(કુલદીપ જોશી દ્વારા)
ખાતેદાર ખેડૂતો પાણી ભરાવાને લીધે વાડીએ જવા ભોગવે છે હાલાકી
જેતલસર:
જેતલસર ગામે વોંકળા કાંઠે વાડી ખેતર ધરાવતા ખેડૂતોને ત્રણ ચેકડેમ અને બે નદીના ભરાતા પાણીથી પારાવાર હેરાન પરેશાન થવું પડતું હોવાથી તાત્કાલિક આ જગ્યાએ કોઝવે બનાવવા જંક્શનના જાગૃત નાગરિક નરેશભાઈ(શામજીભાઈ) પોપટભાઈ જેઠવાએ ડેપ્યુટી કલેક્ટર સહિતના સતાવાળાઓને રજૂઆતો કરી છે.
જેતલસર ગામે વોંકળા કાંઠે વાડી ખેતર ધરાવતા ખેડૂતોને ત્રણ ચેકડેમ અને બે નદીના ભરાતા પાણીથી પારાવાર હેરાન પરેશાન થવું પડતું હોવાથી તાત્કાલિક આ જગ્યાએ કોઝવે બનાવવા જંક્શનના જાગૃત નાગરિક નરેશભાઈ(શામજીભાઈ) પોપટભાઈ જેઠવાએ ડેપ્યુટી કલેક્ટર સહિતના સતાવાળાઓને રજૂઆતો કરી છે.
રજૂઆત કરનાર યુવાનનું કહેવું છે કે, ગોંડલ સ્ટેટ વખતે તેમના બાપ-દાદાઓને આશરે 80 વીઘા ખેતીની જમીન મળી છે. આવી ખેતીની જમીનની આજુબાજુ ત્રણ ચેકડેમ આવેલા છે. તેમજ ડેડરવા અને જીથુડી હનુમાન દાદાની નદીઓ જયારે ચોમાસા દરમિયાન છલકાય ત્યારે બંને નદીઓ અને ચેકડેમોના પાણી ખેતીની જમીનની આસપાસ 8-10 મહિના સુધી નિકાલના અભાવે તળાવની માફક ભરાઈ રહે છે.
પરિણામે ખેડૂતોને ખેતર બળદ ગાળા ઉપરાંત નાના મોટા વાહનો લઇ જવા દુષ્કર બને છે. એટલુંજ નહિ આવી પાણી ભરવાની સમસ્યાથી ખેડૂતો પોતપોતાના ખેતરોમાં વાવેતર કરેલી ખેત જણસીઓની માવજત કરી શકતા નથી.
નરેશભાઈએ રજુઆતમાં એવું પણ કહ્યું છે કે અત્યારે તેઓને પોતાના ખેતરે જવું હોય તો પહેલા 5 કિમિ દૂરના ડેડરવા ગામની સીમાથી જવું પડે છે. વર્ષો જુના આ પ્રશ્ને તાકીદે હલ કરી અહીં કોઝવે બનાવાય તેવી માંગ કરાઈ છે.
(કુલદીપ જે.જોશી, જેતલસર - 94095 30234

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો