મોરબી
ખાતે તા. ૪ના રોજ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોનની સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ-સભ્યશ્રીઓનો
પુરસ્કાર તથા અભિવાદન
સમારોહ યોજાશે
કૂલ પપ૮ સામાન્ય સમરસ ગ્રામ
પંચાયતોને રૂ. ૧૪.૭૦ કરોડની રકમ
પ્રોત્સાહક અનુદાન
તરીકે અપાશે
રાજકોટ
રાજકોટ
જિલ્લાના મોરબી ખાતે એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ (શનાળા રોડ)માં તા. ૪ એપ્રિલના રોજ સવારે ૧૦
કલાકે રાજયના પંચાયત, ગ્રામ
ગૃહ નિર્માણ
અને ગ્રામ વિકાસ
વિભાગના ઉપક્રમે સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, જામનગર,
પોરબંદર અને કચ્છ જિલ્લાની જાહેર
થયેલ સમરસ ગ્રામ પંચાયતના સરપંશ્રીઓ/સભ્યશ્રીઓનો પુરસ્કાર પ્રદાન તથા અભિવાદન સમારોહ માન. મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક
ઉપસ્થિતિમાં યોજાશે. આ સમારોહમાં રાજયના મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ મોરબીના કાર્યક્રમમાં કૂલ પપ૮
સામાન્ય સમરસ ગ્રામ પંચાયતોને રૂ. ૧૪.૭૦ કરોડની રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે.
સામાન્ય સમરસ ગ્રામ પંચાયતોના કૂલ ૬૪૦૦ જેટલા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા માન. મુખ્યમંત્રીશ્રીની
પ્રેરણાથી ઓકટોબર-૨૦૦૧ થી અમલમાં
આવેલ સમરસ ગ્રામ યોજના
એ ગામડામાં વેરઝેર અને વૈમનસ્યના બદલે સદભાવના ઉજાગર કરતી યોજના છે. રાજયમાં અત્યાર
સુધીમાં ર૯૦ મહિલા સમરસ ગ્રામ પંચાયતો સહિત કૂલ ૧૦,૧૬૭ સમરસ ગ્રામ પંચાયતો થઇ છે.
સૌરાષ્ટ્ર ઝોનની પપ૮ પૈકી પહેલી
વખત સામાન્ય સમરસ થતી ગ્રામ પંચાયતોની સંખ્યા ર૦ર છે. બીજી વખત સામાન્ય સમરસ
થતી ગ્રામ પંચાયતની સંખ્યા ૯૬ અને ત્રીજી વખત સમરસ થતી ગ્રામ પંચાયતની સંખ્યા
રપ૯ છે. ૧૫૩ની સંખ્યા સાથે
રાજકોટ જિલ્લો સૌરાષ્ટ્ર ઝોનમાં સામાન્ય સમરસ ગ્રામ પંચાયતોમાં પહેલા ક્રમે આવે
છે અને તેને રૂ. ૪,૧૫,૧૨,પ૦૦નું પ્રોત્સાહક અનુદાન આપવામાં આવશે. તે પછી બીજા
ક્રમે કચ્છ અને ત્રીજા ક્રમે ભાવનગર જિલ્લો આવે છે. જેમને અનુક્રમે રૂ. ર,પ૭,૩૧,૨૫૦
અને રૂ. ૨,૫૬,૩૭,૫૦૦નું પ્રોત્સાહક અનુદાન આપવામાં આવશે.
જિલ્લાના પ્રભારી સચિવશ્રી રાજગોપાલ,
જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્યાયના
માર્ગદર્શન
હેઠળ આ કાર્યક્રમને સફળ
બનાવવા જિલ્લા વહીવટી
તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી
છે.
જિલ્લા પંચાયતની
૨૬-સરસીયા બેઠકની પેટા ચૂંટણી
દરમિયાન જાહેર કે ખાનગી સ્થળો ઉપર પોસ્ટરો,
બેનર,હોર્ડિગ્સ, કટઆઉટ લગાડવા પર પ્રતિબંધ
ત્રણથી વધુ વાહનોને લઈ જવા ઉપર મનાઈ
પરમીટ મેળવ્યા સિવાયના
વાહનો ચૂંટણી
પ્રચારના કામે વાપરવા ઉપર પ્રતિબંધ
અમરેલી
અમરેલી જિલ્લા પંચાયતની ૨૬-સરસિયાની
બેઠકની પેટા ચૂંટણી -૨૦૧૨
માટે આદર્શ આચાર સંહિતા અમલ ી
બનતાં લોકોની માલ-મિલ્કતને થતું નુકશાન અટકાવવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,
અમરેલીએ હુકમ
કરી રાજકીય પક્ષ કે ચૂંટણીના ઉમેદવારોએ
ચૂંટણી લક્ષી પત્રો, પોસ્ટરો, સુત્રો, બેનરો, પડદા, લખાણો વગેરે જાહેર કે ખાનગી મિલ્કતો ઉપર સંબંધિત સંસ્થા, કચેરી કે માલિકની સંમતિ / ધોરણસરની પરવાનગી સિવાય ચોંટાડવા કે
લગાવવા ઉપર પ્રતિબંધ
ફરમાવેલ છે.
આ ઉપરાંત જાહેર ધોરીમાર્ગ પરના સાઈન બોર્ડ , માઈલ સ્ટોન, રેલ્વે
ફાટક, રેલ્વે પ્લેટફોર્મ, બસ
ટર્મીનલ્સના બોર્ડ કે જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ નોટીસ બોર્ડ ઉપર
કોઈ ધ્વજદંડ, સૂત્રો કે બેનરો લગાડી શકશે
નહિં.
અમરેલી જિલ્લાના સમ્રગ વિસ્તારમાં ત્રણ કરતાં વધુ સુરક્ષા વાહનો ધરાવતો કાફલો કેન્દ્ર કે રાજ્ય સરકારના મંત્રીશ્રીએ લઈ
જવા નહિં તેમજ રાજકિય પક્ષ
કે ઉમેદવારો કે ચૂંટણી
એજન્ટોએ જાહેર
રસ્તા ઉપર ચૂંટણીલક્ષી પ્રચાર
માટે ત્રણથી વધુ વાહનોને લઈ જવા ઉપર મનાઇ ફરમાવી છે. આ હુકમનો ભંગ કરનાર કે તેની મદદગારી કરનાર શખ્સ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર ઠરશે.
જિલ્લા પંચાયતની સરસીયા બેઠકના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાના વાહન ોની નોંધણી ચૂંટણી અધિક ાર ી
પાસે કરાવવાની
રહેશે. સંબંધિત
ચૂંટણી અધિકારી તરફથી રજીસ્ટર થયેલ વાહનો માટે પરમીટ આપવામાં આવશે. વાહન ઉપર સહેલાઈથી દેખાય તે રીતે
ઓરીજનલ પરમીટ વિન્ડસ્ક્રીન ઉપર લગાડવાની રહેશે. પરમીટની ફોટો કોપી લગાડેલ કે પરમીટ
મેળવ્યા સિવાયના વાહનો ચૂંટણી પ્રચારના કામે વાપરવા ઉપર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ,
અમરેલીએ પ્રતિબંધ
ફરમાવેલ છે.
વડીયાના સનાળા, જંગર તથા
તરઘરી ગામે પંડિત
દીન દયાળ ભંડાર
ખોલવા અરજીઓ મંગાવવામાં આવી
અમરેલી
વડીયા તાલુકાના સનાળા, જંગર તથા તરઘરી ગામે
પંડિત દીન દયાળ
ભંડાર ખોલવા
માટે અરજી
મંગાવવામાં આવે છે. સનાળા ગામ માટે અનુ. જાતિ, તરઘરી અને જંગર ગામ માટે સામાન્ય ઉમેદવાર પાસેથી અરજી
મંગાવવામાં આવે છે. જે-તે ગામના ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા સ્થાનિક શિક્ષિત
બેરોજગારે આ અરજી તા.૧૫/૦૪/૨૦૧૨ સુધીમાં કરવાની રહેશે. આ માટે નિયત નમૂનાના અરજી ફોર્મ રૂ.૫નું ચલણ ભરીને મામલતદાર કચેરી–વડીયા ખાતેથી મેળવી શકાશે, તેમ વડીયા-મામલતદારશ્રીની યાદીમાં જણાવાયુ છે.
કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ
સંઘાણીના અધ્યક્ષસ્થાનેતા.૨૦મી એપ્રિલના રોજ ૧૬.૦૦ કલાકે
એટીવીટી અંતર્ગત રાજુલા તાલુકાના
પ્રશ્નોના નિકાલ
અર્થે લોકમેળો
યોજાશે
આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (એટીવીટી) અંતર્ગત તા.૨૦મી એપ્રિલના રોજ
૧૬.૦૦ કલાકે, રાજુલા તાલુકાના પ્રશ્નોના નિકાલ અર્થે કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષસ્થાને
લોકમેળા દ્વારા
પ્રશ્નોના નિકાલનો કાર્યક્રમ
યોજાનાર છે. આથી
રાજુલા તાલુકાના પ્રજાજનોએ પોતાના પ્રશ્નો-ફરિયાદ લેખિતમાં, તા.૭મી એપ્રિલ સુધીમાં મામલતદાર
કચેરી-રાજુલા ખાતે રજૂ કરવાના રહેશે. પ્રશ્નો બે નકલમાં રજૂ કરવા તથા અરજી પર લોક ફરિયાદ કાર્યક્રમ એમ
સ્પષ્ટ દર્શાવવા મામલતદાર-રાજુલાની યાદીમાં જણાવાયું છે.
તા.પમી એપ્રિલના રોજ
યોજાનાર
અમરેલી ખાતે વિવિધ કેન્દ્ર પર લેવાનાર GUJCET ની પરીક્ષા પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર થી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહિ
પરીક્ષાખંડમાં મોબાઇલ
કે ગેરરીતિ
કરવામાં ઉપયોગી થતા ઉપકરણો લાવી શકાશે નહિ
અમરેલી જિલ્લાના અમરેલી ખાતે, કમાણી ફોરવર્ડ હાઇસ્કુલ
યુનિટ-૧ અને યુનિટ-૨, અજમેરા ગર્લ્સ હાઇસ્કુલ, દીપક હાઇસ્કુલ, જીજીબેન ગર્લ્સ
હાઇસ્કુલ, કે.કે. પારેખ મહેતા વિદ્યાલય
યુનિટ-૧ અને યુનિટ-૨, વિદ્યાસભા વિકાસ
વિભાગ-લાઠી રોડ કેન્દ્ર ખાતે તા.પમી એપ્રિલના રોજ GUJCET પરીક્ષા
યોજાનાર છે.
અમરેલી જિલ્લા પંચાયતની ૨૬-સરસિયા
બેઠકની ચૂંટણી
સમયે રાજકીય પક્ષ કે ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત, પાટીયા,
બેનર્સ લગાવી પૈસાની તાકાતનું આડંબરયુકત પ્રદર્શન અટકાવવા રાજ્ય ચૂંટણીપંચે નક્કી કરેલ આચારસંહિતાના અમલ માટે અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ
પેટા ચૂંટણીમાં સમાવિષ્ટ વિસ્તારમાં તા. ૨૦/૦૩/૨૦૧૨ થી ૧૦/૦૪/૨૦૧૨ સુધી(બંને
દિવસો સહિત) ચૂંટણીલક્ષી ધ્વજ અને બેનર્સ મૂકવા બાબતે નીચેના નિયમોનું પાલન કરવા જાહેરનામુ બહાર પાડેલ છે.
જેમાં હોર્ડીંગની સાઇઝ ૧૫ ફુટ X ૮ ફુટથી વધારે હોવી જોઇએ નહિ. કટઆઉટની
ઉંચાઇ ૮ ફુટથી વધવી જોઇએ નહિ. કટઆઉટ, જાહેર ાત
પાટિયા, બેનર્સ વગેરે કોઇપણ સ્થળે મુકતા પહેલા
તે અંગેની જાણ
જિલ્લા ચૂંટણી
અધિકારી અને
કલેકટરશ્રીને અને જિલ્લા પોલિસ અધિક્ષકને કરવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે વિસ્તારમાં હોર્ડીંગ્સ,
કટઆઉટ મૂકેલ હોય
તે વિસ્તારના
ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં દર્શાવવાનો રહેશે. એટલે કે ખાનગી માલિકીની મિલ્કતો,
સરકારી, મ્યુનિસિપાલિટી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હસ્તકની જાહેર જગ્યાએ
(આવી જગ્યા કે મિલ્કત ભાડેથી કે કોન્ટ્રાકટથી આપી હશે તો પણ) સક્ષમ અધિકારીની મંજૂરી મેળવ્યા વિના મૂકી
શકાશે નહિ.
વધુમાં કોઇપણ રાજક ીય
પક્ષો, ઉમેદવારો, અન્ય સંગઠનો, વ્યકિતઓ દ્વારા કોઇપણ ખાનગી મિલકત ઉપર હંગામી, ઝડપથી અને ત્વરિત દૂર થઇ શકે તેવી ઝંડીઓ
અને બેનર્સ સિવાયનું કોઇપણ પ્રચાર
સાહિત્ય, સાધનો
કે સામગ્રી
મિલ્કતના માલિકની પરવાનગી
મેળવી હશે તો પણ મૂકી કે લગાડી પ્રદર્શિત કરી શકાશે નહિ.
ચૂંટણી પ્રચાર માટે મેદાનોની અછત હોવાથી નીચ ે ની
શરતોને આધીન શાળા /કોલેજોના
મકાનો રાજકીય મીટીંગ માટે ઉપયોગ
કરી શકશે. (૧) શાળા અને કોલેજોના શૈક્ષણિક
સમય પત્રક ને
કોઇપણ સંજોગોમાં અસર
થવી જોઇએ નહિ. (૨) શાળા/કોલેજોના વ્યવસ્થાપકોને તેની સામે કોઇ વાંધો હોવો જોઇએ નહિ. અને
શાળા/કોલેજોના વ્યવસ્થાપક મંડળની અને સબ ડીવીઝનલ ઓફિસરની અગાઉથી મંજૂરી લીધી હોવી જોઇએ.
(૩) આવી મંજૂરી વહેલા તે પહેલાના ધોરણે આપેલી હોવી જોઇએ. કોઇપણ રાજકીય પક્ષને આ
મેદાનોનો એકહથ્થું ઉપયોગ કરવાની પરવાનગી આપવી નહિ. (૪) શાળા/ કોલેજોના મેદાનોનો
રાજકીય મીટીંગ માટે ઉપયોગ માટેની ફાળવણીમાં કોઇ ભંગ ને ચૂંટણી પંચ ગંભીરતાથી જોશ ે અને આ બાબતની જવ ાબ દાર ી
સબ ડિવીઝનલ ઓફિસરની રહેશે. (૫) રાજકીય પક્ષો અને ઉમેદવારોએ ઉપર્યુકત ધોરણોનો ભંગ ન
થાય તે માટે કાળજી
અને તકેદ ારી રાખવાની
રહેશે. (૬) મેદાનોનો પ્રચાર માટે ઉપયોગ કરવાનો હોય તો તેને નુકશાન વગર સંબંધિત સંસ્થાને પરત
સોંપવું. અન્યથા જો કોઇ નુકશાન થયું હોય તો તેના વળતર સાથે પરત સોંપવું. મેદાનને થયેલ
નુકશાન માટે સંબંધિત રાજકીય પક્ષ/ પક્ષો વળતર ચૂકવવા માટે જવાબદાર રહેશે.
ઉપર દર્શાવ્યા સિવાયના સ્થળોએ સભા , મીટીંગ કે રેલી રાખી હોય, તે સ્થળની અંદર
જે સમય દરમ્યાન સભા કે મીંટીંગ કે રેલી યોજવામાં આવી હોય, તેટલા સમય દરમ્યાન જ
બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ, પોસ્ટર્સ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે. સભા પુરી થયા
પછી તુરંત જ પ્રદર્શિત કરેલ બેનર્સ, હોર્ડીંગ, કટઆઉટ, પોર્સ્ટસ દૂર કરવાના રહેશે.
સ્થાનિક વહીવટી
તંત્રે લાદેલા નિયંત્રણ ો
તેમજ સ્થાનિક કાયદાઓ હેઠળના નિયંત્રણો અને કોર્ટનો કોઇ હુકમ હોય તો તેને આધિન ચૂંટણી
પ્રચાર માટેના સરઘસમાં પોસ્ટર્સ અને બેનર્સ પ્રદર્શિત કરવાની પરવાનગી આપી શકાશે.
તે સિવાય કોઇ ઉમેદવારોએ રાજકીય પક્ષોએ કે તેમના ટેકેદારો, અન્ય સંગઠનો, વ્યકિતઓ
દ્વારા કોઇ કટઆઉટ દરવાજા કે કમાનો ઉભા કરવા નહિ.
કોઇપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, અન્ય
સંગઠનો કે વ્યકિતઓ દ્વારા ઉકત નિયમ ોનો
ભંગ કરી ચૂંટણીલક્ષી ધ્વજ, બેનર્સ, હોર્ડીંગ્સ, બોર્ડ, પોસ્ટર, કટઆઉટ કે અન્ય
કોઇપણ પ્રકારનું પ્રચાર સાહિત્ય વગેરે પ્રદર્શિત કરશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ -૧૮૮ તથા ૧૭૧(ઝ) હેઠળ સજાન ે પાત્ર થશે. આ હુકમનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે હેડકોન્સ્ટેબલથી
નીચેના ન હોય તેવા પોલીસ
અધિકારીશ્રીને પણ અધિકૃત
કરવામાં આવેલ છે.
અમરેલી જિલ્લા પંચાયતની
૨૬-સરસિયાની બેઠકની પેટા ચૂંટણી
અન્વયે વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને વાહનોનો
દુરૂપયોગ અટકાવવા
અમરેલી
અમરેલી જિલ્લા પંચાયતની ૨૬-સરસિયાની
બેઠકની પેટા ચૂંટણી-૨૦૧૨ માટે તા.૮મી એપ્રિલના રોજ મતદાન
થનાર છે. મતદાનના દિવસે વાહનોના ઉપયોગ
પર દેખરેખ
રાખવા અને મતદારો માટે વાહનોનો દુરૂપયોગ કરી મતદારોને અયોગ્ય રીતે રીઝવી ન શકાય
તે હેતુથી અધિક
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ફોજદારી
કાર્યરિતી અધિનિયમ -૧૯૭૩ની
કલમ-૧૪૪ અન્વયે જાહેરનામ ુ
બહાર પાડેલ છે.
પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી
સાચી-ખોટી ફરિયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જુથો વચ્ચે મનદુઃખ અને ઘર્ષણ ઉભુ થવાની સંભાવના તેમજ સુલેહશાંતિનો ભંગ થવા સંભવ રહે છે.જે અટકાવવા તેમજ ઉક્ત ચૂંટણી દરમ્યાન વાહનોના
દુરૂપયોગ પર નિયંત્રણ
કરવા સારૂ સાવચેતીના પગલા લેવા અનિવાર્ય
છે.
કોઇપણ રાજકીય
પક્ષો કે બિનરાજકીય પક્ષો તેમના ઉમેદવારો અગર અપક્ષ ઉમેદવારો કે તેઓના ચૂંટણી એજન ્ટ
દ્વારા અથવા
તેઓની સહમતિથી બીજા કોઇ વ્યક્તિ દ્વારા મતદાન ના દિવસે મતદાન મથક સુધી લાવવા અને મતદાન મથકથી
લઇ જવાની મફત સગવડ માટે વાહનો ભાડે રાખવા કે
મેળવવા અથવા એ રીતે વાહનોનો ઉપયોગ
કરવા પર પ્રતિબંધ
ફરમાવેલ છે.
આર્ય સમાજ-ગાંધીધામનો ૫૯
મા જન્મ દિવસે રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં ઉજવાયોઃ
“શાળા પ્રવેશોત્સવ દ્વારા બાળકો શાળાએ આવતા થયા
છે”
- રાજયમંત્રીશ્રી વાસણભાઇ
આહિર
ભુજ,
ગાંધીધામ સ્થિત આર્ય સમાજ સંચાલિત જીવન પ્રભાત પરિવારના ભૂકંપ પીડીત બાળકોની મુલાકાત લઇ બાળકોને મળતી સુવિધા નિહાળી સંતોષ વ્યકત
કરી રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જીવન પ્રભાત સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.
રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે ૨૦૦૧ના ભૂકંપ સમયે રાજય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાના
આર્થિક
યોગદાનને સામાજિક
દાયિત્વ સમજી જે મદદ
મળી છે તેની સ્મૃતિ તાજી કરી હતી.
રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રાજય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી શૈક્ષણિક સવલતોની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું
કે, રાજયના છેવાડાના વિસ્તાર સુધી શિક્ષણ
સુવિધા પહોંચે
તેવી વ્યવસ્થા સાથે
શાળા પ્રવેશોત્સવ
જેવા કાર્યક્રમોથી બાળકો નિયમિત
શાળાએ આવતા થયા છે અને ગુણોત્સવ દ્વારા શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો થવાથી ઉત્તમ પરિણામો મળતા થયા હોવાનું
રાજયમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
રાજયમંત્રીશ્રી આહિર જન્મ દિવસે કુટુંબ અને મિત્રો સાથે આ સંસ્થા પારિવારીક સભ્ય
તરીકે આ સંસ્થામાં આવી ભૂકંપપિડીત બાળકો સાથે ભોજન લઇ શૈક્ષણિક સાધનો-રમકડા અને
મિઠાઇની ભેટ
સહર્ષ અર્પણ
કરતા હોવાનું જીવન
પ્રભાત સંસ્થા દ્વારા
જણાવાયું હતું.
ગાંધીધામ આર્ય સમાજ સંસ્થાની ગૌશાળાને રૂ.૧૧ લાખનું દાન આપનાર દિલ્હીના
એમ.ડી.એચ.ગ્રુપના ધર્મપાલજીને દાતા
તરીકે રાજયમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.
આ પ્રસંગે રાજયમંત્રીશ્રીએ ધર્મપાલજીને સંસ્થાવતી સન્માન
પત્ર અર્પણ કર્યુ હતું.
આ પ્રસંગે ખાસ
ઉપસ્થિત રહેલા શ્રી ધર્મપાલજીએ પોતાનું
આ કાર્ય સામાજિક ઉત્તર દાયિત્વ હોવાનું જણાવી
ઇશ્વર આ કાર્ય માટે વધુ
શકિત અને પ્રેરણા
આપે તેવી અપીલ
કરી હતી.
સંસ્થાના પ્રમુખશ્રી પુરૂષોતમ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી સંસ્થા
પરિચય આપ્યો
હતો. પ્રિન્સિપાલશ્રી આર્યનિધિએ સંસ્થામાં યોગદાન આપનારનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે ગાંધીધામ વિકાસ મંડળશ્રી મધુકાન્ત શાહ,
ઉધોગપતિશ્રી નિલય ગુજરાલ, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ ચેરમેનશ્રી હિરાલાલ
શાહ, મધ્યપ્રદેશના શ્રી નરોતમ બાગડી, વિનય આર્ય, ભાજપાના શ્રી મામૈયાભાઇ ગઢવી, ભરત રામવાણી વિગેરે ઉપસ્થિત રહયા
હતા.
કચ્છમાં ૩૦/૪ સુધી
હથિયારબંધી જાહેર
કરાઇ
ભુજ,
જે અંતર્ગત
કોઇ વ્યકિતઓએ શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ધોકા, ધરી, બંદુક, લાકડી, લાઠી,
હજામનો અસ્ત્રો, ત્રિશુલ, શારીરિક
ઇજા પહોંચાડી શકાય તેવું કોઇ સાધન
સાથે લઇ જવું
નહીં. કોઇ ક્ષયકારી અથવા સ્ફોટક પદાર્થ
લઇ જવું નહીં તેમજ અપમાન
કરવાના કે જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં
બિભત્સ સુત્રો પોકારવા નહીં. તેવી ચેષ્ટા કરવી નહીં કે તેવા ચિત્રો, પ્લેકાર્ડો,
પત્રિકાઓ કે બીજા પદાર્થ, વસ્તુ તૈયાર
કરવી નહીં કે અપમાન કરવાના ઇરાદાથી કોઇ નનામ ી
બાળવી નહીં.
આ જાહેરનામા અન્વયે હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ
વ્યકિત જાહેરનામાનો કોઇપણ ખંડનો ભંગ
કરનાર અથવા ઉલ્લંઘન કરનારને સજા
થશે.
ભુજ
આ શિબિરમાં ભાગ લેવા માટે અરજી ફોર્મ
તથા માહિતી
માટે ઇન્સ્ટ્રકટર ઇન્ચાર્જશ્રી, પંડિત
દીનદયાળ ઉપાધ્યાય કેન્દ્ર, ગીરનાર, રાધાકૃષ્ણ સોસાયટી, ગિરનાર દરવાજા,
જૂનાગઢ-૩૬૨૦૦૧ ખાતેથી પત્ર
દ્વારા કે રૂબરૂ મેળવી શકાશે. જે માટે
પોતાના પુરા નામ
તથા સરનામા સાથે
સંપૂર્ણ વિગતો દર્શાવતો પત્ર તથા ટિકિટ ચોડેલ પોતાના સરનામાવાળું
કવર મોકલી આપ્યેથી
ફોર્મ તથા માહિતી મોકલી આપવામાં આવશે.
શિબિરમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
આ શિબિરોમાં તાલીમ અને નિવાસ(તંબુમાં) સરકાર દ્વારા
વિનામુલ્યે પૂરી પાડવામાં આવશે. જયારે શિબિર સ્થાને આવવા-જવાનું પ્રવાસખર્ચ તથા
ભોજન ખર્ચ તાલીમાર્થીઓએ ભોગવવાનો રહેશે.
એપ્રિલ-મે-જૂન-૨૦૧૨ દરમિયાન તથા આગ ામી
ચોમાસા પછી સપ્ટેમ્બર-૨૦૧૨ થી ફેબ્રુઆર ી -૨૦૧૩
દરમિયાન પણ આ શિબિર
યોજવામાં આવશે. અરજી
સાથે
શારિરીક યોગ્યતા અંગેનું તબીબી
પ્રમાણપત્ર તથા ગુજરાતના વતની હોવા અંગેના આધાર તથા વાલીની સંમતિ તથા જન્મતારીખનો દાખલો સામેલ
રાખી અરજી રજૂ કરવાની રહેશે.
બાળકો અને યુવાનોમાં શારિરીક, માનસિક વિકાસ તથા સંઘભાવના, લીડરશીપ
કેળવવાના સરકારના આ અભિગમનો વેકેશનના દિવસોમાં લાભ લેવા જણાવાયું છે. વધુ માહિતી માટે ફોન નંબરઃ
૦૨૮૫-૨૬૨૭૨૨૮ ઉપર સંસ્થાનો સંપર્ક
સાધવો.
ભુજ,
આગામી ગ્રામ પંચાયતની એપ્રિલ-૨૦૧૨માં
યોજાના ર ચૂંટણી સંદર્ભે ચુંટણી સમય દરમ્યાન રાજકીય પક્ષ/ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેર ાત
પાટીયા/બેનર વગેરે
દ્વારા પૈસાની
તાકાતનું આડ ંબર યુકત પ્રદર્શન ન થાય તે હેતુથી
રાજય ચુંટણી પંચે નકકી કરેલ આચાર સંહિતા
મુજબ તથા અપાયેલ
વિવિધ સુચનાઓ અનુસાર નિયમ ન
કરવું જરૂરી જણાતાં કચ્છ જિલ્લા
મેજીસ્ટ્રેટ એમ.થેન્નારસને મુંબઇ પોલીસ
અધિનિયમ
૧૯૫૧ની કલમ ૩૩(૧)
(ડી.એ.), (ડી.બી.) થી મળેલ સત્તાની રૂએ સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી એપ્રિલમાં યોજાનાર ગ્રામ
પંચાયત ચુંટણી-૨૦૧૨ સંદર્ભે ચુંટણીલક્ષી જાહેરાત, પાટીયા, બેનર, કટઆઉટ મૂકવા બાબતે
નિયમો તાત્કાલિક અમલ માં લાવવા જાહેરનામ ું
બહાર પાડવામાં
આવ્યું છે.
જે અંતર્ગત કોઇપણ રાજકીય
પક્ષ/ઉમેદવાર/સંસ્થા અથવા વ્યકિત દ્વારા કટઆઉટ, હોર્ડિગ્ઝ, તોર ણ ો,
ધ્વજ, પતાકા
વિગેરે કોઇપણ જાહેર જગ્યાએ તેમજ જાહેર રસ્તા ઉપર મૂકી શકાશે નહીં એટલે કે સરકાર,
નગરપાલિકા
કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ વગેરે હસ્તકની જાહેર જગ્યાએ (આવી જગ્યા કે
મિલ્કત ભાડેથી કે કોન્ટ્રાકટથી આપી હશે તો પણ) મૂકી શકાશે નહીં. ખાનગી સ્થળો, સ્થાનિક કાયદાઓ
જયાં તેના માલિક ની
પરવાનગી થી
ખાનગી જગ્યામાં દિવાલો પર લખાણ
કરવાની અને પોસ્ટરો ચોંટાડવાની, પાટીયા, ઝંડા વગેરે લગાડવાની મંજુરી આપતા હોય ત્યાં ચુંટણી
લડતા ઉમેદવારોએ અથવા સબંધિત રાજકીય પક્ષોએ મિલ્કતના માલિક પાસેથી લેખિત પરવાનગી
તેમજ સંબિધિત ચુંટણી અધિકારી
અથવા મદદનીશ
ચુંટણી અધિકારીની પૂર્વ
મંજુરી મેળવવાની રહેશે. મેળવેલ લેખિત પૂર્વ પરવાનગી તથા પૂર્વ મંજુરીની નકલ તથા મિલ્કત ધારકના નામ,
સરનામા અને થનાર ખર્ચ
અંગેની વિગતો
લેખિતમાં મદદનીશ ચુંટણી અધિકારીને ચુંટણી પંચે નકકી કરેલ નમુનામાં પુરી પાડવાની
રહેશે. અન્યથા આ પ્રકારની કોઇ પ્રવૃતિ કરી શકાશે નહીં. હોર્ડિગ્ઝની સાઇઝ ૧૫ ફૂટ × ૮ ફૂટથી વધારે હોવી જોઇએ નહીં. કટઆઉટની
ઉંચાઇ જે તે વિસ્તારમાં હોર્ડિગ્ઝ/કટઆઉટ વગેરે મુકેલ હોય તદનુસાર ઉમેદવારના ચુંટણી
ખર્ચમાં યોગ્ય સ્થળે દર્શાવવાનું રહેશે.
આ
જાહેરનામાનો અમલ તા.૨૧/૪/૨૦૧૨ સુધી કરવાનો રહેશે. કોઇ રાજકીય પક્ષ/ઉમેદવાર અથવા
આવા કોઇ વ્યકિત દ્વારા ઉકત નિયમોનું ભંગ
કરી ચુંટણીલક્ષી કટઆઉટ, જાહેરાત પાટીયા અથવા બેનર્સ પ્રદર્શિત કરશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ તથા
૧૭૧ (ઝ) મુજબ શિક્ષાપાત્ર
કાર્યવાહીને પાત્ર ઠરશે, તેમ જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.