જેતપુર નગર પાલિકા આયોજિત
રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી જેતપુરમાં પ્રારંભ
જેતપુર તા.20
જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનો આજે તા.21 ના રોજ રાત્રીના 7-45 વાગ્યેથી, બસ સ્ટેન્ડ સામેના જીમખાના મેદાનમાં પ્રારંભ થશે. ગામડા અને શહેરોના ઉગતા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના હેતુસર શરુ થનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટક તરીકે રાજ્ય મંત્રી જયેશ રાદડિયા અને સહઉદ્ઘાટકો તરીકે જેતપુરના મદદનીશ પોલીસ અધિક્ષક સુધીરકુમાર દેસાઈ તેમજ પાલિકા પ્રમુખ રમાબેન મકવાણા, પાલિકા ઉપપ્રમુખ સુરેશ સખારેલીયા, જેતપુર જીમખાના પ્રમુખ વસંતભાઈ પટેલ વી.હાજર રહેશે. ક્રિકેટ ટુર્નામેન્ટનો નઝારો માણવા ક્રિકેટ રસિકોને રમતગમત ચેરમેન અરવિંદ વણઝારા અને ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસનો અનુરોધ છે.
કશ્યપ જોશી જેતપુર
--------------------------------------------------------------------------
જેતપુરના ગોંદરા વિસ્તારમાં વોંકળાની સફાઈ કરાઈ
જેતપુર તા.20
જેતપુર શહેરમાં પ્રતિ ચોમાસાની ઋતુ દરમિયાન જુદા જુદા વોંકળામાં ચારે તરફથી વરસાદી પાણીમાં કચરો તણાઈને આવતા હોય ઘણી વખત વોંકળાના પાણી છલકીને રોડ રસ્તા પર આવી ગયા હોવાની ઘટનાઓ બની છે. ત્યારે આગામી ચોમાસાને ધ્યાને લઇ, ''પાણી પહેલા પાળ'' જેવી કહેવત સાબિત કરીને જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાએ શહેરના ગોંદરા વિસ્તારમાં પાલિકાની સેનિટેશન શાખાને સાથે રાખી વોંકળાની સફાઈ કરાવી હતી તે પ્રસ્તુત તસ્વીરમાં દ્રષ્ટિગોચર થાય છે. ફોટો : કશ્યપ જોશી જેતપુર
---------------------------------------------------------------------------------------
સન્માન: જેતપુર પાલિકા પ્રમુખનું
તાજેતરમાં રાજકોટ ખાતે ભારતીય જનતા પક્ષની એક બેઠક યોજાયી હતી. જેમાં જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન મકવાણાનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું તે તસ્વીરમાં દેખાય છે. ફોટો : કશ્યપ જોશી જેતપુર
-----------------------------------------------------------------------------------------
જેતપુરના વાર્તાકારની 24 મીએ, આકાશવાણી પર વાર્તા રજુ થશે
જેતપુર તા.20
જેતપુરની સેવાભાવી સંસ્થા સમર્પણ ગ્રુપના પ્રમુખ અને જાણીતા વાર્તાકાર હરીશભાઈ મણિયાર આગામી 24.5.ને રવિવારના રોજ, આકાશવાણી કેન્દ્રના બાલસભા કાર્યક્રમમાં, સવારે 9:30 કલાકે બાળવાર્તા રજુ કરશે.તેઓનો આ 23 મો કાર્યક્રમ રેડિયો પરથી રજુ થનાર હોવાનું વાર્તાકાર જણાવે છે. ફોટો : કશ્યપ જોશી જેતપુર
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુરના વેપારી સહીત 2 જણા
ભેળશેળની ફરિયાદમાં નિર્દોષ છૂટ્યા
જેતપુર તા.20
જેતપુરમાં કરીયાણાના વેપારી કેશુભાઈની દુકાનમાં ત્રાટકેલા ફૂડ ઇન્સ્પેકટરને હિંગમાં ભેળશેળની શંકા જનતા નમુનો લઇ દુકાન માલિક તથા હિંગ ઉત્પાદક સુનીલ કાચા સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી. જે ફરિયાદનો કેઈસ જેતપુરની જ્યું.મેજી.કોર્ટમાં ચાલી જતા તહોમતદાર પક્ષે વકીલ જનક પટેલની દલીલોને ધ્યાને લઇ જજ રાજપૂતે બંનેને નાં કસુરવાર માની નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો..
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
જેતપુરના દેરડી ગામે પરણીતાને ધમકી મળી !
ગામ મૂકી જતી રહેજે નહીતર આખા પરિવારને મારી નાંખીશ !
જેતપુર તા.20
જેતપુર તાલુકાના દેરડી ગામે એક પરિણીતાને તે જ ગામના શખ્શે ગામ મૂકી જતી રહેવા અન્યથા આખા પરિવારને મારી નાંખવાની ધમકી આપ્યાની તાલુકા પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી વિગતો મુજબ તાલુકાના દેરડી ગામે રહેતી રશ્મિતાબેન જયેશભાઈ ભાયાણીને તે જ ગામના દીલું શેખવા નામના યુવાને ''ગામ મુકીને જતી રહેજે અન્યથા તારા આખા પરિવારને જાનથી મારી નાખવાની મોબાઈલમાં ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જણાવેલ કે ફરિયાદી અને તહોમતદાર કોઈ ચક્કર ચાલતું હોય, અગાઉ પણ આ બારાની ફરીયાદ કરાઈ હતી. બનાવની વધુ તપાસ જમાદાર બાબુભાઈ સોસાએ હાથ ધરી છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો