અનુયાયીઓ

મંગળવાર, 9 જૂન, 2015

જેતપુરમાં સમર્પણ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

જેતપુરમાં સમર્પણ ગ્રુપ દ્વારા 

સરસ્વતી સન્માન સમારોહનું આયોજન 

જેતપુર તા.9

સમર્પણ ગુર્પ જેતપુર દ્વારા માત્ર ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓ કે જેઓ પોત પોતાની શાળામાં પ્રથમ નંબરે ઉતીર્ણ થયા હોય તેઓને સન્માનિત કરાશે.  સન્માન સમારોહમાં જોડવા ઈચ્છુક ઉપરોક્ત ધોરણના વિદ્યાર્થી ભાઈ બહેનોએ પરિણામની ઝેરોક્સ કોપી સંસ્થા કાર્યાલય, પરાગ પુસ્તકાલય, ખોડપરા મેઈન રોડ, જેતપુર ખાતે પહોંચતી કરવા સંસ્થા પ્રમુખ હરીશભાઈ મણીયારનો અનુરોધ છે.

 

 

 

 

 

જેતપુરમાં નવનિર્મિત શીતળા 

માતાજીના મંદિરનું લોકાર્પણ

જેતપુર તા.9

જેતપુરમાં ભાદર નદી કાંઠે આવેલ વર્ષોજુના શીતળા માતાજીના મંદિરની કાયાપલટ શહેરના જાણીતા દાતા જગદીશ પાંભરે કરાવી હતી. નવનિર્મિત મંદિરના લોકાર્પણ માટે ગઈકાલે મંદિરની જગ્યામાં હોમ-હવનનું આયોજન કરાતા ભાવિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જગદીશભાઈ પાંભરે પોતાની સેવાનો સિલસિલો ચાલુ રાખી મંદિરનું પોતાના હસ્તે લોકાર્પણ કર્યું હતું તે તસ્વીરમાં દેખાય છે.

 

 

 

પાલિકા પ્રમુખના સ્વર્ગીય પુત્રના માનમાં 

શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

જેતપુર તા.9

જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાના સ્વર્ગીય પુત્ર દેવેન્દ્ર(દેવ)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે ગઈકાલે મેઘવાળ જ્ઞાતિના મુક્તિધામ ખાતે બનાવાયેલ દેવસ્મૃતિ જગ્યામાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા કર્મીઓ સહીત મોટી સંખ્યામાં ભાવિકોએ કથાશ્રવણનો  લાભ લીધો હતો. તકે બટુકભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેવું યોગેશ મકવાણાએ જણાવ્યું હતું.. 

કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812

 

ટિપ્પણીઓ નથી: