વરસાદને કારણે આજે તા. ૨૪-૮-૨૦૧૧ના રોજ સવારે ૭-૦૦ કલાક સુધીમાં ૩૮ જેટલા જળાશયો છલોછલ ભરાઇ ચૂકયા છે. જેમાં સૌરાષ્ટ્રના ૩૧, ઉત્તર ગુજરાત-૧, મધ્ય ગુજરાતના ૩, અને દક્ષિણ ગુજરાતના ૩ જળાશયોનો સમાવેશ થાય છે.સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નદીની જળસપાટી ૧૨૩.૧૩ મીટર રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૨૧.૯૨ મીટર છે.
રાજ્યના ૬૪ જેટલા જળાશયો ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઇએલર્ટ, ૧૮ જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાતાં એલર્ટ અને ૧૬ જળાશયો ૭૦ થી ૮૦ ટકા ભરાતાં તેના માટે સામાન્ય ચેતવણી રાજ્ય પૂરનિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૦ જેટલા જળાશયોમાં આજે ૧૧૧૦૧.૨૭ મીલીયન ક્યુબીક મીટર જળસંગ્રહ થયો છે.
રાજ્યના ૬૪ જેટલા જળાશયો ૯૦ ટકાથી ઉપર ભરાતા હાઇએલર્ટ, ૧૮ જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાતાં એલર્ટ અને ૧૬ જળાશયો ૭૦ થી ૮૦ ટકા ભરાતાં તેના માટે સામાન્ય ચેતવણી રાજ્ય પૂરનિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે. રાજ્યના ૨૦૦ જેટલા જળાશયોમાં આજે ૧૧૧૦૧.૨૭ મીલીયન ક્યુબીક મીટર જળસંગ્રહ થયો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો