અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આજે સવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ વખતે પતંગોત્સવમાં ૧૫૦ જેટલા વિદેશી અને ૨૨૮ દેશી પતંગબાજો ભાગ લીધો હતો. ગુજરાત સરકાર આ વખતે ૨૭ મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવા જઈ રહી છે. જો કે અગાઉની માફક આ વખતે ગુજરાત સરકાર દિલ્હી અને મુંબઈ ખાતે પતંગોત્સવનું આયોજન નહીં કરે. સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લો મુકાનાર પતંગોત્સવ આગામી તા.૧૩ સુધી ચાલશે. આ મહોત્સવમાં કુલ ૨૯ દેશોના ૧૫૦ વિદેશી પતંગબાજો તથા ગુજરાત સહિત ૧૦ રાજ્યોના ૨૨૮ પતંગબાજો સામેલ થયા છે . આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની અવનવી પતંગોને ચગાવીને અમદાવાદના આકાશને આજે રંગીન બનાવી દીધું હતું. આ પતંગબાજોને જોવા આજે ભારે મેદની જોવા મળી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ શાળાઓના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાતમાં પતંગોત્સવની શરૂઆત પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમના વિના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગમહોત્સવની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અનેક આકર્ષણો રાખવામાં આવ્યા છે જેમાં આદિત્ય સ્તુતિ, સૂર્યનમસ્કાર, થિમ પવેલિયનનો સમાવેશ થાય છે. સાબરમતી નદીના કિનારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પર્વે ૨૦૦૦ બાળકોનો સૂર્યનમસ્કારનો અભિનવ કાર્યક્રમ રહ્યો હતો. સવારે બે હજાર બાળકો દ્વારા સુર્ય નમસ્કાર કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું હતુ. આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની થીમ પણ આપણી સંસ્કળતિની ઝલક સાંસ્કૃતીક કાર્યક્રમ દ્વારા રજુ કરાઇ હતી આ મહોત્સવનું આયોજન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા અને પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલની ઉપસ્થિતિમાં આ પતંગોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વિદેશી પતંગબાજો જૂથમાં તા.૧૩ મીએ રાજકોટ, ભાવનગર, સુરત ખાતે પતંગોત્સવ ઉજવશે. જ્યારે તા.૧૪મીએ આ પતંગબાજો અમદાવાદની પોળોમાં જઈને ઉજવણી કરશે.
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 11 જાન્યુઆરી, 2015
પતંગ મહોત્સવનો પ્રારંભ
અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આજે સવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ વખતે પતંગોત્સવમાં ૧૫૦ જેટલા વિદેશી અને ૨૨૮ દેશી પતંગબાજો ભાગ લીધો હતો. ગુજરાત સરકાર આ વખતે ૨૭ મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવા જઈ રહી છે. જો કે અગાઉની માફક આ વખતે ગુજરાત સરકાર દિલ્હી અને મુંબઈ ખાતે પતંગોત્સવનું આયોજન નહીં કરે. સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લો મુકાનાર પતંગોત્સવ આગામી તા.૧૩ સુધી ચાલશે. આ મહોત્સવમાં કુલ ૨૯ દેશોના ૧૫૦ વિદેશી પતંગબાજો તથા ગુજરાત સહિત ૧૦ રાજ્યોના ૨૨૮ પતંગબાજો સામેલ થયા છે . આંતરરાષ્ટ્રીય પતંગબાજો તેમની અવનવી પતંગોને ચગાવીને અમદાવાદના આકાશને આજે રંગીન બનાવી દીધું હતું. આ પતંગબાજોને જોવા આજે ભારે મેદની જોવા મળી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદની વિવિધ શાળાઓના 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગુજરાતમાં પતંગોત્સવની શરૂઆત પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પહેલીવાર છે જ્યારે તેમના વિના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગમહોત્સવની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અનેક આકર્ષણો રાખવામાં આવ્યા છે જેમાં આદિત્ય સ્તુતિ, સૂર્યનમસ્કાર, થિમ પવેલિયનનો સમાવેશ થાય છે. સાબરમતી નદીના કિનારે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પર્વે ૨૦૦૦ બાળકોનો સૂર્યનમસ્કારનો અભિનવ કાર્યક્રમ રહ્યો હતો. સવારે બે હજાર બાળકો દ્વારા સુર્ય નમસ્કાર કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું હતુ. આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગની થીમ પણ આપણી સંસ્કળતિની ઝલક સાંસ્કૃતીક કાર્યક્રમ દ્વારા રજુ કરાઇ હતી આ મહોત્સવનું આયોજન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી, પ્રવાસન મંત્રી સૌરભ પટેલ, રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી જયેશ રાદડિયા અને પ્રવાસન નિગમના ચેરમેન કમલેશ પટેલની ઉપસ્થિતિમાં આ પતંગોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વિદેશી પતંગબાજો જૂથમાં તા.૧૩ મીએ રાજકોટ, ભાવનગર, સુરત ખાતે પતંગોત્સવ ઉજવશે. જ્યારે તા.૧૪મીએ આ પતંગબાજો અમદાવાદની પોળોમાં જઈને ઉજવણી કરશે.
એસટીનું ઉચ્ચ તંત્ર જેતપુરના સ્ટોલધારકની વહારે નહિ આવે તો વેપારીને ગુજરાન ચલાવવું કઠીન બનશે !!
જેતલસર તા.11 (કશ્યપ જોશી )
જેતલસર (કશ્યપ જોશી ) 99742 62812
શુક્રવાર, 9 જાન્યુઆરી, 2015
Fwd: જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા
જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય
નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા
જેતપુર તા.9
જેતપુરની માર્કેટ યાર્ડમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના માર્ગદર્શન અને યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની રાહબરી તળે આજે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના વલ્લભ શેખલિયા, હરદેવસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ડોબરિયા, વસંત પટેલ, તથા પ્રવીણ ગજેરા વિગેરે ની જહેમત વચ્ચે ખેડૂતો, શ્રમિકો, અને વેપારીઓ મળી 1000 લોકોએ બીજેપીની વિચારસરણીને આવકારી પાર્ટી સાથે જોડાયા હોવાનું જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ
જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા
જેતપુરની યાર્ડમાં યોજાયેલ ભાજપ સભ્ય
નોંધણી ઝૂંબેશમાં 1000 લોકો જોડાયા
જેતપુર તા.9
જેતપુરની માર્કેટ યાર્ડમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયાના માર્ગદર્શન અને યાર્ડ ચેરમેન દિનેશ ભુવાની રાહબરી તળે આજે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના વલ્લભ શેખલિયા, હરદેવસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રકાશ ડોબરિયા, વસંત પટેલ, તથા પ્રવીણ ગજેરા વિગેરે ની જહેમત વચ્ચે ખેડૂતો, શ્રમિકો, અને વેપારીઓ મળી 1000 લોકોએ બીજેપીની વિચારસરણીને આવકારી પાર્ટી સાથે જોડાયા હોવાનું જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ
જેતપુરની ગર્લ્સ હાઈસ્કુલના આચાર્યની ભરતીમાં ગેરરીતી થયાની શિક્ષણ સચિવને રજુઆતો
જેતપુરની ગર્લ્સ હાઈસ્કુલના આચાર્યની ભરતીમાં
ગેરરીતી થયાની શિક્ષણ સચિવને રજુઆતો
આચાર્યે ખુદ રાજકોટ ખાતે ડીઈઓ સમક્ષ પૈસા આપ્યા હોવાની ઓડિયો સીડીમાં ધડાકો
જેતપુર તા.9
જેતપુરના સ્ટેન્ડ ચોકમાં આવેલ ગર્લ્સ સ્કુલના આચાર્યની ભરતીમાં ગેરરીતી આચરાઈ હોય અને આ વાત ખુદ આચાર્યએ સ્વીકારી હોવાની ઓડિયો સીડી સાથે શિક્ષણ સચિવને જેતપુરના આરટીઆઈ એક્ટિવિસ્ટ યોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ગોહિલે રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર સ્થાનિક સ્વરાજ સંસ્થા મંડળ સંચાલિત કુંભાણી મ્યુનીસીપલ ગર્લ્સ હાઈસ્કુલમાં સને 2008માં આચાર્યની ભરતીની અખબારી જાહેરાત બાદ તા.4.10.13 નારોજ ઈન્ટરવ્યું લેવાયા હતા. જેમાં સંબંધીતોથી માંડીને સ્ટાફ સિલેકશન કમિટીના કાર્યવાહકોએ ગેરરીતી આચાર્યની નિમણુંક કરી દેવાતા આ વાત પ્રજા વચ્ચે આવી ગઈ હતી.
દરમિયાન અરજદારે નિમણુંક પામેલા આચાર્યના જરૂરી સર્ટીઓ વી.બાબતે માહિતી માંગતા સંબંધિતોએ સાચી માહિતી આપવામાં અરજદારના આક્ષેપ મુજબ ખુબ ઢીલ અને ખોટી માહિતી આપવા પ્રયાસો થતા હાલ આ માહિતી ગાંધીનગર માહિતી આયોગના સ્ટેજ ઉપર હોવાનું જાણવા મળે છે.
રજુઆતમાં એવું જણાવાયું છે કે આચાર્ય પોતાની મનમાની અપનાવી શિક્ષકોને ખોટા ફાજલ કરી, બીજી શાળાઓમાંથી શિક્ષકોની ભરતી કરી, મોટાપાયે ગેરરીતી આચરતા હોય તપાસ કરવી જરૂરી છે.
નિમણુંક માટે પૈસા આપ્યા હોવાની ઓડિયો સીડીમાં વાત....
જેતપુર: અરજદાર યોગેન્દ્રસિંહ ગોહિલ, આચાર્ય બિંદુબેન જયારે રાજકોટ ખાતે ડીઈઓ ને રૂબરૂ મળ્યા ત્યારે મારા બાપના ઘરેણા વેંચીને હું આચાર્ય પડે પદે પહોચી છું તમારું જાય ? તેવું તાડુકીને બોલેલા આચાર્યની ઓડિયો સીડી પણ શિક્ષણ સચિવને મોકલાઈ હોય હવે આ બનાવની તપાસ થશે કે કેમ તેની અરજદાર સહિતના શહેરીજનો કાગાડોળે વાત જોઈ રહ્યા છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812























