અનુયાયીઓ

શુક્રવાર, 29 જાન્યુઆરી, 2016

જેતપુર નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત..


જેતપુર નજીક કાર હડફેટે બાઈક સવારનું મોત..

જેતપુર તા.૨૯

આજે સવારે જેતપુરના પેઢલા નજીક પુરપાટ ઝડપે જતી કાર હડફેટે ચડી ગયેલા ખંભાલીડાના વૃદ્ધનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. જયારે બાઈક ચાલકને નાની મોટી ગંભીર ઈજાઓ સાથે જેતપુરથી સારવાર માટે અન્યત્ર ખસેડેલ છે.

 

મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે રહેતો કોળી ભરત પ્રેમજી જાદવ(ઉ.વ.૨૮) આજે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ગોંડલથી જેતપુરના પેઢલા ગામ તરફ જવા હાઈવે પરથી પેઢ્લાના રોડ પર જવા ગયો ત્યારે તેમના જીજે૩ એજે ૩૨૧ નંબરના હોન્ડાને રાજકોટથી ધોરાજી તરફ પુરપાટ ઝડપે જતી જીજે ૩ ડીએન ૮૫૮૩ નંબરની કાર ચાલકે હડફેટે લેતા બાઈકમાં ભરતની પાછળ બેઠેલા નરશીભાઈ વાલજીભાઈ સરવૈયા(ઉ.વ.૬૦)નું ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત થયું હતું.

બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ મનાત, જયવીરસિંહ રાણા, ઘનશ્યામ વીરડા વિગેરે પહોચી જઈ મૃતકની ડેડબોડી પીએમ માટે અત્રેની સરકારી હોસ્પીટલમાં ખસેડેલ.

જ્યારે ચાલક ભરતને ગંભીર ઈજાઓની સારવાર માટે જેતપુરથી અન્યત્ર ખસેડેલ છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે એ નોંધનીય છે કે, આ બનાવ બન્યો ત્યારે પેઢલાના સેવાભાવી હકાભાઇ ગઢવી શ્રીફળ અગરબત્તી લઈને મામાદેવના મંદિરે જતા હતા. પણ તેઓએ રાબેતા મુજબની સેવા કરી મૃતકને હોસ્પીટલે પહોચાડવા વધુ એક વખત જહેમત ઉઠાવી હતી તે હોસ્પિટલસૂત્રોમાં સરાહનીય બની હતી...

ફોટો અને સમાચાર હિતેશ સાવલિયા જેત

ટિપ્પણીઓ નથી: