અનુયાયીઓ

મંગળવાર, 3 એપ્રિલ, 2012

મોરબી ખાતે તા. ૪ના રોજ મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં સૌરાષ્‍ટ્ર ઝોનની સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ-સભ્‍યશ્રીઓનો પુરસ્‍કાર તથા અભિવાદન સમારોહ યોજાશે કૂલ પપ૮ સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોને રૂ. ૧૪.૭૦ કરોડની રકમ પ્રોત્‍સાહક અનુદાન તરીકે અપાશે


મોરબી ખાતે તા. ૪ના રોજ મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં સૌરાષ્‍ટ્ર ઝોનની સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ-સભ્‍યશ્રીઓનો પુરસ્‍કાર તથા અભિવાદન સમારોહ યોજાશે
કૂલ પપ૮ સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોને રૂ. ૧૪.૭૦ કરોડની રકમ પ્રોત્‍સાહક અનુદાન તરીકે અપાશે

રાજકોટ 
રાજકોટ જિલ્‍લાના મોરબી ખાતે એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ (શનાળા રોડ)માં તા. ૪ એપ્રિલના રોજ સવારે ૧૦ કલાકે રાજયના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઉપક્રમે સૌરાષ્‍ટ્ર ઝોનની રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, જામનગર, પોરબંદર અને કચ્‍છ જિલ્‍લાની જાહેર થયેલ સમરસ ગ્રામ પંચાયતના સરપંશ્રીઓ/સભ્‍યશ્રીઓનો પુરસ્‍કાર પ્રદાન તથા અભિવાદન સમારોહ માન. મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાશે. આ સમારોહમાં રાજયના મંત્રીશ્રીઓ પણ ઉપસ્‍થિત રહેશે.
આ મોરબીના કાર્યક્રમમાં કૂલ પપ૮ સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોને રૂ. ૧૪.૭૦ કરોડની રકમ પ્રોત્‍સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોના કૂલ ૬૪૦૦ જેટલા સભ્‍યશ્રીઓ ઉપસ્‍થિત રહેશે.
અત્રે એ ઉલ્‍લેખનીય છે કે રાજય સરકાર દ્વારા માન. મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરણાથી ઓકટોબર-૨૦૦૧ થી અમલમાં આવેલ સમરસ ગ્રામ યોજના એ ગામડામાં વેરઝેર અને વૈમનસ્‍યના બદલે સદભાવના ઉજાગર કરતી યોજના છે. રાજયમાં અત્‍યાર સુધીમાં ર૯૦ મહિલા સમરસ ગ્રામ પંચાયતો સહિત કૂલ ૧૦,૧૬૭ સમરસ ગ્રામ પંચાયતો થઇ છે.
સૌરાષ્‍ટ્ર ઝોનની પપ૮ પૈકી પહેલી વખત સામાન્‍ય સમરસ થતી ગ્રામ પંચાયતોની સંખ્‍યા ર૦ર છે. બીજી વખત સામાન્‍ય સમરસ થતી ગ્રામ પંચાયતની સંખ્‍યા ૯૬ અને ત્રીજી વખત સમરસ થતી ગ્રામ પંચાયતની સંખ્‍યા રપ૯ છે. ૧૫૩ની સંખ્‍યા સાથે રાજકોટ જિલ્‍લો સૌરાષ્‍ટ્ર ઝોનમાં સામાન્‍ય સમરસ ગ્રામ પંચાયતોમાં પહેલા ક્રમે આવે છે અને તેને રૂ. ૪,૧૫,૧૨,પ૦૦નું પ્રોત્‍સાહક અનુદાન આપવામાં આવશે. તે પછી બીજા ક્રમે કચ્‍છ અને ત્રીજા ક્રમે ભાવનગર જિલ્‍લો આવે છે. જેમને અનુક્રમે રૂ. ર,પ૭,૩૧,૨૫૦ અને રૂ. ૨,૫૬,૩૭,૫૦૦નું પ્રોત્‍સાહક અનુદાન આપવામાં આવશે.
જિલ્‍લાના પ્રભારી સચિવશ્રી રાજગોપાલ, જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્‍યાયના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

જિલ્‍લા પંચાયતની ૨૬-સરસીયા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન જાહેર કે ખાનગી સ્‍થળો ઉપર પોસ્‍ટરો, બેનર,હોર્ડિગ્‍સ, કટઆઉટ લગાડવા પર પ્રતિબંધ
ત્રણથી વધુ વાહનોને લઈ જવા ઉપર મનાઈ
પરમીટ મેળવ્યા સિવાયના વાહનો ચૂંટણી પ્રચારના કામે વાપરવા ઉપર પ્રતિબંધ
અમરેલી
અમરેલી જિલ્‍લા પંચાયતની ૨૬-સરસિયાની બેઠકની પેટા ચૂંટણી-૨૦૧૨ માટે આદર્શ આચાર સંહિતા અમલ બનતાં લોકોની માલ-મિલ્‍કતને થતું નુકશાન અટકાવવા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, અમરેલીએ હુકમ કરી રાજકીય પક્ષ કે ચૂંટણીના ઉમેદવારોએ ચૂંટણી લક્ષી પત્રો, પોસ્‍ટરો, સુત્રો, બેનરો, પડદા, લખાણો વગેરે જાહેર કે ખાનગી મિલ્‍કતો ઉપર સંબંધિત સંસ્‍થા, કચેરી કે માલિકની સંમતિ / ધોરણસરની પરવાનગી સિવાય ચોંટાડવા કે લગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ ઉપરાંત જાહેર ધોરીમાર્ગ પરના સાઈન બોર્ડ, માઈલ સ્‍ટોન, રેલ્‍વે ફાટક, રેલ્‍વે પ્‍લેટફોર્મ, બસ ટર્મીનલ્‍સના બોર્ડ કે જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ નોટીસ બોર્ડ ઉપર કોઈ ધ્‍વજદંડ, સૂત્રો  કે બેનરો લગાડી શકશે નહિં.
આદર્શ આચાર સંહિતાના અમલ માટે અમરેલી જિલ્‍લામાં ચૂંટણી પ્રચાર અર્થે કોઈ કટઆઉટ, દરવાજા કે કમાનો ઉભા કરવા નહિં. ખાનગી સ્‍થળોએ માલિકની પરવાનગી હોય તો પણ હોર્ડીંગ્‍સ પ્રદર્શિત કરવા નહિં. ઉમેદવારીપત્ર ભરવા, ચકાસવા કે ચૂંટણી પ્રતિકની ફાળવણી વખતે ચૂંટણી અધિકારીની કચેરીમાં મોટા સરઘસ આકારે જવું નહિં. જ્યાં એક પક્ષે સભા યોજી હોય તેવા સ્‍થળોએ બીજા પક્ષોએ સરઘસ લઇ જવું નહિ તેમજ પોતાના પક્ષના ચોપાનીયાં વેચીને ખલેલ પહોંચાડવી નહિ. એક પક્ષે બહાર પાડેલા ભીંતપત્રો બીજા પક્ષના કાર્યકરોએ દૂર કરવા નહિં. કોઇપણ રાજકીય પક્ષે, ઉમેદવારોએ કે તેમના ટેકેદારોએ અન્‍ય પક્ષોએ યોજેલ સભા અને સરઘસમાં અવરોધો ઉભા કરવાની મનાઈ ફરમાવેલ છે.
અમરેલી જિલ્લાના સમ્રગ વિસ્તારમાં ત્રણ કરતાં વધુ સુરક્ષા વાહનો ધરાવતો કાફલો કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીશ્રીએ લઈ જવા નહિં તેમજ રાજકિય પક્ષ કે ઉમેદવારો કે ચૂંટણી એજન્‍ટોએ જાહેર રસ્તા ઉપર ચૂંટણીલક્ષી પ્રચાર માટે ત્રણથી વધુ વાહનોને લઈ જવા ઉપર મનાઇ ફરમાવી છે. આ હુકમનો ભંગ  કરનાર કે તેની મદદગારી કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર ઠરશે.
જિલ્‍લા પંચાયતની સરસીયા બેઠકના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાના વાહનોની નોંધણી ચૂંટણી અધિકાર પાસે કરાવવાની રહેશે. સંબંધિત ચૂંટણી અધિકારી તરફથી રજીસ્‍ટર થયેલ વાહનો માટે પરમીટ આપવામાં આવશે. વાહન ઉપર સહેલાઈથી દેખાય તે રીતે ઓરીજનલ પરમીટ વિન્‍ડસ્ક્રીન ઉપર લગાડવાની રહેશે. પરમીટની ફોટો કોપી લગાડેલ કે પરમીટ મેળવ્યા સિવાયના વાહનો ચૂંટણી પ્રચારના કામે વાપરવા ઉપર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, અમરેલીએ પ્રતિબંધ ફરમાવેલ છે.
વડીયાના સનાળા, જંગર તથા તરઘરી ગામે પંડિત દીન દયાળ ભંડાર ખોલવા અરજીઓ મંગાવવામાં આવી
અમરેલી
વડીયા તાલુકાના સનાળા, જંગર તથા તરઘરી ગામે પંડિત દીન દયાળ ભંડાર ખોલવા માટે અરજી મંગાવવામાં આવે છે. સનાળા ગામ માટે અનુ. જાતિ, તરઘરી અને જંગર ગામ માટે સામાન્ય ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે. જે-તે ગામના ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા સ્‍થાનિક શિક્ષિત બેરોજગારે આ અરજી તા.૧૫/૦૪/૨૦૧૨ સુધીમાં કરવાની રહેશે. આ માટે નિયત નમૂનાના અરજી ફોર્મ રૂ.૫નું ચલણ ભરીને મામલતદાર કચેરીવડીયા ખાતેથી મેળવી શકાશે, તેમ વડીયા-મામલતદારશ્રીની યાદીમાં જણાવાયુ છે.

કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્‍યક્ષસ્‍થાનેતા.૨૦મી એપ્રિલના રોજ ૧૬.૦૦ કલાકે
એટીવીટી અંતર્ગત રાજુલા તાલુકાના પ્રશ્નોના નિકાલ અર્થે લોકમેળો યોજાશે
આપણો તાલુકો વાયબ્રન્‍ટ તાલુકો (એટીવીટી) અંતર્ગત તા.૨૦મી એપ્રિલના રોજ ૧૬.૦૦ કલાકે, રાજુલા તાલુકાના પ્રશ્નોના નિકાલ અર્થે કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્‍યક્ષસ્‍થાને લોકમેળા દ્વારા પ્રશ્નોના નિકાલનો કાર્યક્રમ યોજાનાર છે. આથી રાજુલા તાલુકાના પ્રજાજનોએ પોતાના પ્રશ્નો-ફરિયાદ લેખિતમાં, તા.૭મી એપ્રિલ સુધીમાં મામલતદાર કચેરી-રાજુલા ખાતે રજૂ કરવાના રહેશે. પ્રશ્નો બે નકલમાં રજૂ કરવા તથા અરજી પર લોક ફરિયાદ કાર્યક્રમ એમ સ્‍પષ્‍ટ દર્શાવવા મામલતદાર-રાજુલાની યાદીમાં જણાવાયું છે.

તા.પમી એપ્રિલના રોજ યોજાનાર
અમરેલી ખાતે વિવિધ કેન્‍દ્ર પર લેવાનાર GUJCET ની પરીક્ષા પરીક્ષા કેન્‍દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર થી વધુ વ્‍યક્તિઓએ ભેગા થવું નહિ
પરીક્ષાખંડમાં મોબાઇલ કે ગેરરીતિ કરવામાં ઉપયોગી થતા ઉપકરણો લાવી શકાશે નહિ
અમરેલી જિલ્‍લાના અમરેલી ખાતે, કમાણી ફોરવર્ડ હાઇસ્‍કુલ યુનિટ-૧ અને યુનિટ-૨, અજમેરા ગર્લ્‍સ હાઇસ્‍કુલ, દીપક હાઇસ્‍કુલ, જીજીબેન ગર્લ્‍સ હાઇસ્‍કુલ, કે.કે. પારેખ મહેતા વિદ્યાલય યુનિટ-૧ અને યુનિટ-૨, વિદ્યાસભા વિકાસ વિભાગ-લાઠી રોડ કેન્‍દ્ર ખાતે તા.પમી એપ્રિલના રોજ GUJCET પરીક્ષા યોજાનાર છે.
પરીક્ષા દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાય રહે તે માટે અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ શ્રી પી.બી. ઠાકરે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે હુકમ બહાર પાડેલ છે. તા. પમી એપ્રિલના રોજ સવારે ૯ થી બપોરે ૧૬.૩૦ કલાક સુધી આ હાઇસ્‍કુલના ૮ પરીક્ષા કેન્‍દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર થી વધુ વ્‍યક્તિઓએ ભેગા થવું નહિ. પરીક્ષાર્થીઓ પરીક્ષાખંડમાં મોબાઇલ કે ગેરરીતિ કરવામાં ઉપયોગી થતા ઉપકરણો લઇ જઇ શકશે નહિ. અમરેલી શહેરના તમામ વિસ્‍તારના ખાનગી ઝેરોક્ષ સેન્‍ટરો તથા ઝેરોક્ષ મશીન, પ્રાઇવેટ ફેક્સ મશીન બંધ રાખવા ફરમાન કરેલ છે. હુકમનું ઉલ્‍લંઘન કરનાર અથવા ઉલ્‍લંઘન માટે મદદરૂપ થનાર શખ્‍સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

ચૂંટણી પ્રચારમાં હોર્ડીંગ, કટઆઉટ, બેનર્સ અને મેદાનનો ઉપયોગ બાબત
અમરેલી જિલ્‍લા પંચાયતની ૨૬-સરસિયા બેઠકની ચૂંટણી સમયે રાજકીય પક્ષ કે ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત, પાટીયા, બેનર્સ લગાવી પૈસાની તાકાતનું આડંબરયુકત પ્રદર્શન અટકાવવા રાજ્ય ચૂંટણીપંચે નક્કી કરેલ આચારસંહિતાના અમલ માટે અમરેલી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રીએ પેટા ચૂંટણીમાં સમાવિષ્‍ટ વિસ્‍તારમાં તા. ૨૦/૦૩/૨૦૧૨ થી ૧૦/૦૪/૨૦૧૨ સુધી(બંને દિવસો સહિત) ચૂંટણીલક્ષી ધ્‍વજ અને બેનર્સ મૂકવા બાબતે નીચેના નિયમોનું પાલન કરવા જાહેરનામુ બહાર પાડેલ છે.
જાહેરનામામાં કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો,અન્‍ય સંગઠનો, વ્‍યકિતઓ દ્વારા ધ્‍વજ, બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ કે અન્‍ય પ્રચારના સાધનો બોર્ડ વગેરે કોઇ પણ જાહેર જગ્‍યાએ તેમજ રસ્‍તા ઉપર મૂકી શકાશે નહિ. આવા કટઆઉટ, બેનર્સ લગાડવા માટે જાહેરસ્‍થળો, ખાનગી માલિકીની મિલ્‍કતો માટે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મેળવવાની રહેશે.
જેમાં હોર્ડીંગની સાઇઝ ૧૫ ફુટ X ૮ ફુટથી વધારે હોવી જોઇએ નહિ. કટઆઉટની ઉંચાઇ ૮ ફુટથી વધવી જોઇએ નહિ. કટઆઉટ, જાહેરાત પાટિયા, બેનર્સ વગેરે કોઇપણ સ્‍થળે મુકતા પહેલા તે અંગેની જાણ જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીને અને જિલ્‍લા પોલિસ અધિક્ષકને કરવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે વિસ્‍તારમાં હોર્ડીંગ્‍સ, કટઆઉટ મૂકેલ હોય તે વિસ્‍તારના ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં દર્શાવવાનો રહેશે. એટલે કે ખાનગી માલિકીની મિલ્‍કતો, સરકારી, મ્‍યુનિસિપાલિટી કે સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાઓ હસ્‍તકની જાહેર જગ્‍યાએ (આવી જગ્‍યા કે મિલ્‍કત ભાડેથી કે કોન્‍ટ્રાકટથી આપી હશે તો પણ) સક્ષમ અધિકારીની મંજૂરી મેળવ્‍યા વિના મૂકી શકાશે નહિ.
વધુમાં કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્‍ય સંગઠનો, વ્‍યકિતઓ દ્વારા કોઇપણ ખાનગી મિલકત ઉપર હંગામી, ઝડપથી અને ત્વરિત દૂર થઇ શકે તેવી ઝંડીઓ અને બેનર્સ સિવાયનું કોઇપણ પ્રચાર સાહિત્‍ય, સાધનો કે સામગ્રી મિલ્‍કતના માલિકની પરવાનગી મેળવી હશે તો પણ મૂકી કે લગાડી પ્રદર્શિત કરી શકાશે નહિ.
ચૂંટણી પ્રચાર માટે મેદાનોની અછત હોવાથી નીચની શરતોને આધીન શાળા/કોલેજોના મકાનો રાજકીય મીટીંગ માટે ઉપયોગ કરી શકશે. (૧) શાળા અને કોલેજોના શૈક્ષણિક સમયપત્રકને કોઇપણ સંજોગોમાં અસર થવી જોઇએ નહિ. (૨) શાળા/કોલેજોના વ્‍યવસ્‍થાપકોને તેની સામે કોઇ વાંધો હોવો જોઇએ નહિ. અને શાળા/કોલેજોના વ્‍યવસ્‍થાપક મંડળની અને સબ ડીવીઝનલ ઓફિસરની અગાઉથી મંજૂરી લીધી હોવી જોઇએ. (૩) આવી મંજૂરી વહેલા તે પહેલાના ધોરણે આપેલી હોવી જોઇએ. કોઇપણ રાજકીય પક્ષને આ મેદાનોનો એકહથ્‍થું ઉપયોગ કરવાની પરવાનગી આપવી નહિ. (૪) શાળા/ કોલેજોના મેદાનોનો રાજકીય મીટીંગ માટે ઉપયોગ માટેની ફાળવણીમાં કોઇ ભંગને ચૂંટણી પંચ ગંભીરતાથી જોશે અને આ બાબતની જવાબદાર સબ ડિવીઝનલ ઓફિસરની રહેશે. (૫) રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ઉપર્યુકત ધોરણોનો ભંગ ન થાય તે માટે કાળજી અને કેદારી રાખવાની રહેશે. (૬) મેદાનોનો પ્રચાર માટે ઉપયોગ કરવાનો હોય તો તેને નુકશાન વગર સંબંધિત સંસ્‍થાને પરત સોંપવું. અન્‍યથા જો કોઇ નુકશાન થયું હોય તો તેના વળતર સાથે પરત સોંપવું. મેદાનને થયેલ નુકશાન માટે સંબંધિત રાજકીય પક્ષ/ પક્ષો વળતર ચૂકવવા માટે જવાબદાર રહેશે.
ઉપર દર્શાવ્‍યા સિવાયના સ્‍થળોએ સભા, મીટીંગ કે રેલી રાખી હોય, તે સ્‍થળની અંદર જે સમય દરમ્‍યાન સભા કે મીંટીંગ કે રેલી યોજવામાં આવી હોય, તેટલા સમય દરમ્‍યાન જ બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ, પોસ્‍ટર્સ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે. સભા પુરી થયા પછી તુરંત જ પ્રદર્શિત કરેલ બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ, પોર્સ્‍ટસ દૂર કરવાના રહેશે. સ્‍થાનિક વહીવટી તંત્રે લાદેલા નિયંત્રણો તેમજ સ્‍થાનિક કાયદાઓ હેઠળના નિયંત્રણો અને કોર્ટનો કોઇ હુકમ હોય તો તેને આધિન ચૂંટણી પ્રચાર માટેના સરઘસમાં પોસ્ટર્સ અને બેનર્સ પ્રદર્શિત કરવાની પરવાનગી આપી શકાશે. તે સિવાય કોઇ ઉમેદવારોએ રાજકીય પક્ષોએ કે તેમના ટેકેદારો, અન્ય સંગઠનો, વ્‍યકિતઓ દ્વારા કોઇ કટઆઉટ દરવાજા કે કમાનો ઉભા કરવા નહિ.
કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્‍ય સંગઠનો કે વ્‍યકિતઓ દ્વારા ઉકત નિયમોનો ભંગ કરી ચૂંટણીલક્ષી ધ્‍વજ, બેનર્સ, હોર્ડીંગ્‍સ, બોર્ડ, પોસ્‍ટર, કટઆઉટ કે અન્‍ય કોઇપણ પ્રકારનું પ્રચાર સાહિત્‍ય વગેરે પ્રદર્શિત કરશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ -૧૮૮ તથા ૧૭૧(ઝ) હેઠળ સજાનપાત્ર થશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડકોન્‍સ્‍ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને પણ અધિકૃત કરવામાં આવેલ છે.  
અમરેલી જિલ્‍લા પંચાયતની ૨૬-સરસિયાની બેઠકની પેટા ચૂંટણી અન્‍વયે વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને વાહનોનો દુરૂપયોગ અટકાવવા 
અમરેલી
અમરેલી જિલ્‍લા પંચાયતની ૨૬-સરસિયાની બેઠકની પેટા ચૂંટણી-૨૦૧૨ માટે તા.૮મી એપ્રિલના રોજ મતદાન થનાર છે. મતદાનના દિવસે વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને મતદારો માટે વાહનોનો દુરૂપયોગ કરી મતદારોને અયોગ્‍ય રીતે રીઝવી ન શકાય તે હેતુથી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રીએ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામબહાર પાડેલ છે.
પ્રતિસ્‍પર્ધી ઉમેદવારો તથા જનસામાન્‍ય તરફથી સાચી-ખોટી ફરિયાદો ઉપસ્‍થિત થવા અને એકબીજા જુથો વચ્‍ચે મનદુઃખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહશાંતિનો ભંગ થવા સંભવ રહે છે.જે અટકાવવા તેમજ ઉક્ત ચૂંટણી દરમ્‍યાન વાહનોના દુરૂપયોગ પર નિયંત્રણ કરવા સારૂ સાવચેતીના પગલા લેવા અનિવાર્ય છે.
કોઇપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો તેમના ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન્ટ દ્વારા અથવા તેઓની સહમતિથી બીજા કોઇ વ્‍યક્તિ દ્વારા મતદાનના દિવસે મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી લઇ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
ચૂંટણી લડતા દરેક ઉમેદવાર મતદાનના દિવસે પોતાના ઉપયોગ માટે સમગ્ર મતદાર વિભાગ પૂરતું એક વાહન, યથાપ્રસંગ ચૂંટણી એજન્‍ટ/કાર્યકરો અથવા તેના પક્ષના કાર્યકરોના ઉપયોગ માટે વિધાનસભા મતદાર દીઠ એક વાહન વાપરવા હક્કદાર રહેશે. ઉપયોગમાં લેવાનાર વાહન વિધાનસભા ઉમેદવારે તેના ચૂંટણી અધિકારીશ્રી પાસે નોંધણી કરાવવાનું રહેશે. નોંધણી કરાવેલ વાહનની પરમિટ તેમના પાસેથી મેળવી, અસલ પરમિટ વાહનની ઉપર સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વિન્‍ડસ્‍ક્રીન પર ચોંટાડવાની રહેશે. ઉમેદવાર કે તેના એજન્ટ અથવા પક્ષના કાર્યકરો માત્ર ચાર/ત્રણ કે બે પૈડાવાળા વાહનોનો જ ઉપયોગ કરી શકાશે. આ વાહનોમાં ડ્રાઇવર સહિત કુલ પાંચથી વધુ વ્‍યક્તિ બેસી શકશે નહિ. હુકમનું ઉલ્‍લંઘન કરનાર/ ઉલ્‍લંઘન માટે મદદ કરનાર શખ્‍સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાનપાત્ર થશે.

આર્ય સમાજ-ગાંધીધામનો ૫૯ મા જન્‍મ દિવસે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની ઉપસ્‍થિતિમાં ઉજવાયોઃ
“શાળા પ્રવેશોત્‍સવ દ્વારા બાળકો શાળાએ આવતા થયા છે”
- રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર
ભુજ,
ગાંધીધામ સ્‍થિત આર્ય સમાજ સંચાલિત જીવન પ્રભાત પરિવારના ભૂકંપ પીડીત બાળકોની મુલાકાત લઇ બાળકોને મળતી સુવિધા નિહાળી સંતોષ વ્‍યકત કરી રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જીવન પ્રભાત સંસ્‍થાની કામગીરીને બિરદાવી હતી.
રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ૨૦૦૧ના ભૂકંપ સમયે રાજય સરકાર અને સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના આર્થિક યોગદાનને સામાજિક દાયિત્‍વ સમજી જે મદદ મળી છે તેની સ્‍મૃતિ તાજી કરી હતી.
રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રાજય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી શૈક્ષણિક સવલતોની વિસ્‍તૃત માહિતી આપતા જણાવ્‍યું હતું કે, રાજયના છેવાડાના વિસ્‍તાર સુધી શિક્ષણ સુવિધા પહોંચે તેવી વ્‍યવસ્‍થા સાથે શાળા પ્રવેશોત્‍સવ જેવા કાર્યક્રમોથી બાળકો નિયમિત શાળાએ આવતા થયા છે અને ગુણોત્‍સવ દ્વારા શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થવાથી ઉત્તમ પરિણામો મળતા થયા હોવાનું રાજયમંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું.
રાજયમંત્રીશ્રી આહિર જન્‍મ દિવસે કુટુંબ અને મિત્રો સાથે આ સંસ્‍થા પારિવારીક સભ્‍ય તરીકે આ સંસ્‍થામાં આવી ભૂકંપપિડીત બાળકો સાથે ભોજન લઇ શૈક્ષણિક સાધનો-રમકડા અને મિઠાઇની ભેટ સહર્ષ અર્પણ કરતા હોવાનું જીવન પ્રભાત સંસ્‍થા દ્વારા જણાવાયું હતું.
ગાંધીધામ આર્ય સમાજ સંસ્‍થાની ગૌશાળાને રૂ.૧૧ લાખનું દાન આપનાર દિલ્‍હીના એમ.ડી.એચ.ગ્રુપના ધર્મપાલજીને દાતા તરીકે રાજયમંત્રીશ્રીએ બિરદાવ્‍યા હતા.
આ પ્રસંગે રાજયમંત્રીશ્રીએ ધર્મપાલજીને સંસ્‍થાવતી સન્‍માન પત્ર અર્પણ કર્યુ હતું.
જીવન પ્રભાત પરિવારની બાળાશ્રી રમીલાના જન્‍મ દિવસે ઉચ્‍ચ શિક્ષણ મેળવી રાષ્‍ટ્રનું નામ ઉજાગર કરવા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે શુભેચ્‍છા પાઠવી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા શ્રી ધર્મપાલજીએ પોતાનુંકાર્ય સામાજિક ઉત્તર દાયિત્‍વ હોવાનું જણાવી ઇશ્‍વર આ કાર્ય માટે વધુ શકિત અને પ્રેરણા આપે તેવી અપીલ કરી હતી.
સંસ્‍થાના પ્રમુખશ્રી પુરૂષોતમ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી સંસ્‍થા પરિચય આપ્‍યો હતો. પ્રિન્‍સિપાલશ્રી આર્યનિધિએ સંસ્‍થામાં યોગદાન આપનારનો આભાર માન્‍યો હતો.
આ પ્રસંગે ગાંધીધામ વિકાસ મંડળશ્રી મધુકાન્‍ત શાહ, ઉધોગપતિશ્રી નિલય ગુજરાલ, ગાંધીધામ ચેમ્‍બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ ચેરમેનશ્રી હિરાલાલ શાહ, મધ્‍યપ્રદેશના શ્રી નરોતમ બાગડી, વિનય આર્ય, ભાજપાના શ્રી મામૈયાભાઇ ગઢવી, ભરત રામવાણી વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.
કચ્‍છમાં ૩૦/૪ સુધી હથિયારબંધી જાહેર કરાઇ
ભુજ,
અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી સી.પી.નેમાએ સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં ચાલુ માસમાં યોજાનાધાર્મિક તહેવારો તથા મેળાઓને અનુલક્ષીને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે સુલેશ-શાંતિ જળવાઇ રહે તે માટે સાવચેતીના પગલાંરૂપે આગામી તા.૧લી થી ૩૦મી એપ્રિલ-૨૦૧૨ સુધી બંને દિવસો સહિત સમગ્ર જિલ્‍લામાં હથિયારબંધી સહિતના પ્રતિબંધો જાહેર કર્યા છે.
જે અંતર્ગત કોઇ વ્‍યકિતઓએ શસ્‍ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, ધરી, બંદુક, લાકડી, લાઠી, હજામનો અસ્‍ત્રો, ત્રિશુલ, શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું કોઇ સાધન સાથે લઇ જવું નહીં. કોઇ ક્ષયકારી અથવા સ્‍ફોટક પદાર્થ લઇ જવું નહીં તેમજ અપમાન કરવાના કે જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્‍સ સુત્રો પોકારવા નહીં. તેવી ચેષ્‍ટા કરવી નહીં કે તેવા ચિત્રો, પ્‍લેકાર્ડો, પત્રિકાઓ કે બીજા પદાર્થ, વસ્‍તુ તૈયાર કરવી નહીં કે અપમાન કરવાના ઇરાદાથી કોઇ નામ બાળવી નહીં.
આ જાહેરનામા અન્‍વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્‍યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ કરનાર અથવા ઉલ્‍લંઘન કરનારને સજા થશે.
પર્વતારોહણ કેન્‍દ્ર ગિરનાર, જૂનાગઢ ખાતે ઉનાળા વેકેશન દરમિયાન યોજાનાર વિવિધ તાલીમ શિબિરો
ભુજ
યુવક સેવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર રાજય યુવક બોર્ડ અંતર્ગત સરકારના અગત્‍યના કાર્યક્રમના ભાગરૂપે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય પર્વતારોહણ કેન્‍દ્ર,ગીરનાર, જૂનાગઢ મુકામે વિવિધ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં  ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે સાત દિવસના સમયગાળાના એડવેન્‍ચર કોર્ષ તેમજ ૧૪ થી ૪૫ વર્ષની વયમર્યાદાવાળા યુવક-યુવતીઓ માટે દસ દિવસના બેઝીક કોર્ષનું આયોજન કરાયું છે.
આ શિબિરમાં ભાગ લેવા માટે અરજી ફોર્મ તથા માહિતી માટે ઇન્‍સ્‍ટ્રકટર ઇન્‍ચાર્જશ્રી, પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય કેન્‍દ્ર, ગીરનાર, રાધાકૃષ્‍ણ સોસાયટી, ગિરનાર દરવાજા, જૂનાગઢ-૩૬૨૦૦૧ ખાતેથી પત્ર દ્વારા કે રૂબરૂ મેળવી શકાશે. જે માટે પોતાના પુરા નામ તથા સરનામા સાથે સંપૂર્ણ વિગતો દર્શાવતો પત્ર તથા ટિકિટ ચોડેલ પોતાના સરનામાવાળું કવર મોકલી આપ્‍યેથી ફોર્મ તથા માહિતી મોકલી આપવામાં આવશે.  શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
આ શિબિરોમાં તાલીમ અને નિવાસ(તંબુમાં) સરકાર દ્વારા વિનામુલ્‍યે પૂરી પાડવામાં આવશે. જયારે શિબિર સ્‍થાને આવવા-જવાનું પ્રવાસખર્ચ તથા ભોજન ખર્ચ તાલીમાર્થીઓએ ભોગવવાનો રહેશે.
એપ્રિલ-મે-જૂન-૨૦૧૨ દરમિયાન તથા આગામી ચોમાસા પછી સપ્‍ટેમ્‍બર-૨૦૧૨ થી ફેબ્રુઆર-૨૦૧૩ દરમિયાન પણ આ શિબિર યોજવામાં આવશે. અરજી સાથે શારિરીક  યોગ્‍યતા અંગેનું તબીબી પ્રમાણપત્ર તથા ગુજરાતના વતની હોવા અંગેના આધાર તથા વાલીની સંમતિ તથા જન્‍મતારીખનો દાખલો સામેલ રાખી અરજી રજૂ કરવાની રહેશે.
બાળકો અને યુવાનોમાં શારિરીક, માનસિક વિકાસ તથા સંઘભાવના, લીડરશીપ કેળવવાના સરકારના આ અભિગમનો વેકેશનના દિવસોમાં લાભ લેવા જણાવાયું છે. વધુ માહિતી માટે ફોન નંબરઃ ૦૨૮૫-૨૬૨૭૨૨૮ ઉપર સંસ્‍થાનો સંપર્ક સાધવો.
ગ્રામ પંચાયત ચૂંટણીઃ
રાજકીય પક્ષ, ઉમેદવારો માટે ચૂંટણી પંચની આચારસંહિતાઃ
ભુજ,
આગામી ગ્રામ પંચાયતની એપ્રિલ-૨૦૧૨માં યોજાનાચૂંટણી સંદર્ભે ચુંટણી સમય દરમ્‍યાન રાજકીય પક્ષ/ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત પાટીયા/બેનર વગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબરયુકત પ્રદર્શન ન થાય તે હેતુથી રાજય ચુંટણી પંચે નકકી કરેલ આચારસંહિતા મુજબ તથા અપાયેલ વિવિધ સુચનાઓ અનુસાર નિયમ કરવું જરૂરી જણાતાં કચ્‍છ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ એમ.થેન્‍નારસને મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (ડી.એ.), (ડી.બી.) થી મળેલ સત્તાની રૂએ સમગ્ર કચ્‍છ જિલ્‍લામાં આગામી એપ્રિલમાં યોજાનાર ગ્રામ પંચાયત ચુંટણી-૨૦૧૨ સંદર્ભે ચુંટણીલક્ષી જાહેરાત, પાટીયા, બેનર, કટઆઉટ મૂકવા બાબતે નિયમો તાત્‍કાલિક અમલમાં લાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.
જે અંતર્ગત કોઇપણ રાજકીય પક્ષ/ઉમેદવાર/સંસ્‍થા અથવા વ્‍યકિત દ્વારા કટઆઉટ, હોર્ડિગ્‍ઝ, તોરો, ધ્‍વજ, પતાકા વિગેરે કોઇપણ જાહેર જગ્‍યાએ તેમજ જાહેર રસ્‍તા ઉપર મૂકી શકાશે નહીં એટલે કે સરકાર, નગરપાલિકા કે સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ વગેરે હસ્‍તકની જાહેર જગ્‍યાએ (આવી જગ્‍યા કે મિલ્‍કત ભાડેથી કે કોન્‍ટ્રાકટથી આપી હશે તો પણ) મૂકી શકાશે નહીં. ખાનગી સ્‍થળો, સ્‍થાનિક કાયદાઓ જયાં તેના માલિકની પરવાનગીથી ખાનગી જગ્‍યામાં દિવાલો પર લખાણ કરવાની અને પોસ્‍ટરો ચોંટાડવાની, પાટીયા, ઝંડા વગેરે લગાડવાની મંજુરી આપતા હોય ત્‍યાં ચુંટણી લડતા ઉમેદવારોએ અથવા સબંધિત રાજકીય પક્ષોએ મિલ્‍કતના માલિક પાસેથી લેખિત પરવાનગી તેમજ સંબિધિત ચુંટણી અધિકારી અથવા મદદનીશ ચુંટણી અધિકારીની પૂર્વ મંજુરી મેળવવાની રહેશે. મેળવેલ લેખિત પૂર્વ પરવાનગી તથા પૂર્વ મંજુરીની નકલ તથા મિલ્‍કત ધારકના નામ, સરનામા અને થનાર ખર્ચ અંગેની વિગતો લેખિતમાં મદદનીશ ચુંટણી અધિકારીને ચુંટણી પંચે નકકી કરેલ નમુનામાં પુરી પાડવાની રહેશે. અન્‍યથા આ પ્રકારની કોઇ પ્રવૃતિ કરી શકાશે નહીં. હોર્ડિગ્‍ઝની સાઇઝ ૧૫ ફૂટ × ૮ ફૂટથી વધારે હોવી જોઇએ નહીં. કટઆઉટની ઉંચાઇ જે તે વિસ્‍તારમાં હોર્ડિગ્‍ઝ/કટઆઉટ વગેરે મુકેલ હોય તદનુસાર ઉમેદવારના ચુંટણી ખર્ચમાં યોગ્‍ય સ્‍થળે દર્શાવવાનું રહેશે.
આ જાહેરનામાનો અમલ તા.૨૧/૪/૨૦૧૨ સુધી કરવાનો રહેશે. કોઇ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા આવા કોઇ વ્‍યકિત દ્વારા ઉકત નિયમોનું ભંગ કરી ચુંટણીલક્ષી કટઆઉટ, જાહેરાત પાટીયા અથવા બેનર્સ પ્રદર્શિત કરશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ તથા ૧૭૧ (ઝ) મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે, તેમ જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ દ્વારા જણાવાયું છે.


સોમવાર, 2 એપ્રિલ, 2012

નિવૃત મત્સ્યોધોગ કમિશનર શ્રી પી.બી.પટણી (IAS) ને પુસ્તક તુલા કરી સન્માનિત કરાયા શ્રી પી.બી.પટણી ગુજરાતનાં દેવીપૂજક સમાજનાં સૌ પ્રથમ છે જેનું ગૌરવ છે. -કાયદો, ન્યાયતંત્ર અને અને વૈધાનિક બાબતોમાં રાજયકક્ષાનાં મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા


નિવૃત મત્સ્યોધોગ કમિશનર શ્રી પી.બી.પટણી (IAS)  ને  પુસ્તક તુલા કરી સન્માનિત કરાયા
શ્રી પી.બી.પટણી ગુજરાતનાં દેવીપૂજક સમાજનાં સૌ પ્રથમ છે જેનું ગૌરવ છે.                   -કાયદો, ન્યાયતંત્ર અને અને વૈધાનિક બાબતોમાં રાજયકક્ષાનાં મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
મત્સ્યોધોગ કમિશનર તરીકે સેવાનિવૃત થયેલાં શ્રી પી.વી.પટણી (IAS) ને સન્માનિત કરવાનો કાર્યક્રમ આજરોજ ગુજરાત દેવીપૂજક સમાજ તથા ગુજરાત મત્સ્યોધોગ ફેડરેશનનાં ઉપક્ર્મે ઇન્દુલાલ યાજ્ઞિક હોલ, બાપુનગર ખાતે યોજાયો હતો. જેમાં તા.૩/૦૩/૨૦૧૨ ના રોજ સરકારી સેવામાંથી ઉજ્જ્વલ કારકિર્દી સાથે નિવૃત થનાર મત્સ્યોધોગ કમિશનર શ્રી પી.બી.પટણીને પુસ્તક તુલાથી સન્માનિત કરાયાં હતાં. ગઇકાલે તેમનું સમાજે સાકર તુલાથી સન્માન ક્ર્યું હતું.
શ્રી પી.બી..પટણીએ ૪૨ વર્ષના જાહેર જીવનમાં વિવિધ સમાજની સૈક્ષણિક અને સામાજિક સેવાકીય કાર્યોમાં સતત પ્રવૃત થઇ પ્રશંસનીય કામગીરી બજાવી છે. શ્રી પટણી એ ૨૪ ડિસેમ્બર, ૧૯૭૧ માં વેચાણવેરા ખાતામાં કારકુન તરીકે સરકારી સેવામાં જોડાયાં ત્યારબાદ વિવિધ સરકારી વિભાગોમાં ઉતરોઉતર પરીક્ષા પાસ કરી આગળ વધતાં છેલ્લે સમાજ કલ્યાણ ખાતામાં ડાયરેકટર, ૨૦૦૭માં અધિક સચિવ, અન્ન અને નાગરિક પૂરવઠામાં નિમણૂંક પામ્યાં ૨૦૧૦ માં મત્સ્યોધોગ કમિશનર તરીકે નિમાયાં અને ૩૧/૦૩/૨૦૧૨ માં મત્સ્યોધોગ કમિશનર તરીકે નિવૃત થયાં.
આમ શ્રી પી.બી..પટણીએ કલાર્ક થી કમિશનર સુધીની યશસ્વી કામગીરી સરકારમાં રહીને બજાવી છે
કાયદો, ન્યાયતંગ  અને વૈધાનિક બાબતોના રાજ્યકક્ષાના મંત્રીશ્રીએ સેવાનિવૃતશ્રી પી.બી.પટણીને અભિનંદન પાઠવી તેઓએ દેવીપુજક સમાજના ગુજરાતનાં સૌપ્રથમ અને એકમાત્ર સનદી અધિકારી છે. તેનુ ગૌરવ છે તેમ જણાવ્યું હતુ .
આ પ્રસંગે કુષિ અને સરકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુ હતુ.કે શિક્ષણના અભાવવાળા સમાજમાંથી સનદી અધિકારી તરીકે પહોચીને શ્રી પી.બી.પટણીએ દેવીપુજક સમાજને ઉત્તમ રાહ ચિધ્યો છે. મંત્રીશ્રીએ સેવા નિવૃત શ્રી પી,બી.પટણી સાહેબ નિવૃતિ બાદ સમાજ ઉત્કર્ષ માટે અનેક વિધ પ્રવૃતિઓ કરે તેવી શુભકામના વ્યકત કરી હતી.
સન્માન સમારોહ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંતશ્રી દિલીપદાસજી મહારાજ, ધારાસભ્યશ્રી વલ્લભભાઇ કાકડિયા,  મત્સ્યોધોગ સચિવશ્રી ડી.એચ, બ્રહ્મભટ્ટ, ગુજરાત મત્સ્યોધોગ ફેડરેશનનાં સભ્યો તથા દેવીપુજક સમાજનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર જિલ્‍લામાં શારીરિક ઇજાઓ પહોંચાડી શકાય તેવા પ્રાણઘાતક હથિયાર લઇ ફરવા ઉપર પ્રતિબંધ
ભાવનગર જિલ્‍લામાં આગામી તા.--૨૦૧૨ થી તા.--૨૦૧૨ સુધી હરીદમનોત્‍સવ, મહાવીર જયંતિ, શિવાજી જયંતિ સહિત વિવિધ તહેવારોની ઉજવણી દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા તથા સુલેહ શાંતિ જળવાય તે હેતુસર ભાવનગરના જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી ડી.જી.ઝાલાવાડીયાએ એક જાહેરનામુ પ્રસિધ્‍ધ કરેલ છે. તદઅનુસાર- તા.--૨૦૧૨ થી તા.--૨૦૧૨ સુધી બંને દિવસો સહિત લોખંડના પાઇપ, ભાલા, અથવા છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્‍તી, કુંડેલીવાળી લાકડીઓ સહિત કોઇપણ પ્રાણઘાતક હથિયારો કે શારીરિક ઇજાઓ પહોંચાડી શકે તેવા હથિયારો સાથે લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા અને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫()મુજબ દંડની પણ સજા થશે.

ચૂંટણી પ્રચાર માટે કોઇપણ ધાર્મિક સ્‍થળોના ઉપયોગ કરવા પર પ્રતિબંધ
ભાવનગર જિલ્‍લામાં ૧૯૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી તા.૧૫--૨૦૧૨ના રોજ યોજાનાર છે. તેમજ મત ગણતરી તા.૧૭--૨૦૧૨ના રોજ થનાર છે. ભાવનગર જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી જે.એચ.ત્રિવેદીએ  એક જાહેરનામુ જારી કરેલ છે. તદઅનુસાર- કોઇપણ મંદિર, મસ્‍જીદ, ચર્ચ, ગુરુદ્વારા, કોઇપણ ધાર્મિક/પ્રાર્થના સ્‍થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ હુકમ ૧૯૨ ગામોમાં કે જયાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ત્‍યાં તથા તેમા સમાવેશ થતા વિસ્‍તારને લાગુ પડશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામુ  તા.૨૧--૨૦૧૨ સુધી અમલમાં રહેશે.


ભાવનગર શહેરમાં ગુજકેટની પરીક્ષા ૧૫ પરીક્ષા કેન્‍દ્રોમાં યોજાશે
પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી-શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે લેવાયેલ વિવિધ પગલાં
આગામી તા.--૨૦૧૨ના રોજ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ભાવનગર શહેરમાં ૧૫ પરીક્ષા કેન્‍દ્રોમાં ગુજકેટની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્‍દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે. તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે આશયથી ભાવનગર જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી જે.એચ.ત્રિવેદીએ તેમને મળેલા અધિકારની રૂઇએ આગામી તા.--૨૦૧૨ના રોજ સવારના ૧૦ થી બપોરના   -૦૦ કલાક દરમિયાન નિયત પરીક્ષા કેન્‍દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા ઝેરોક્ષ/ફેકસના વ્‍યવસાય સાથે સંકળાયેલ વેપારીઓએ ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પરીક્ષા કેન્‍દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં મોટા અવાજે લાઉડ સ્‍પીકર કે બેન્‍ડ વાજા વગેરે ધ્‍વનિવર્ધક સાધનોના ઉપયોગ પર પરીક્ષા કેન્‍દ્રોમાં મોબાઇલ લઇ જવા પર પરીક્ષા કેન્‍દ્રોની ૨૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર ત્‍થા પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્‍ટાફ કે અધિકૃત વ્‍યકિત સિવાય કોઇ અનઅધિકૃત વ્‍યકિતએ પરીક્ષા કેન્‍દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૧૨
ખાનગી માલ-મિલકત ઉપર પ્રચાર સાહિત્‍ય લગાડવા જગ્‍યાના માલિકની પૂર્વ 

મંજૂરી મેળવવાની રહેશે
ભાવનગર જિલ્‍લાની ૧૯૨ ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી જે.એચ.ત્રિવેદીએ તેમને મળેલી સત્તાની રૂઇએ જાહેરનામુ જારી કરેલ છે. તદઅનુસાર કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, સંગઠનો વ્‍યકિતઓ દ્વારા ધ્‍વજ, બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ કે અન્‍ય પ્રચારના સાધનો મ્‍યુનિસીપાલિટી કે સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓ સહિત જાહેર રસ્‍તા કે જગ્‍યા પર મુકી શકાશે નહીં. ખાનગી માલ-મિલકત ઉપર પ્રચાર સાહિત્‍ય લગાડવા જગ્‍યાના માલિકની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. હોર્ડીંગની સાઇઝ ૧૫x૮ ફુટથી વધારે ન હોવી જોઇએ. કટઆઉટની ઉંચાઇ ૮ ફુટથી વધારે ન હોવી જોઇએ. તથા આ અંગેની જાણ ચૂંટણી અધિકારીશ્રી જિલ્‍લા કલેકટરશ્રી, તેમજ જિલ્‍લા પોલીસ અધિકારીશ્રીને કરવાની રહેશે.
શાળા કોલેજોના શૈક્ષણિક સમય પત્રકને અસર ન થાય તે રીતે તેના મેદાનનો ઉપયોગ સવારના ૮ થી રાત્રીના ૧૦ વાગ્‍યા સુધી જ કરવાનો રહેશે. કોઇપણ રાજકીય પક્ષ શાળા-કોલેજોના મેદાનનો એકહથ્થુ ઉપયોગ કરી શકશે નહીં. શાળા કોલેજોના મેદાનોને રાજકીય ઉપયોગ માટે ફાળવણીને ચૂંટણી પંચ ગંભીરતાથી જોશે. કોઇપણ રાજકીય પક્ષ મેદાનોના પ્રચાર માટે ઉપયોગ કરે તો જો કોઇ નુકશાન થયુ હોય તો તેના વળતર સાથે શૈક્ષણિક સંસ્‍થાને પરત સોંપવાનું રહેશે. આ હુકમ જે ૧૯૨ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, તેમા સમાવેશ થતા વિસ્‍તારને લાગુ પડશે. આ જાહેરનામુ તા.૨૧--૨૦૧૨ સુધી અમલ રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

વડા પ્રધાનશ્રીના પબ્‍લીક ઇન્‍ફર્મેશન ઇન્‍ફાસ્‍ટ્રકચર એન્‍ડ ઇનોવેશન વિભાગના સલાહકાર શ્રી સામ પિત્રોડાનો ભાવનગર જિલ્‍લાનો પ્રવાસ કાર્યક્રમ 
વડા પ્રધાનશ્રીના પબ્‍લીક ઇન્‍ફર્મેશન ઇન્‍ફાસ્‍ટ્રકચર એન્‍ડ ઇનોવેશન વિભાગના સલાહકાર શ્રી સામ પિત્રોડા તા.--૨૦૧૨ના રોજ સવારે  -૦૦ કલાકે હનુમંત હાઇસ્‍કુલ ગ્રાઉન્‍ડ મહુવા ખાતે આવશે. તેઓશ્રી બપોરે ૧-૦૦ કલાકે હનુમંત હાઇસ્‍કુલ ગ્રાઉન્‍ડ મહુવા ખાતેથી હેલીકોપ્‍ટર દ્વારા રવાના થશે.
                                
સરકારી ઇજનેરી કોલેજ, ગાંઘીનગર ખાતે આયોજિત ટેક સ્‍કાય-૧૨ના કાર્યક્રમને શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાના હસ્‍તે ખુલ્‍લો મુકાયો
આ પ્રસંગે રાજયના શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, સ્‍વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિને રાજય સરકાર યુવા વર્ષ તરીકે ઉજવી રહી છે. આજનો યુવાન આવતીકાલે રાજય કે દેશની સુકાનઘુરા સંભાળશે. આ યુવાઘન આઘુનિક ટેકનોલોજીથી સજ્જ હશે, તો જ દેશનું નામ વિશ્વ ફલક પર ઉજાગર થશે.આ માટે ગુજરાત રાજયમાં છેલ્લા દશકામાં એન્જીનિયરીંગ ક્ષેત્ર સાથે સાથે અન્ય ક્ષેત્રેના અભ્યાસ ક્રમો માટે ઉજળી તકો ઉભી કરવામાં આવી છે. એન્જીનિયરીંગ ક્ષેત્રે અભ્યાસ માટે ગુજરાતમાં વર્ષ- ૨૦૦૧માં કુલ બેઠકો-૯૪૨૫ હતી, આજે ૪૨,૯૨૯ બેઠકો છે. તેમજ ટેકનિકલ શિક્ષણ માટે છેલ્‍લા દશ વર્ષમાં ૧૩,૪૫૨ માંથી ૧,૨૫,૦૦૦ બેઠકો થઇ ગઇ છે.જેના પરિણામ સ્‍વરૂપે આજે ગુજરાતનું યુવાઘન રાજય બહાર અભ્યાસ કરવા જતો અટકી ગયો છે. તેમજ રાજયના યુવાઘનને ઘર આંગણે આવા અભ્યાસક્રમો ઉપલબ્ઘ બનતાં સામાન્ય ઘરોના વાલીના ખિસ્‍સા પરનું ભારણ ઘટ્યું છે. તેમજ રાજય સરકાર દ્રારા રાજયના તમામ જિલ્‍લાઓમાં એન્જિનિયરીંગ કોલેજો ઉભી કરવામાં આવી છે. હવે, તમામ કોલેજોમાં આઘુનિક સુવિઘાઓથી સજ્જ હોસ્‍ટેલના નિર્માણ કાર્યની દિશામાં સરકારે સુચારું આયોજન કર્યું છે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી ૧૪ જિલ્‍લાની એન્જિનિયરીંગ કોલેજોમાં વિઘાર્થીઓ માટેની આઘુનિક સુવિઘાઓથી સજ્જ હોસ્‍ટેલનો શુભારંભ થશે.
તેઓશ્રીએ વઘુમાં જણાવ્યું હતું કે, રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના યુવાઓ રોજગારી માટે ઓશિયાળા ન રહે તેવું ઇચ્છી રહયાં છે. આ માટે વિકાસશીલ ગુજરાતના સ્‍વપ્ન દષ્‍ટા મુખ્યમંત્રીશ્રીએ યુવાઘનનું સુવર્ણ ભવિષ્‍ય માટે રોજગારીની કેડીઓ કંડારી દીઘી છે. જે વાતનું દષ્‍ટાંત  ગુજરાતની ભૂમિ પર સ્‍થપાઇ ચુકેલા અને સ્‍થપાનાર  દેશ અને દુનિયાની મોખરાની કંપનીઓના પ્લાન્ટ છે. આવનારા ભવિષ્‍યમાં ઉભી થનારી રોજગારી ક્ષેત્રની તકોને પહોંચી વળવા માટે રાજય સરકારે રાજયમાં નવા નવા  અભ્યાસક્રમો શરૂ પણ કર્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત થકી રાજય સરકારે ૧૬ હજાર કરોડના શિક્ષણને લગતાં એમ..યુ કર્યા છે.
આ પ્રસંગે કોલેજના આચાર્ય શ્રી જે.બી.દવેએ ગૌરવ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં આપણી એક માત્ર એવી કોલેજ છે કે જયાં ઇએમઇ ઇન બાયો મેડિકલનો અભ્યાસ ક્રમ ચાલે છે. તે સિવાય અનેક એન્જિનિયરીંગ  અભ્યાસ ક્રમો ચાલી રહયાં છે. તેમજ સમગ્ર કોલેજ આઘુનિક સુવિઘાઓથી સજ્જ છે.
કોલેજના વિઘાર્થી પ્રતિનિઘિ શ્રી હિતેષ ચૌહાણએ જણાવ્યું હતું કે, આપણે સૌ ગુજરાતમાં ઉત્તમ શિક્ષણ મેળવીએ છીએ, ત્યારબાદ દેશ કે રાજયનું ઋણ અદા કરવાની જગ્યાએ વિદેશમાં જતા રહી છીએ. તે વાત દુ:ખની છે. આપણે દેશ કે રાજયમાં રહીને જ આપણું કાર્ય કરવું જોઇએ. જેના થકી વિશ્વ ફલક પર ગુજરાતનું નામ ઉજાગર કરનાર રાજયના મુખ્ય મંત્રીશ્રીને શકિત મળશે. આપણે એવી પરિસ્‍થિતિનું નિર્માણ કરવાનું છે કે આજે જેમ વિદેશ જવા થનગનતો યુવાઘન અંગ્રેજી ભાષા શીખવા કલાસમાં જાય છે. તેના બદલે વિદેશથી લોકો આપણી માતૃભાષા ગુજરાતીને  શીખવા આવવું પડે.
આ પ્રસંગે કોલેજના પ્રો. શ્રી જે.બી.વ્યાસ, પ્રો. શ્રી એચ.આર.દવે, પ્રો. શ્રી એમ.બી. ચૌઘરી સહિત કોલેજના અઘ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિઘાર્થીઓ ઉપસ્‍થિત રહયાં હતાં.

ગાંઘીનગર ઉડીયા સમાજ દ્રારા ઉત્કલ દિવસની ઉજવણી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી જયનારાયણ વ્યાસના અઘ્યક્ષ સ્‍થાને કરાઇ
ઓરિસ્‍સાના સ્‍થાપના દિન તા. ૧લી એપ્રિલને ઉત્કલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ગાંઘીનગર અને તેની આસપાસ રહેતા ઉડીયા પરિવારનું સંગઠન, ગાંઘીનગર ઉડીયા સમાજ દ્રારા તા. ૧લી એપ્રિલ-૨૦૧૨ના રોજ ઉત્કલ દિવસની ઉજવણી ઓરિસ્‍સા અને ગુજરાતની ઝલક આપતાં વૈવિઘ્યપુર્ણ સાંસ્‍કૃતિક કાર્યક્રમો થકી ફન વર્લ્ડ, ગાંઘીનગર ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસ ઉપસ્‍થિતિ રહયાં હતાં.
આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જયનારાયણભાઇ વ્યાસે જણાવ્યું હતું કે, ઓરિસ્‍સા એ દેશમાં ભાષાના આઘાર પર ઉદભવેલ પ્રથમ રાજય બન્યું હતું. ઓરિસ્‍સા રાજયની હીરક જયંતિ અને ગુજરાત રાજયની સુવર્ણ જયંતિ સાથે ઉજવવાનો મહત્વનો સંયોગ પણ બન્યો હતો. ઓરિસ્‍સા અને ગુજરાત બન્ને રાજય દેશના પૂર્વ તથા પશ્વિમના રાજયો છે, તેમ છતાં બન્ને રાજયની ઘાર્મિક સામ્યતા એકબીજા સાથે ગાઢ રીતે સંકાળાયેલ છે. ઓરિસ્‍સામાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, આવી જ રથયાત્રા એક સદીથી વઘુ સમય પહેલાથી અમદાવાદમાં નીકળે છે. તેમજ ઓરિસ્‍સામાં અશોક ચક્ર છે, તેવું જ ચક્ર ગુજરાતના રાજયના જૂનાગઢમાં છે. મોઢેરામાં આવેલા સૂર્ય મંદિર જેવું જ ઓરિસ્‍સામાં કોણાર્કનું સૂર્ય મંદિર છે. એકબીજા સાથે ગાઢ બનતી ઘાર્મિક સામ્યતા થકી ઓરિસ્‍સા અને ગુજરાતની પ્રજાની વિચારઘારા પણ એક સરખી છે. જેના પરિણામે આજે પારસીઓ દૂઘમાં સાકર ભળે તેમ ભળી ગયા છે. તેમ ઉડિયા સમાજના લોકો ગુજરાતમાં ભળી ગયા છે. આજે ઉડિયા સમાજની મોટી સંખ્યાના લોકો રાજયમાં સુરત, અમદાવાદ, મહેસાણા અને ગાંઘીનગરમાં વસી રહયાં છે. ગુજરાતને કર્મભૂમિ બનાવાનાર ઉડિયા સમાજના લોકો પણ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ઘપાવવા માટે હમેંશા ગુજરાતીઓની સાથે ખંભેખભા મિલાવી રહયાં છે.
આ પ્રસંગે નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસર વિભાગના અગ્ર સચિવ શ્રી એચ.કે.દાસે ઓરિસ્‍સા રાજયના ઇતિહાસ સહિત અન્ય રસપ્રદ વાતો કરી હતી. ગુજરાતની ઘરા પર જ જન્મ લેનાર ઉડિયા સમાજના યુવાનો અને બાળકોને પોતાના માદરે વતની મહેકનો અનેરો અનુભવ કરાવ્યો હતો.
આ પ્રસંગે માન. મુખ્ય મંત્રીશ્રીના અંગત સચિવ શ્રી જી.એસ.મુર્મુ, ઉડીયા સમાજના પ્રમુખ શ્રી એસ.કે મિશ્રા, સમાજના મહામંત્રી શ્રી ર્ડા. નરોત્તમ સાહુ, શ્રીમતી લીના દાસ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્‍થિત રહયાં હતાં.

સમાજના ઘડતરમાં શિક્ષણ અને શિક્ષકનું  અગત્‍યનું સ્‍થાન  છે.
શિક્ષણ રાજયમંત્રી શ્રી જયસિંહ ચૌહાણ
સાબરકાંઠા જિલ્‍લાના તલોદ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષકની નિવૃતિનો કાર્યક્રમ શિક્ષણમંત્રી શ્રી જયસિંહ ચૌહાણના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો.
સમારંભના અધ્‍યક્ષસ્‍થાનેથી શિક્ષકની ઉમદા પ્રવૃતિ વિશે વાત કરતા  શિક્ષણમંત્રી શ્રી જયસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે સમાજના ઘડતરમાં શિક્ષણ અને શિક્ષકનું અગત્‍યનું સ્‍થાન છે. ગરીબ કે અમીર પરીવારના સંતાનનો ભેદભાવ રાખ્‍યા વિના શિક્ષક પોતાની શિક્ષણની પ્રવૃતિથી સમાજમાં સમરસતા પ્રસરાવવાનું કામ કરે છે. શિક્ષક વયથી નિવૃત બન્‍યા પછી પણ પ્રવૃતિમય બની રહે છે. એમ તેમણે તલોદ પ્રાથમિક શાળામાં સેવા આપી વય નિવૃત થનાર નયનાબેન ગાંધીને શુભકામના પાઠવી હતી. 
મંત્રીશ્રીએ રાજયના શિક્ષણક્ષેત્રે થયેલા આમૂલ પરીવર્તનની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્‍યુ હતું કે રાજયમાં અગાઉ શિક્ષણ માટે જેટલા નાંણા ખર્ચવામાં આવતા હતા તેના કરતા ત્રણગણા નાંણા માત્ર શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે છે. જેનાથી આજના બાળકોને ગુણવતા સભર શિક્ષણ મળી રહયુ છે એમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું            
 આ પ્રસંગે તલોદ તાલુકા પંચાયતના પ્રમુખ બંસીધરભાઇ મહેતા અને નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેને પ્રસંગોચિત ઉદ્રબોધન કર્ય હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજય મંત્રીશ્રીના હસ્‍તે શાલ ઓઢાડી નયનાબેન ગાંધીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના સદસ્‍યશ્રીઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ, નગરજનો વિધાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

હિંમતનગર ખાતે ગુજકેટની પરીક્ષા અંગે આયોજન ૮,૭૧૮ પરીક્ષાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્‍જીનીયરીંગ ડિપ્‍લોમા, ફાર્મસી તથા તબીબી (મેડીકલ) પ્રવાહમાં પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્વારા પ્રતિ વર્ષ ગુજરાત કોમન એન્‍ટરન્‍સ ટેસ્‍ટ (ગુજકેટ) લેવામાં આવેછે. આ વર્ષે આગામી તા.૫/૪/૨૦૧૨ ના રોજ સાબરકાંઠા જિલ્‍લાના હિંમતનગર ખાતે ૧૮ જેટલા કેન્‍દ્રો પરથી ગુજકેટની પરીક્ષા યોજાશે.
હિંમતનગર ખાતે યોજાનાર ગુજકેટની પરીક્ષામાં ૮,૭૧૮વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જેમાં સવારે ૧૦ થી ૧૨ વાગે ફિઝીકસ અને કેમેસ્‍ટ્રી, બપોરે ૧૩ થી ૧૪ વાગે બાયોલોજી અને સાંજે ૧૫થી ૧૬ વાગે ગણિતના વિષયની પરીક્ષા લેવામાં આવશે.ફિઝીકસ અને કેમેસ્‍ટ્રીના પેપરમાં ૪,૪૭૫ પરીક્ષાર્થીઓ, બાયોલોજીમાં ૧૯૬૮તથા ગણિતના વિષયમાં ૨૨૭૫ પરીક્ષાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.
ગુજકેટની પરીક્ષાના સુચારૂ સંચાલન માટે પરીક્ષા કેન્‍દ્રોની ચારેબાજુ ૨૦૦ મીટરના વિસ્‍તારમાં ૧૪૪ ની કલમ લાગુ કરવામાં આવશે. પરીક્ષા કેન્‍દ્રોમાં બોર્ડની અધિકૃત રિસીપ્‍ટ ધરાવતા પરીક્ષાર્થીને જ પ્રવેશ મળશે. પરીક્ષા ખંડમાં કોઇપણ જાતનું પાઠય પુસ્‍તક, અન્‍ય સંદર્ભ સાહિત્‍ય, સ્‍લાઇડ રૂલ્‍સ, લોગ ટેબલ, કોઇપણ જાતનું લખાણ,ચિઠ્ઠીઓ, મોબાઇલ ફોન, પેજર, અન્‍ય વિજાણુ ઉપકરણો કે સાહિત્‍ય લઇ જઇ શકશે નહીં. તેમ જિલ્‍લા શિક્ષણ કચેરીની યાદીમાં જણાવાયું છે.