અનુયાયીઓ

બુધવાર, 2 ડિસેમ્બર, 2020

સોમનાથ મંદિરના નિર્માણના સંકલ્પ ગ્રહણ કરનાર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ

(પાયલ બામણિયા)

શ્રી સરદાર વલ્લભભાઇ પટેલે ૧૯૪૭ માં ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢ ને અખંડ ભારતમાં જોડી ૧૩ નવેમ્બર ૧૯૪૭ એ સમુદ્રનું જળ હાથમાં લઇ સોમનાથ મંદિરના જીર્ણોધ્ધારનો સંકલ્પ કરેલ, કાળ ક્રમે સરદારશ્રી ન રહ્યા પણ સરદારની આંખો શ્રી સોમનાથ મંદિરના સતત દર્શન કરી શકે તે રીતે તેઓની પ્રતિમા સોમનાથ પરીસરમાં લગાવવામાં આવેલી છે. ૧૯૯૫ માં શ્રી સોમનાથ મંદિર બાંધકામ પુર્ણ થયું, નૃત્યમંડપ કાર્ય પુર્ણ થતા ભારતના રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાલ શર્માના કરકમલોથી નૃત્યમંડપ કળશ અનાવરણ વિધિ સંપન્ન કરવામાં આવેલ. શ્રી સરદાર પટેલ સાહેબ એ લીધેલ સંકલ્પ ૧૩ નવેમ્બર ૧૯૪૭ ની સિદ્ધી ૧ ડિસેમ્બર ૧૯૯૫ એ થયેલ.




૦૧ ડીસેમ્બર શ્રી સોમનાથ મંદિરના સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિતે શ્રી સોમનાથ ટ્રસ્ટના માન ટ્રસ્ટી ી જે.ડી.પરમાર,જી.એમ એક્ઝિક્યુટીવ ઓફીસરના  હસ્તે  સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને   પૂષ્પાંજલી, સરદારવંદના કરવામાં આવેલ. શ્રી સોમનાથ મહાદેવની  મહાપૂજા કરવામાં આવેલ જેમાં સ્થાનીક તીર્થપૂરોહિતો, શ્રી સોમનાથ ટ્ર્‌સ્ટના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.


શ્રી સોમનાથ ટ્ર્‌સ્ટ દ્વારા ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી  શ્રધ્ધાળુઓએ ઘર બેઠા માસ એપ્રિલ શ્રી માસ નવેમ્બર સુધી માં સોમનાથ  મહાદેવના દર્શન જેમાં ફેસબૂકમાં (૧૯૫૪૭૬૫૯૪) ટ્વીટરમાં (૩૧૭૫૯૨૯૫) ઇન્સ્ટાગ્રામ (૨૯૫૮૯૭૨૧)યુ ટ્યુબમાં (૩૫૨૯૮૬૬૪) માધ્યમથી લોકોએ દર્શન કરેલ. તેમજ લોકડાઉનનો સમય પુર્ણ થયા બાદ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અંદાજીત(૯૧૬૨૯૧)દર્શનાર્થીઓએ પ્રત્યક્ષ દર્શનનો લાભ  લીધેલો.

ટિપ્પણીઓ નથી: