અનુયાયીઓ

શુક્રવાર, 20 એપ્રિલ, 2018

રાજકોટ સરકારી હોસ્પિટલમાં દવાઓ ખલ્લાસ : ગરીબ દર્દીઓને પડયા પર પાટુ

રાજકોટ સરકારી હોસ્પિટલમાં દવાઓ ખલ્લાસ : ગરીબ દર્દીઓને પડયા પર પાટુ 
જીવદયા પ્રેમીએ સિવિલ હોસ્પિટલના વહિવટ સામે કરેલી રજુઆત : આવેદન આપ્યું 

રાજકોટ તા.20
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને સારવાર માટે અપાતી દવાઓનો જથ્થો ખલ્લાસ થઇ ગયો હોય સામાજીક અને જીવદયા પ્રેમી આગેવાન મુકેશ પટેલે જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલના વહિવટ મુદે કરેલી રજુઆત એવી છે કે સિવિલ હોસ્પિટલમાં હજારો ગરીબ દર્દીઓ સારવાર લેવા આવે છે ત્યારે પરિસ્થિતિ એવી સર્જાય છે કે દવાઓ મોંઘીદાટ, લોહીના રીપોર્ટો મોંઘાદાટ ન છુટકે ખાનગીમાં કરાવવા પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી વિભાગમાં (1) વિટામીન બી-12 (2) વિટામીન એ-2 જે લોહીની ટકાવારીનો રીપોર્ટ છે જેને સ્પેશ્યલ ટેસ્ટ કહેવામાં આવે છે. જેની કીટ છેલ્લા દોઢ વર્ષથી નથી અને ખાનગી લેબોરેટરીમાં રીપોર્ટની કિંમત રૂા.1400/- છે અને બીજી તરફ જોઇએ તો દવા વિભાગમાં બી.પી.ની દવા, એસીડીટી, ઉલ્ટી સહિતની 14 દવા ખલાસ છે.


આ 14 દવા જેવી કે (1) બી.પી. (2) સોજા ઉતારવાની દવા (3) માનસીક બિમારીની દવા (4) ગર્ભવતી મહિલાઓ માટેની દવા (પ) શકિતની દવા (6) એસીડીટી અને ઉલ્ટીની દવા (7) કૃમિની દવા (8) એન્ટીબાયોટીક દવા (9) શ્ર્વાસના દર્દી માટેની દવા (10) ચામડીની દવા (11) કબજીયાતની દવા (12) બાળકોની દવા (13) થાઇરોઇડ (14) બીપી સહિતની દવાઓ છેલ્લા 2 મહિના થયા છે જ નહી. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર ને મારી લેખીતમાં રજુઆત છે કે તાકીદે ગરીબ દર્દીઓના હિત માટે દવાઓ ઉપલબ્ધ કરાવે તેવી અમારી લાગણી અને માંગણી છે. 

ટિપ્પણીઓ નથી: