APHARAN BAVAPIPALIYANI KISHORINU
KASHYAP JOSHI JETALSAR
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
યાર્ડ ચેરમેન ભુવાની રજુઆતને સફળતા
જેતપુરની માર્કેટ યાર્ડમાં સીસીઆઇનું
ખરીદી કેન્દ્ર શરુ થતા ખેડૂતો ગેલમાં
જેતપુર તા.14
જેતપુરની માર્કેટ યાર્ડમાં સીસીઆઈનું ખરીદી કેન્દ્ર ચાલુ થતા યાર્ડ કાર્યવાહકો અને છવાયો હોવાનું જાણવા મળે છે.
આ અંગે વિગતો મુજબ જેતપુરની માર્કેટ યાર્ડમાં સીસીઆઈ નું ખરીદી કેન્દ્ર શરુ કરવામાં આવે તેવી માંગ બાદ રાજ્ય મંત્રી જયેશ રાદડિયા અને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા દ્વારા કૃષિ મંત્રીને વારંવારની રજૂઆતોથી આજે તા.14 થી અહી સીસીઆઈ ખરીદી કેન્દ્ર ચાલુ થતા યાર્ડ સંચાલકો અને ખેડૂતોમાં આનંદ છવાયો છે. આ તકે યાર્ડના ચેમેન દિનેશ ભુવાએ જણાવેલ છે સરકારના ટેકાના ભાવોથી પણ ખેડૂતોને કપાસના નીચા ભાવો મળતા હોય સીસીઆઈનું ખરીદી કેન્દ્ર ચાલુ કરવાની તેઓની માંગને સફળતા મળતા હવે ખેડૂતો પૂરતા ભાવો મળી રહેશે
બોક્સ: બોનસ આપવા સાંસદની માંગ
જેતપુર: જેતપુર યાર્ડમાં શરુ થયેલ આ ખરીદી કેન્દ્રની સરાહના કરી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ ખેડૂતોને સરકારના ટેકાના ભાવો ઉપરાંત બોનસ પણ અપાય તેવી સરકારમાં ભલામણ કરી છે. અને જો બોનસ અપાશે તો ખેડૂતોને વધુ ફાયદો થાય યાર્ડ ચેરમેન જણાવે છે.
(કશ્યપ જોશી જેતલસર-જેતપુર)
જેતપુરમાં આયુર્વેદિક સર્વ રોગ
નિદાન-સારવાર કેમ્પ યોજાશે
જેતપુર તા.14
શહેરની સેવાભાવી સંસ્થા સમર્પણ ગ્રુપ દ્વારા આગામી 23.11.2014 ને રવિવારના રોજ આયુર્વેદિક સર્વ રોગ, સ્ત્રીરોગ, બાળરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પુ.શાંતાબેન ગોવર્ધનદાસ તન્ના(ખપોલી-મહારાષ્ટ્ર)પરીવારના સહયોગ વચ્ચે ઉપરોક્ત દિવસે સવારના 8.30 થી 12.30 દરમિયાન પંડ્યા શાળા, ખોડપરા, બરફના કારખાના સામેની શેરી ખાતે યોજાનાર આ કેમ્પમાં દિલીપભાઈ દલ, દર્શનાબેન દલ, પન્ના મહેતા વી. તબીબ મિત્રો સેવા આપનાર હોય, કેમ્પનો લાબ લેવા માંગતા દર્દીઓએ પોતાના નામો પરાગ પુસ્તકાલય, ખોડપરા, વિદ્યા બૂક સ્ટોર, સેન્ટ્રલ બેંક પાસે, તથા આનંદ બૂક સ્ટોર, કણકિયા પ્લોટ, બસસ્ટેન્ડ રોંદ ખાતે નોંધાવી દેવા સંસ્થા પ્રમુખ હરીશ મણિયારે અનુરોધ કરેલ છે.
જેતપુરમાં ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થઇ..
જેતપુર: જેતપુરમાં આજથી જુનાગઢ રોડ ઉપર એક પ્લોટમાં જેતપુર ઇન્ટર સ્કુલ ચેમ્પીયનશીપ ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થઇ છે. ત્રણ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર એશો.પ્રમુખ મિતેશ ચૌહાણ દ્વારા જેતપુર સ્પોર્ટ્સ અશો. અને જેસીઆઈ જેતપુરના સહયોગ વચ્ચે કરાયું છે. જેનો ધ્યેય યુવાનોમાં અવસ્થામાં પડેલા કૌશલ્યોને ખીલવવાનો છે.
કેશોદ-વાપી એસટી બસના કંડકટરની દાદાગીરી
ઓનલાઈન રીજર્વેશન એજન્સીની ટીકીટ
ના ચલાવી મુસાફરને હેરાન કર્યો !!
જેતપુર તા.14
જેતપુરમાં ઓનલાઈન પેસેન્જર રીજર્વેશન બુકિંગ એજન્ટ દ્વારા અપાયેલી ટીકીટ ના ચાલવી કેશોદ વાપી રૂટની એસટી બસના કંડકટરે આચરેલી દાદાગીરી બબાતે જુનાગઢ એસટી ના વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ કરાઈ છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈ 9.11.ના રોજ જેતપુરમાં વિજય ઝેરોક્ષ નામની શોપમાં જીએસવીજય નામની ઓનલાઈન પેસેન્જર રીજર્વેશન બુકિંગ એજન્સી પરથી જેતપુરના એક નાગરિકે અહીંથી કેશોદ જવા માટેની બે ટીકીટ બૂક કરાવી હતી. પીએનાર નં જી-7877604 અને ટ્રા નં 8329775 ધરાવતી આ બંને ટીકીટો લઈને મુસાફર કેશોદ - વાપી રૂટની બસમાં ચડ્યા ત્યારે આઈડી પૃફના બહાને યેનકેન રીતે મુસાફરને આ બસના કંડકટરે ભારે હેરાન પરેશાન કરતા મુસાફર અને બુકિંગ એજન્સી ચલાવના ઉપેન્દ્ર મનસુખલાલ વ્યાસને ભારે અશોભનીય હાલતનો સામનો કરવો પડ્યો હતો. એજન્સી સંચાલકે રજુઆતમાં એવી પણ દહેશત વ્યક્ત કરી છે કે મુસાફરે પુરા પૈસા રીફંડ નહિ મળે તો તેમને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદનો ભોગ બનવું પડશે
બોક્સ: એસટી તંત્રનો વાહિયાત બચાવ ?!
જેતપુર: મુસાફરને હેરાન કરનાર ઉક્ત બસના કંડકટરે જણાવેલ કે જેતપુરના બસસ્ટેંડ સ્થિત એટલેકે એસટીની માન્ય રીજર્વેશન બારી ઉપરથી ટીકીટ બુક કરાવી હોત તો કોઈ આઈડી પૃફની જરૂરીયાત ના રહેત ! તો આ વાતમાં બુકિંગ એજન્ટોને શું સમજવું ? એસટી તંત્રની આવી બેધારી નીતિ કેમ ? તેવા પ્રશ્નો ઉઠાવી ઉક્ત બસના કંડકટર સામે કાયદેશરના પગલા ભરવા માંગ કરાઈ છે. (કશ્યપ જોશી જેતલસર-જેતપુર)
સરધારપુર દરવાજા પાસે
જેતપુરના નવાગઢમાં ભૂગર્ભ ગટરની
ધૂળ-પત્થરો થી પ્રજા ભારે પરેશાન
(કશ્યપ જોશી જેતલસર-જેતપુર)
કાકાના દીકરા ભાઈએ બહેનની લાજ હરી !!
માત્ર કાર્યાલય ની જાણ માટે : કિશોરીની જન્મ તા.1-7-1998 છે અને નામ રવિના
(કશ્યપ જોશી જેતલસર-જેતપુર)
જેતપુરના ચારણ સમઢીયાળાની ઘટના
માથાના દુખાવાની ટિકડીએ પરપ્રાંતીય
મહિલાનો ભોગ લેતા ચકચાર
માથાના દુખાવાની ટીકડી ખાઈને સુતેલી માયા પાછી ઉઠી જ નહિ !
જેતપુર તા.14
અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું મોત
જેતલસર તા.14
એટીકેટીના પરીક્ષા ફોર્મ ન અપાતા હોવાની રાવ સાથે
જીટીયુના છાત્રોની શિક્ષણમંત્રીને રૂબરૂ રજુઆતો....
જો કે જીટીયુ એ તો લેખીતમાં ના પાડી દીધી કે સમય મર્યાદા ચુકી ગયેલા
ડીપ્લોમાં ઇન ફાર્મસીનાં છાત્રો કોઈ સંજોગોમાં પરીક્ષા નાં આપી શકે
કશ્યપ જોશી જેતલસર(જેતપુર) તા.11
અભ્યાસમાં નિયત સમય મર્યાદા ચુકી ગયેલા ડી.ફાર્મના છાત્રોને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી એટીકેટીની પરીક્ષાના ફોર્મ નાં આપતી હોવાની રાવ સાથે ગઈકાલે જેતપુર, રાજકોટ, લખતર, સહિતના શહેરોના 15 છાત્રો કેબીનેટ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ને રજૂઆત કરવા ગાંધીનગર-અમદાવાદ દોડી ગયા હોવાની વિગતો મળી રહી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર, રાજકોટ સહીત ગુજરાતના ડીપ્લોમાં ઇન ફાર્મસીના 15 છાત્રો કે જેઓ પોતાના અભ્યાસ દરમિયાન શારીરિક કે માનશીક સંજોગોનો ભોગ બન્યા છે તેવા તમામ છાત્રોને એટીકેટીની પરીક્ષાના ફોર્મ પણ નહિ આપવાની વાત ને વળગી રેહેલ ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીની નીતિ રીતી સામે રોષે ભરાયેલ ડી.ફાર્મ ના 15 વિદ્યાર્થીઓ ગઈકાલે ગુંજરત રાજ્યના કેબીનેટ શિક્ષણ મંત્રી ચુડાસમાને રજૂઆત કરવા ગાંધીનગર-અમદાવાદ રૂબરૂ દોડ્યા હતા.
પણ ત્યાં ચુડાસમાના અગ્રસચિવ સાથે છાત્રોને મળવાનો મોકો મળ્યો હતો. આ સમયે ધર્મેશ વાલજી પારધી, ગૌરાંગ નાગરભાઈ દેકીવાડીયા, વંદિત લક્ષ્મણભાઈ મેંદપરા, મેહુલ રાજેન્દ્ર ઉપાધ્યાય, રાઠવા મેહુલ મોતીભાઈ, ધાનાણી સાગર હસમુખભાઈ, વિનય લક્ષ્મણસિંહ બારૈયા,સૈયદ અનસ ફરુકખાન, સિદ્ધા મનુભાઈ ઉકાભાઈ,પરીખ ઋષિ રાકેશભાઈ, કિશન પટેલ, ચૌધરી દેવ, હિરેન પટેલ વિગેરે છાત્રોએ પોત પોતાના ડીપ્લોમાં ઇન ફાર્મસીના અભ્યાસ દરમિયાન શારીરિક માનશીક યાતનાઓ વેઠવી પડી હોય, અભ્યાસમાં પુરતું ધ્યાન ના અપાઈ શકાયું હોવાનો વસવસો વ્યક્ત કરી તેઓને ડી.ફાર્મ ની એટીકેટીની પરીક્ષાના ફોર્મ મળે તેવી જીટીયુને ભલામણ કરવાની માંગ દોહરાવી હતી. અગ્ર સચિવે આ પ્રશ્નનું ફોલોઅપ લઈને બનતી મદદ કરવાની ખાતરી આપી હતી.
બોક્સ: જીટીયુ એ લેખિતમાં ભણેલો નનૈયો !!
જેતપુર: છાત્રો દ્વારા રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયાને એટીકેટીના પરીક્ષા ફોર્મ મળવા બાબતે કરાયેલી રજુઆતનો જેતપુરના ધર્મેશ પારધીને લેખિતમાં જવાબ આપતી ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી એ જણાવેલ છે કે જીટીયુના નોટીફીકેશન ક્રમાંક નંબર 1/2012 મુજબ ડી.ફાર્મ અભ્યાસક્રમની મુદ્દત 2 વર્ષની હોય, છાત્રોએ કુલ 4 વર્ષમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાનો રહે છે.
આ યુનીવર્સીટી દ્વારા એનરોલમેન્ટની મુદ્દત વધારવાની બાબત અંતર્ગત એકેડેમિક કાઉન્સીલના મંજુર થયેલ ઠરાવ અન્વયેના પરિપત્ર ક્રમાંક GTU/Acad/Enrol.Extend/2014/6306 તા.5-9-2014 મુજબ આપની અરજી ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી.
બોક્સ: હવે છાત્ર સંગઠનો ઉપર છાત્રોનો મદાર
જેતપુર: તમે ડી.ફાર્મ ની પરીક્ષા આપી નહિ શકો તેવા જીટીયુના જવાબથી ચિંતિત આ અભ્યાસના વિદ્યાર્થીઓ હવે છાત્ર સંગઠનોનો સહારો લેવા વિચારી રહ્યા છે. અભાવિપ કે એન એસ યુ આઈ જેવા છાત્ર મંડળો હવે ડી.ફાર્મ ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનમાં ફેલાયેલ અંધારાને ઉલેચવામાં મદદ કરે તેવી છાત્રોમાં અપેક્ષા સેવાઈ રહી છે.
બીડાણ : છાત્રોની રજૂઆત , જીટીયુના જવાબની કોપી,
અહેવાલ : કશ્યપ જોશી જેતલસર(જેતપુર)