અનુયાયીઓ

ગુરુવાર, 29 ઑક્ટોબર, 2015

છકડો રીક્ષા હડફેટે નવા ખાખરા હડમતીયાના શિક્ષકનું મોત મૃતક શિક્ષકે શુક્રવારે વિધિવત નિવૃત થાય પહેલાજ દુનિયા છોડી

જેતપુરના ભીડભંજન રોડ પર પાંજરાપોળ સામે 
છકડો રીક્ષા હડફેટે નવા ખાખરા હડમતીયાના શિક્ષકનું મોત 
મૃતક શિક્ષકે શુક્રવારે વિધિવત નિવૃત થાય પહેલાજ દુનિયા છોડી 
નાશવા ગયેલી રીક્ષા પલટી ખાઈ જતા બે સ્ત્રીઓને સામાન્ય ઈજાઓ 

જેતપુર તા.૨૯(કશ્યપ જોશી દ્વારા )
જેતપુરમાં આજે રાત્રીના સર્જાયેલ એક અકસ્માતમાં તોરી રામપરના રહીશ અને નવા ખાખરા હડમતીયાના મદદનીશ શિક્ષકનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જી ભાગવા ગયેલી છકડો રીક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલી બે સ્ત્રીઓને સામાન્ય ઈજાઓ થઇ હોવાનું જાણવા મળે છે.

મળતી વિગતો મુજબ આજે રાત્રીના સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે અહીના ભીડભંજન રોડ પર પાંજરાપોળ સામે એક 
છકડો રીક્ષાએ બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક નરશીભાઈ પીઠાભાઈ રાઠોડ(ઉ.વ.૫૮, રહે તોરી રામપર)નું ઘટના સ્થળેજ મોત થયું હતું. જયારે અકસ્માત સર્જી નાશવા ગયેલી છકડો રીક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલી આશિયાનાબેન ચૌહાણ અને નુર્જાબેન કુરેશીને સામાન્ય ઈજાઓ થતા બંનેને સારવાર આપી સરકારી હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

બનાવની કરુણતા એક એવી જાણવા મળી કે તોરી રામપર રહેતા અને નવા ખાખરા હડમતીયા ગામે સીમ શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા નરશીભાઈ આજે રાત્રે જેતપુરથી તેમના ગામ તરફ બાઈક લઈને જતા હતા. અને જેતપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત તેમના પરિવારજનોના કહેવા મુજબ તેઓ(નરશીભાઈ) આવતીકાલે શુક્રવારે વય મર્યાદાને કારને શિક્ષકની ફરજ પરથી નિવૃત થવાના હતા. પણ શૈક્ષણિક કાર્યમાંથી નિવૃત થાય તે પહેલાજ તેમને આ ફાની દુનિયામાંથી અચાનક વિદાય લઇ લેતા સમગ્ર તોરી રામપર, નાના ખાખરા હડમતીયાના પ્રજાજનોમાં શોક સાથે ગમગીની વ્યાપી ગઈ છે.

જેતપુર શહેર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત સર્જી નાશી છુટેલા રીક્ષા ચાલક સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે. ( ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર ) 


ટિપ્પણીઓ નથી: