જેતપુરના પીઠડીયા ગામે દિવંગત સેવાભાવીના માનમાં
પ્રાર્થનાસભા, વૃક્ષારોપણ, બટુક ભોજન યોજાયા
જેતપુર તા.30
જેતપુર તાલુકાના પીઠડીયા ગામના વૃજલાલભાઈ પટેલ નામના સેવાભાવીનું તાજેતરમાં અમદાવાદ ખાતે અવસાન થયું હતું. આ સેવાભાવી આત્માના માનમાં પીઠડીયામાં આવેલ શ્રી ખોડિયાર માતાજીના મંદિર ખાતે સદગતના મિત્રો ધીરુભાઈ ગોંડલિયા સહિતના ગ્રામજનો અને સરપંચ છગનભાઈ ગોંડલિયા, સહકારી મંડળીના પ્રમુખ ધીરુભાઈ વી દ્વારા પ્રાર્થનાસભા યોજાયેલ, જેમાં સેવાભાવીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી. આ સિવાય સેવાભાવીની સ્મૃતિરૂપે 20 વૃક્ષોનું રોપણ અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ એવું પણ જણાવેલ કે સેવાભાવી પિતા વૃજલાલભાઈની માદરે વતન એવા ગામ પીઠડીયામાં યોજાયેલા ઉપરોક્ત ત્રિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા પુત્ર તારક પટેલ અમેરિકાથી ખાસ પીઠડીયા આવી હાજર રહ્યો હતો.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 99742 62812



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો