અનુયાયીઓ

ગુરુવાર, 31 જુલાઈ, 2014

રૂ. ૧૦૦ - રૂ. ર૦૦માં કોમ્‍પ્‍યુટર કોર્ષ




રૂ. ૧૦૦ - રૂ. ર૦૦માં કોમ્‍પ્‍યુટર કોર્ષ

રાજકોટ, તા., ૩૧: શિક્ષણ-તાલીમ મોંઘાદાટ થઇ રહયા છે. ત્‍યારે કાલાવડ રોડ પર સાવ ટોકન દરે કોમ્‍પ્‍યુટરના પુર્ણ કોર્ષ ધમધમી રહયા છે. લોહાણા કારકીર્દી વિકાસ કેન્‍દ્ર દ્વારા કોઇ પણ કોર્ષ કોઇ પણ જ્ઞાતિ-સમાજ માટે ટોકન દરે ચાલી રહયા છે. લોહાણા જ્ઞાતિના તાલીમાર્થીઓ માટે ફી માત્ર રૂ. ૧૦૦ અને અન્ય કોઇ પણ જ્ઞાતિ-સમાજના તાલીમાર્થીઓ માટે ફી રૂ. ર૦૦ રાખવામાં આવી છે. આ કેન્‍દ્રના પ્રોજેકટ ઇન્‍ચાર્જ કાજલ કક્કડ અને માનસી પોપટ અકિલાની મુલાકાતે આવ્‍યા હતા. તેઓએ જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રના ડાયરેકટર પ્રદીપભાઇ જોબનપુત્રા અને નિષ્‍ણાંતોના માર્ગદર્શનથી કેન્‍દ્રમાં કારકીર્દી લક્ષી પ્રવૃતિઓ ધમધમે છે. રાજકોટ લોહાણા મહાજન સંચાલીત લોહાણા કારકીર્દી વિકાસ કેન્‍દ્ર દ્વારા સમાજના ઉત્‍થાન માટે તદન વ્‍યાજબી ફીથી કોમ્‍પ્‍યુટર બેઝીક કોર્ષ (કોઇ પણ ઉંમરની વ્‍યકિત)થી લઇને ઉચ્ચ શિક્ષણ જેવા કે બીસીએ/ એમસીએ / પીજીડીસીએ અને એન્‍જીનીયરીંગના દરેક વર્ગ તેમજ સ્‍પોકન ઇંગ્‍લીશના કલાસ શરૂ કરવામાં આવેલ છે. કોઇ પણ કોર્ષ માટે લોહાણાની ફી રૂ. ૧૦૦ અને અન્‍યની ફી રૂ. ર૦૦ પ્રતિમાસ  રખાઇ છે. સ્‍થળઃ લોહાણા કારકીર્દી વિકાસ કેન્‍દ્ર, શ્રીમતી વસંતાબેન હંસરાજભાઇ કેશરીયા લોહાણા મહાજનવાડી, સંકીર્તન મંદિર પાસે કાલાવડ રોડ રાજકોટ વધારે વિગતો માટે ટેલીફોન નંબર ૦ર૮૧-રપ૮૮૭૭૧ નો સંપર્ક થઇ શકે છે. કાલાવડ રોડ જેવા ભદ્ર વિસ્‍તારમાં આધુનિક સુવિધા સાથેનું કારકીર્દી વિકાસ-તાલીમ કેન્‍દ્ર સેવાભાવથી ધમધમે છે. જેમાં ઉચ્ચ કારકીર્દી ઘડતર તાલીમ, જાહેર પરીક્ષાના સહાયક વર્ગો, કારકીર્દી વિકાસ લાયબ્રેરી, વ્‍યકિતત્વ વિકાસ વર્ગો, છાત્રોના પ્રશ્નો માટે કાઉન્‍સેલીંગ વગેરે પ્રવૃતિ ધમધમે છે. આ કેન્‍દ્રનો અત્‍યાર સુધીમાં પ૦ હજાર જેટલાં છાત્રો-છાત્રાઓએ લાભ લીધો છે. કોઇ પણ જ્ઞાતિ-કોઇ પણ ઉંમરની કોઇ પણ વ્‍યકિત જોડાઇ શકે છે. વિશેષ પ્રવૃતિમાં છાત્રો દ્વારા પ્રોજેકટ, પ્રદર્શનો,કિવઝ, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, વ્‍યાખ્‍યાનો-સેમીનારોના આયોજનો થાય છે. કેન્‍દ્રમાં સક્ષમ શૈક્ષણીક સ્‍ટાફ છે. રાહડી મટીરીયલ્સ આપવામાં આવે છે. પ્રોફેશ્નલ ભાઇ-બહેનો માટે ખાસ બેચ વ્‍યવસ્‍થા છે. સ્‍પોકન અંગ્રેજીના કોર્ષ બૈઝીક-એબીસીડીથી શરૂ કરવામાં આવે છે. દરેક  પ્રકારના કોર્ષ બાદ તાલીમાર્થીને કેન્‍દ્રનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. આ કેન્‍દ્ર સવારે ૭ વાગ્‍યાથી રાત્રીના ૮ વાગ્‍યા સુધી નિરંતર ધમધમે છે. કાજલ કક્કડ, માનસી પોપટ ઉપરાંત હેમા મજીઠીયા, યશ હાલાણી, માનસી હાલાણી વગેરે સેવા આપે છે. વધારે વિગતો માટે ફોનઃ ૦ર૮૧-રપ૮૮૭૭૧ નો સંપર્ક થઇ શકે છે.

ટિપ્પણીઓ નથી: