અનુયાયીઓ

મંગળવાર, 2 ડિસેમ્બર, 2014

પોરબંદર ટ્રેન હેઠળ ઝંપલાવી મુસ્લિમ આધેડનો આપઘાત


9 કલાકે નવાગઢ રેલવે સ્ટેશનથી તદન નજીક 
પોરબંદર ટ્રેન હેઠળ ઝંપલાવી મુસ્લિમ આધેડનો આપઘાત
(કશ્યપ જોશી ) જેતલસર(જેતપુર)તા.2
આજે સવારે નવાગઢ રેલ્વે સ્ટેશન નજીક્નાજ એક બેઠા પુલ ઉપર પસાર થયેલી ટ્રેન હેઠળ એક   મજુરી કામ કરતા મુસ્લિમ આધેડે ઝંપલાવી આપઘાત કરી લેતા જોનારાઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
 આ બાબતે મળતી વિગતો મુજબ રાજકોટ પોરબંદર રૂટની 19571 નંબરની ટ્રેન આજે સવારે 9 વાગ્યે નવાગઢના બેઠા પુલ ઉપરથી પસાર થતી હતી ત્યારે ત્યાં પહેલાથીજ બેઠેલા એક અજાણ્યા આધેડે ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા તેનું કમકમાંટી ભર્યું મોત થયું હતું.. દરમિયાન આ ટ્રેન ના ગાર્ડ પી.એમ.સુરાણીએ લાશને નવાગઢ ફ્લેગ રેલવે સ્ટેશનની ઓરડીમાં મુકાવી દીધી હતી.પોલીસ તપાસ દરમિયાન આ લાશ સલીમભાઈ  સતારભાઈ રફાઈ-ફકીર(ઉ.વ.50- જગાવાલા ચોરા-જેતપુર)હોવાનું બહાર આવ્યું હતું
બોક્સ:રેલસુત્રો  સહકાર આપે  
નવાગઢ રેલવે સ્ટેશનના બુકિંગ ક્લાર્ક આલોક રોય એ જણાવેલ કે નવાગઢ નજીકના આ બનાવની લાશને બનાવવાળી ટ્રેનના કાર્યવાહકોએ જેતલસર જંકશન લઇ જવાની જરૂર હતી. કારણ નવાગઢ ખાતે તેઓને ટિકિટનું બુકિંગ કરવું કે બનાવના કાગળોમાં સમય બગાડવો ?? તેઓએ એવું પણ જણાવેલ કે આજના બનાવ વખતે પણ બનાવ કોની હદમાં એટલેકે કઈ પોલીસમાં આ બનાવની નોંધ થશે તેની સવારના નવ વાગ્યાથી ચાલતી ગડમથલ વચ્ચે તેઓને રેલવેના એસપીના કંટ્રોલ રૂમને જાણ કરવાની મહેનત કરવી પડી હતી.  પોલીસે સલીમભાઈના આપઘાતનું  કારણ શોધવા કવાયત આદરી છે.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર(જેતપુર)
99742 62812

ટિપ્પણીઓ નથી: