જેતપુરમાં આજે સ્વ.સવજીભાઇ કોરાટની
પૂણ્યતિથિ નિમિતે વિવિધ કાર્યક્રમો
રકતદાન કેમ્પ, દંતયજ્ઞ,સ્ત્રીરોગ નિદાન કેમ્પ તથા લોકડાયરાનું આયોજન
જેતપુર તા.૨૫ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના પુર્વ કેબીનેટ મંત્રી સ્વ.સવજીભાઇ કોરાટની તા.૨૬ મી નવેમ્બરના રોજ ૧૭મી પુણ્યતીથી નિમિતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેઓની વિદાય બાદ તેમના ધર્મપત્ની જશુમતીબેન સવજીભાઇના અધુરા કાર્યો પુર્ણ કરવાની નેમ સાથે રાજકારણમાં પદાર્પણ કર્યુ. જસુબેને પણ મંત્રી તરીકે સેવા આપેલ.
સ્વ.સવજીભાઇ કોરાટની અનન્ય સુવાસ આજે ૧૭ વર્ષ પછી પણ લોકોમાં ગુંજી રહી છે. અને એટલેજ તા.ર૬-૧૧-૧પ ગુરૂવારના રોજ શહેરની સંસ્થાઓ દ્વારા વિવિધ આયોજન કરવામાં આવેલ છે. જેમાં લાયન્સ કલબ દ્વારા વિનામૂલ્યે દંત ચિકિત્સા સારવાર અને રકતદાન કેમ્પ સવારે ૯ થી ૧ દરમિયાન, તેમજ જે.સી. દ્વારા સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન સવજીભાઇ કોરાટ હોસ્પિટલ (કોઠારી મેટરનીટી કોર્ટની બાજુમાં કરવામાં આવેલ છે. જેમાં જેતપુર મેડીકલ ફાઉન્ડેશન ટ્રસ્ટ બલ્ડ બેંકની ટીમ સેવા આપશે. રાત્રીના ૯ કલાકે શ્રી સવજીભાઇ કોરાટ કલ્યાણકારી મંડલી દ્વારા સ્વ. સવજીભાઈના માદરે વતન એવા જુની સાંકળી ગામે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મનસુખભાઇ વસોયા (ખીલોરીવાળા), પુનીબેન ગોંડલીયા, જાગૃતિબેન ગોહિલ, વિપુલભાઇ પટેલ પોત પોતાની કલા પીરસી ડાયરાપ્રેમી જનતાને ડોલાવશે.
આ કાર્યક્રમમાં રાજય મંત્રી જયેશભાઇ રાદડીયા, વિઠ્ઠલભાઇ રાદડીયા (સાંસદ), નાગદાનભાઇ ચાવડા (જીલ્લા ભાજપ પ્રમુખ), જેન્તીભાઇ ઢોલ, ગોવિંદભાઇ રાણપરીયા, દિલીપભાઇ ગાંધી, ભાનુભાઇ મહેતા, રવિભાઇ આંબલીયા (જેતપુર ચેમ્બર્સ પ્રમુખ)શારદાબેન બારોટ (ન.પા.પ્રમુખ), પ્રશાંત કોરાટ, રાજુભાઇ પટેલ, નીતાબેન ગુંદારીયા, દિનેશભાઇ ભુવા (વોર્ડ ચેરમેન), સહિત શહેરના અગ્રણીઓ ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો